બીકાનેરથી કર્યું લોકાર્પણ
ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત બીકાનેરની મુલાકાત પર છે. ત્યાંથી તેમણે વર્ચ્યુલી દેશનાં 108 રેલવે સ્ટેશનના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. આ પ્રોજેક્ટની કામગીરી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ શરૂ થઇ છે. જેમાં ગુજરાતના 18 રેલવે સ્ટેશનની ગણતરી છે. બિકાનેર બાંદ્રા ટ્રેનને પણ લીલી ઝંડી અપાઈ છે. ગુજરાતની વાત કરીએ તો લીંબડી રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ લીંબડી રેલવે સ્ટેશન ખાતે હાજર રહ્યાં.
- Advertisement -
ગુજરાતના 18 રેલવે સ્ટેશન અપગ્રેડ, સુવિધાથી સજ્જ અને સંસ્કૃતિની ઝલક
દેશનાં 103 રેલવે સ્ટેશનના નવીનીકરણમાં ગુજરાતનાં ડાકોર, કરમસદ, સામખિયાળી, લીંબડી, મોરબી, જામજોધપુર, જામવંથલી, હાપા, સિહોર, પાલિતાણા, રાજુલા, મહુવા, ઓખા, મીઠાપુર, ઉત્રાણ, કોસંબા, ડેરોલ અને કનાલુસ રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. રૂપિયા 160 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવેલાં આ સ્ટેશનો સૌંદર્યશાસ્ત્ર, સુવિધા અને સંસ્કૃતિનો સંગમ પ્રસ્તુત કરે છે. દરેક સ્ટેશન ગુજરાતની લોકકલા, પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાની ઝલક દર્શાવે છે. આ ઉપરાંત સ્ટેશનો સુવિધાઓથી પણ સુસજ્જ છે. અપગ્રેડેડ સ્ટેશનોમાં ભવ્ય પ્રવેશદ્વાર, આધુનિક વેઇટિંગ હોલ, ટિકિટ કાઉન્ટર, અપગ્રેડેડ શૌચાલય અને અપંગ વ્યક્તિઓ માટે સુલભ રેમ્પ છે. પ્લેટફોર્મ આશ્રયસ્થાનો, કોચ સૂચક પ્રણાલીઓ અને ડિજિટલ માહિતી પ્રદર્શનો પણ સ્થાપિત કરવામાં આવ્યાં છે.
દુનિયા ભારતની પ્રગતિથી ચોંકી ઉઠશે
- Advertisement -
ટ્રેનનું આધુનિકરણ શરૂ
પીએમ મોદીએ ઉદ્ઘાટનના સમયે પોતાના ભાષણની શરૂઆત રામ-રામ કહીને કરી. તેમણે કહ્યું કે ભારતમાં થઈ રહેલા વિકાસ કાર્યો જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે. ઉત્તરના લોકો ચિનાબ પુલ જેવા બાંધકામોથી આશ્ચર્યચકિત છે. પૂર્વમાં આસામનો બોગીબીલ પુલ દેખાશે અને પશ્ચિમમાં મુંબઈમાં સમુદ્ર પર બનેલ અટલ સેતુ દેખાશે. પીએમ મોદીએ બિકાનેરના પલાનામાં કહ્યું- ભારત ટ્રેનોનું પણ આધુનિકીકરણ કરી રહ્યું છે. વંદે ભારત ટ્રેન, નમો ભારત ટ્રેન દેશના નવા વેગને પ્રતિબિંબિત કરે છે. વંદે ભારત ટ્રેન દેશમાં લગભગ 70 રૂટ પર દોડી રહી છે. છેલ્લા 11 વર્ષમાં સેંકડો રોડ ઓવરબ્રિજ અને રોડ અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત માલગાડીઓ માટે પણ અલગ ટ્રેકની સુવિધાઓ વધારવામાં આવશે. દેશમાં પહેલી બુલેટ ટ્રેન પર પણ કામ ચાલી રહ્યું છે. આ સાથે, 1300થી વધુ રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. તેનું નામ અમૃત ભારત સ્ટેશન રાખવામાં આવ્યું છે. 34 હજાર કિમીથી વધુ નવા રેલવે ટ્રેક નાખવામાં આવ્યા છે.
મોદીની નસોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે
ભારત-પાક સંબંધ અંગે તેમણે કહ્યું- પહેલગામ હુમલા પછી, અમે ત્રણેય સેનાઓને છૂટ આપી દીધી હતી. ત્રણેય સેનાઓએ મળીને એવું ચક્રવ્યૂહ બનાવ્યું કે પાકિસ્તાનને ઘૂંટણિયે પડવાની ફરજ પડી. 22 એપ્રિલના હુમલાના જવાબમાં, 22 મિનિટમાં 9 સૌથી મોટા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. દુનિયાએ પણ જોયું છે કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાય છે ત્યારે શું થાય છે. આજે હું કહું છું કે જે લોકો સિંદૂર લૂછવા નીકળ્યા હતા તેઓ કાદવમાં ભળી ગયા છે. પાકિસ્તાન એક વાત ભૂલી ગયું છે કે હવે ભારત માતાના સેવક મોદી અહીં માથું ઊંચું કરીને ઉભા છે. મોદીનું મન ઠંડુ છે, ઠંડુ રહે છે, પણ મોદીનું લોહી ગરમ છે. હવે મોદીની નસોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે.
અન્ય વિકાસ કર્યો પણ હાથ ધર્યા
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક મહિના પછી, પાકિસ્તાનની સરહદે આવેલા બિકાનેર જિલ્લાની મોદીની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બિકાનેર એરબેઝ પર ઉતરાણ કર્યા પછી, મોદી સૌપ્રથમ દેશનોક મંદિર પહોંચ્યા. અહીં તેમણે કરણી માતા મંદિરની મુલાકાત લીધી હતી અને દેશનોક રેલવે સ્ટેશન પહોંચ્યા. રેલવે સ્ટેશનના નવીનીકરણ સાથે 26 હજાર કરોડ રૂપિયાના અન્ય વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું.