By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ: આર્થિક સંકટ અને કઠોર નીતિઓ સામે બે લાખ લોકો રસ્તા પર ઉતર્યા, એફિલ ટાવર બંધ થતાં દેશવ્યાપી હડતાલ
    11 hours ago
    હવે મોરક્કોમાં ‘નેપાળવાળી’: 160 કાર ફુંકાઇ, 263 પોલીસ ઘાયલ
    1 day ago
    ચીનમાં ખુલ્યો વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ, મુસાફરીનો સમય બે કલાકથી ઘટાડીને માત્ર બે મિનિટ કર્યો
    2 days ago
    ટ્રમ્પ અને કોંગ્રેસ ફંડિંગ ડીલ સુધી પહોંચવામાં નિષ્ફળ, યુએસ સરકારમાં શટડાઉનની સ્થિતિ
    2 days ago
    ફિલિપાઈન્સમાં પ્રચંડ ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 69, 100થી વધુ ઘાયલ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા
    7 hours ago
    ભારતના લોકો ક્યારેય અન્યાય સહન કરી શકશે નહીં : પુતિન
    10 hours ago
    ઉત્તરપ્રદેશના સંભલમાં મસ્જિદ, મદરેસા, મેરેજ હોલ પર બુલડોઝર ફેરવાયું, ભારે પોલીસ બંદોબસ્ત
    1 day ago
    એલર્ટ: 75 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની IMDની આગાહી
    1 day ago
    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    4 days ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    4 days ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    4 days ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    4 days ago
    રમતના મેદાન પર ઓપરેશન સિંદૂર: પીએમ મોદીએ એશિયા કપ ફાઇનલમાં ભારતીય ટીમની રોમાંચક જીત પર અભિનંદન આપ્યા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    1 day ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    1 day ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    4 days ago
    દિલજીત -પરિણિતીની અમર સિંહ ચમકીલા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ
    6 days ago
    સરદારજી 3 વિવાદ બાદ દિલજીત દોસાંઝે ભારત-પાકિસ્તાનની મેચો પર કટાક્ષ કર્યો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    2 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    1 week ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    2 weeks ago
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    1 week ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    1 week ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાષ્ટ્ર સાધનાનાં 100 વર્ષ: સંઘ શતાબ્દીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ લેખ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > રાષ્ટ્ર સાધનાનાં 100 વર્ષ: સંઘ શતાબ્દીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ લેખ
રાષ્ટ્રીય

રાષ્ટ્ર સાધનાનાં 100 વર્ષ: સંઘ શતાબ્દીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ લેખ

Khaskhabar Editor
Last updated: 2025/10/02 at 5:17 PM
Khaskhabar Editor 1 day ago
Share
8 Min Read
SHARE

જે રીતે વિશાળ નદીઓના કિનારે માનવ સભ્યતાઓ વિકસે છે એ જ રીતે સંઘના કિનારે સેંકડો જીવન પુષ્પિત-
પલ્લવિત થયાં છે

100 વર્ષ પહેલાં વિજયાદશમીના મહાપર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ. આ હજારો વર્ષોથી ચાલતી આવતી એ પરંપરાનું પુનર્સ્થાપન હતું, જેમાં રાષ્ટ્રચેતના સમયે-સમયે એ યુગના પડકારોનો સામનો કરવા માટે નવા-નવા અવતારોમાં પ્રગટ થતી રહે છે. આ યુગમાં સંઘ એ અનાદિ રાષ્ટ્ર ચેતનાનો પુણ્ય અવતાર છે. આપણને સંઘ શતાબ્દી વર્ષ જેવો મહાન અવસર જોવા મળી રહ્યો છે એ આપણી પેઢીના સ્વયંસેવકોનું સૌભાગ્ય છે. આ અવસરે રાષ્ટ્રસેવાના સંકલ્પને સમર્પિત કોટિ-કોટિ સ્વયંસેવકોને શુભકામનાઓ પાઠવું છું. સંઘના સંસ્થાપક, આપણા સૌના આદર્શ પરમ પૂજ્ય ડોક્ટર હેડગેવારજીના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. સંઘની 100 વર્ષની આ ગૌરવમયી યાત્રાની સ્મૃતિમાં ભારત સરકારે વિશેષ ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડ્યાં છે.
જે રીતે વિશાળ નદીઓના કિનારે માનવ સભ્યતાઓ વિકસે છે એ જ રીતે સંઘના કિનારે સેંકડો જીવન પુષ્પિત-પલ્લવિત થયાં છે. જેમ એક નદી જે માર્ગ વહે એ ક્ષેત્રોને પોતાના જળથી સમૃદ્ધ કરે છે એ જ રીતે સંઘે આ દેશના દરેક ક્ષેત્ર, સમાજના દરેક આયામને સ્પર્શ કર્યો છે. જે રીતે એક નદી અનેક ધારાઓમાં પ્રગટ થાય છે, સંઘની યાત્રા પણ એવી જ છે. સંઘનાં અલગ-અલગ સંગઠનો પણ જીવનના દરેક પક્ષ સાથે જોડાઈને રાષ્ટ્રની સેવા કરે છે. શિક્ષણ, કૃષિ, સમાજ કલ્યાણ, આદિવાસી કલ્યાણ, મહિલા સશક્તિકરણસમાજ જીવનનાં અનેક એવાં ક્ષેત્રોમાં સંઘ નિરંતર કાર્ય કરતો રહ્યો છે. વિવિધ ક્ષેત્રોમાં કામ કરતાં દરેક સંગઠનનો ઉદ્દેશ્ર્ય એક જ છે, ભાવ એક જ છે રાષ્ટ્રપ્રથમ.
રચના બાદથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રનિર્માણનો વિરાટ ઉદ્દેશ્ર્ય લઈને ચાલ્યો. આ ઉદ્દેશ્ર્યની પૂરતી માટે સંઘ વ્યક્તિનિર્માણથી રાષ્ટ્રનિર્માણનો માર્ગ પસંદ કર્યો અને જે કાર્યપદ્ધતિ પસંદ કરી એ હતી નિત્ય-નિયમિત ચાલતી શાખાઓ. સંઘ શાખાનું મેદાન એક એવી પ્રેરણાભૂમિ છે, જ્યાંથી સ્વયંસેવકની ‘અહમથી વયમ્’ની યાત્રા શરૂ થાય છે. સંઘની શાખાઓ વ્યક્તિનિર્માણની યજ્ઞવેદી છે.
રાષ્ટ્રનિર્માણનો મહાન ઉદ્દેશ્ર્ય, વ્યક્તિનિર્માણનો સ્પષ્ટ પાઠ અને શાખા જેવી સરળ, જીવંત કાર્યપદ્ધતિ જ સંઘનાં સો વર્ષની યાત્રાનાં આધાર બન્યાં. આ જ સ્તંભો પર રહીને સંઘે લાખો સ્વયંસેવકો ઘડ્યા, જેઓ વિવિધ ક્ષેત્રોમાં દેશને આગળ વધારી રહ્યા છે.
સંઘ જ્યારથી અસ્તિત્વમાં આવ્યો, સંઘ માટે દેશની પ્રાથમિકતા જ પોતાની પ્રાથમિકતા રહી. સ્વતંત્રતાના સંઘર્ષ સમયે પરમ પૂજ્ય ડોક્ટર હેડગેવારજી સહિત અનેક કાર્યકર્તાઓએ સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો, અનેક વખત જેલ પણ ગયા. સ્વતંત્રતાના સંઘર્ષમાં કેટલાય સ્વતંત્રતા સેનાનીઓને સંઘ સંરક્ષણ આપતો રહ્યો, તેમની સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું. સ્વતંત્રતા બાદ પણ સંઘ નિરંતર રાષ્ટ્રસાધનામાં લાગેલો રહ્યો. આ યાત્રામાં સંઘ વિરુદ્ધ ષડ્યંત્ર પણ થયાં, સંઘને કચડવાના પણ પ્રયાસ થયા. ઋષિતુલ્ય પરમ પૂજ્ય ગુરુજીને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા, પરંતુ સંઘના સ્વયંસેકોએ ક્યારેય કોઈ કટુતાને સ્થાન ન આપ્યું. કારણ કે તેઓ જાણે છે કે આપણે સમાજથી અલગ નથી, સમાજ આપણાથી જ બન્યો છે. સમાજ સાથે એકાત્મતા અને બંધારણીય સંસ્થાઓ પ્રત્યે આસ્થા સંઘના સ્વયંસેવકોને દરેક સંકટમાં સ્થિતપ્રજ્ઞ રાખ્યા છે. સમાજ પ્રત્યે સંવેદનશીલ બનાવી રાખ્યા છે.

- Advertisement -

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સો વર્ષ પૂર્ણ થવા પર તેમની વેબસાઈટ પર હિન્દીમાં એક વિશેષ લેખ લખ્યો છે. જે અનુવાદ કરી અહીં શબ્દશ: પ્રસ્તુત છે.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ની શતાબ્દીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સો વર્ષની યાત્રાને યાદ કરી

પોતે કષ્ટ ઉઠાવીને બીજાની પીડા દૂર કરવી એ જ સ્વયંસેવકની ઓળખ છે

- Advertisement -

આરંભથી જ સંઘ રાષ્ટ્રભક્તિ અને સેવાનો પર્યાય રહ્યો છે. જ્યારે વિભાજનની પીડાએ લાખો પરિવારોને બેઘર બનાવી દીધા ત્યારે સ્વયંસેવકોએ શરણાર્થીઓની સેવા કરી. દરેક આપત્તિમાં સંઘના સ્વયંસેવકો સીમિત સંસાધનો સાથે પણ સૌથી આગળ રહ્યા. આ માત્ર રાહત નહીં પણ રાષ્ટ્રની આત્માને સંબલ આપવાનું કાર્ય હતું. પોતે કષ્ટ ઉઠાવીને બીજાની પીડા દૂર કરવી એ જ સ્વયંસેવકની ઓળખ છે. આજે પણ પ્રાકૃતિક આપદામાં દરેક ઠેકાણે સ્વયંસેવકો સૌથી પહેલા પહોંચનારાઓમાંથી એક હોય છે.
પોતાની સો વર્ષની આ યાત્રામાં સંઘે સમાજના અલગ-અલગ વર્ગોમાં આત્મબોધ અને સ્વાભિમાન જગાવ્યાં. સંઘ દેશનાં એ ક્ષેત્રોમાં પણ કામ કરતો રહ્યો જે દુર્ગમ છે, જ્યાં પહોંચવું સૌથી કઠિન છે. સંઘ દાયકાઓથી આદિવાસી પરંપરા, આદિવાસી રીતિ-રિવાજ, આદિવાસી મૂલ્યોના સંરક્ષણ માટે યોગદાન આપતો રહ્યો, કર્તવ્ય નિભાવતો રહ્યો. આજે સેવા ભરતી, વિદ્યાભારતી, એકલ વિદ્યાલય, વનવાસી કલ્યાણ આશ્રમ, આદિવાસી સમાજ સશક્તિકરણના સ્તંભ બનીને ઊભર્યાં છે.
સમાજમાં સદીઓથી ઘર કરી ગયેલી બીમારીઓ, ઊંચ-નીચની ભાવનાઓ, કુપ્રથાઓ હિંદુ સમાજ માટે મોટા પડકાર રહ્યાં છે. આ એક એવી ગંભીર ચિંતા છે જેની ઉપર સંઘે પણ સતત કામ કર્યું છે. ડોક્ટર સાહેબથી લઈને આજ સુધી સંઘની દરેક મહાન વિભૂતિએ, દરેક સર સંઘચાલકે ભેદભાવ અને છૂતઅછૂત વિરુદ્ધ લડાઈ લડી છે. પરમ પૂજ્ય ગુરુજી નિરંતર ‘ન હિન્દુ પતિતો ભવેત’ની ભાવના આગળ ધપાવી. પૂજ્ય બાલા સાહેબ દેવરસજી કહેતા હતા કે, ‘છૂતઅછૂત જો પાપ ન હોય તો દુનિયામાં કોઈ પાપ નથી.’ સરસંઘચાલક રહેતાં પૂજ્ય રજ્જુ ભૈયાજી અને પૂજ્ય સુદર્શનજીએ પણ આ જ ભાવનાને આગળ વધારી. વર્તમાન સરસંઘચાલક આદરણીય મોહન ભાગવતજીએ પણ સમરસતા માટે સમાજ સામે એક કૂવો, એક મંદિર અને એક સ્મશાનનું સ્પષ્ટ લક્ષ્યાંક રાખ્યું છે.
જ્યારે સો વર્ષ પહેલાં સંઘ અસ્તિત્વમાં આવ્યો ત્યારે જરૂરિયાતો અને તે સમયના સંઘર્ષો અલગ હતાં. આજે સો વર્ષો બાદ જ્યારે ભારત વિકસિત થવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આજના સમયના પડકારો અલગ છે, સંઘર્ષો અલગ છે. બીજા દેશો પર આર્થિક નિર્ભરતા, આપણી એકતાને તોડવાનાં ષડ્યંત્રો, ડેમોગ્રાફીમાં બદલાવનાં ષડ્યંત્ર, આપણી સરકાર આ પડકારો સામે લડી રહી છે. મને આનંદ એ વાતનો છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ આ જ પડકારો સામે લડવા માટે ઠોસ રોડમેપ પણ બનાવ્યો છે.
સંઘનાં પંચ પરિવર્તન સ્વબોધ, સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, નાગરિક શિષ્ટાચાર અને પર્યાવરણ દરેક સ્વયંસેવક માટે દેશ સામેના પડકારોને પરાસ્ત કરવા માટે બહુ મોટી પ્રેરણા છે.
સ્વબોધની ભાવનાનો ઉદ્દેશ્ર્ય ગુલામીની માનસિકતાથી મુક્ત થઈને પોતાના વારસા પર ગર્વ અને સ્વદેશના મૂળ સંકલ્પને આગળ વધારવાનો છે. સામાજિક સમરસતા થકી વંચિતને વરિયતા આપીને સામાજિક ન્યાયની સ્થાપનાનું પ્રણ છે. આજે આપણી સામાજિક સમરસતાને ઘૂસણખોરોના કારણે ડેમોગ્રાફીમાં આવતા ફેરફારોથી પણ મોટો પડકાર મળ્યો છે. દેશે પણ તેના નિદાન માટે ડેમોગ્રાફી મિશનની ઘોષણા કરી છે. આપણે કુટુંબ પ્રબોધન એટલે કે પરિવાર સંસ્કૃતિ અને મૂલ્યોને પણ મજબૂત બનાવવાનાં છે. નાગરિક શિષ્ટાચાર થકી નાગરિક કર્તવ્યોના બોધનું દરેક દેશવાસીમાં સિંચન કરવાનું છે. આ સાથે પર્યાવરણની રક્ષા કરીને આવનારી પેઢીઓ માટે ભવિષ્ય સુરક્ષિત રાખવાનું છે.
આ સંકલ્પો લઈને સંઘ હવે આગલી શતાબ્દીની યાત્રા શરૂ કરી રહ્યો છે. 2047ના વિકસિત ભારતમાં સંઘનું દરેક યોગદાન દેશની ઊર્જા વધારશે, દેશને પ્રેરણા આપશે. ફરી એક વખત સ્વયંસેવકોને અનેક-અનેક શુભકામનાઓ.

સંઘ દેશનાં એ ક્ષેત્રોમાં પણ કામ કરતો રહ્યો જે દુર્ગમ છે, જ્યાં પહોંચવું સૌથી કઠિન છે: સંઘ દાયકાઓથી આદિવાસી પરંપરા, આદિવાસી રીતિ-રિવાજ, આદિવાસી મૂલ્યોના સંરક્ષણ માટે યોગદાન આપતો રહ્યો, કર્તવ્ય નિભાવતો રહ્યો: આજે સેવા ભરતી, વિદ્યાભારતી, એકલ વિદ્યાલય, વનવાસી કલ્યાણ આશ્રમ, આદિવાસી સમાજ સશક્તિકરણના સ્તંભ બનીને ઊભર્યાં છે

 

You Might Also Like

કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા

ભારતના લોકો ક્યારેય અન્યાય સહન કરી શકશે નહીં : પુતિન

ઉત્તરપ્રદેશના સંભલમાં મસ્જિદ, મદરેસા, મેરેજ હોલ પર બુલડોઝર ફેરવાયું, ભારે પોલીસ બંદોબસ્ત

એલર્ટ: 75 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની IMDની આગાહી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

TAGGED: Special article
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એલર્ટ: 75 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની IMDની આગાહી
Next Article ઉત્તરપ્રદેશના સંભલમાં મસ્જિદ, મદરેસા, મેરેજ હોલ પર બુલડોઝર ફેરવાયું, ભારે પોલીસ બંદોબસ્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
મોદીએ જ્યારે નિકોલમાં સભા કરી ત્યારે જ જગદીશ વિશ્ર્વકર્મા અધ્યક્ષ બનશે તેની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ હતી
વાપીમાં MD ડ્રગ્સનું કારખાનું ઝડપાયું, 25 કરોડના મુદ્દામાલ સાથે 5ની ધરપકડ
જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રમુખ
મુંબઈથી ગાડી આવી રે..હો દરિયાલાલા ગોપી રાસોત્સવમાં બહેનોની કલા ખીલી ઉઠી
મરિન પિપાવાવ પોલીસ સ્ટેશન ખાતે વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

ભારતના લોકો ક્યારેય અન્યાય સહન કરી શકશે નહીં : પુતિન

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશના સંભલમાં મસ્જિદ, મદરેસા, મેરેજ હોલ પર બુલડોઝર ફેરવાયું, ભારે પોલીસ બંદોબસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?