By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    2 days ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    3 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    3 days ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    3 days ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    3 days ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    3 days ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    3 days ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    4 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    3 days ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    5 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    5 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    5 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    3 days ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    5 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    6 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    1 week ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 days ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 days ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    7 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    1 week ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    2 weeks ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    2 weeks ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાષ્ટ્ર સાધનાનાં 100 વર્ષ: સંઘ શતાબ્દીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ લેખ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > રાષ્ટ્ર સાધનાનાં 100 વર્ષ: સંઘ શતાબ્દીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ લેખ
રાષ્ટ્રીય

રાષ્ટ્ર સાધનાનાં 100 વર્ષ: સંઘ શતાબ્દીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ લેખ

Khaskhabar Editor
Last updated: 2025/10/02 at 5:17 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
8 Min Read
SHARE

જે રીતે વિશાળ નદીઓના કિનારે માનવ સભ્યતાઓ વિકસે છે એ જ રીતે સંઘના કિનારે સેંકડો જીવન પુષ્પિત-
પલ્લવિત થયાં છે

100 વર્ષ પહેલાં વિજયાદશમીના મહાપર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ. આ હજારો વર્ષોથી ચાલતી આવતી એ પરંપરાનું પુનર્સ્થાપન હતું, જેમાં રાષ્ટ્રચેતના સમયે-સમયે એ યુગના પડકારોનો સામનો કરવા માટે નવા-નવા અવતારોમાં પ્રગટ થતી રહે છે. આ યુગમાં સંઘ એ અનાદિ રાષ્ટ્ર ચેતનાનો પુણ્ય અવતાર છે. આપણને સંઘ શતાબ્દી વર્ષ જેવો મહાન અવસર જોવા મળી રહ્યો છે એ આપણી પેઢીના સ્વયંસેવકોનું સૌભાગ્ય છે. આ અવસરે રાષ્ટ્રસેવાના સંકલ્પને સમર્પિત કોટિ-કોટિ સ્વયંસેવકોને શુભકામનાઓ પાઠવું છું. સંઘના સંસ્થાપક, આપણા સૌના આદર્શ પરમ પૂજ્ય ડોક્ટર હેડગેવારજીના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. સંઘની 100 વર્ષની આ ગૌરવમયી યાત્રાની સ્મૃતિમાં ભારત સરકારે વિશેષ ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડ્યાં છે.
જે રીતે વિશાળ નદીઓના કિનારે માનવ સભ્યતાઓ વિકસે છે એ જ રીતે સંઘના કિનારે સેંકડો જીવન પુષ્પિત-પલ્લવિત થયાં છે. જેમ એક નદી જે માર્ગ વહે એ ક્ષેત્રોને પોતાના જળથી સમૃદ્ધ કરે છે એ જ રીતે સંઘે આ દેશના દરેક ક્ષેત્ર, સમાજના દરેક આયામને સ્પર્શ કર્યો છે. જે રીતે એક નદી અનેક ધારાઓમાં પ્રગટ થાય છે, સંઘની યાત્રા પણ એવી જ છે. સંઘનાં અલગ-અલગ સંગઠનો પણ જીવનના દરેક પક્ષ સાથે જોડાઈને રાષ્ટ્રની સેવા કરે છે. શિક્ષણ, કૃષિ, સમાજ કલ્યાણ, આદિવાસી કલ્યાણ, મહિલા સશક્તિકરણસમાજ જીવનનાં અનેક એવાં ક્ષેત્રોમાં સંઘ નિરંતર કાર્ય કરતો રહ્યો છે. વિવિધ ક્ષેત્રોમાં કામ કરતાં દરેક સંગઠનનો ઉદ્દેશ્ર્ય એક જ છે, ભાવ એક જ છે રાષ્ટ્રપ્રથમ.
રચના બાદથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રનિર્માણનો વિરાટ ઉદ્દેશ્ર્ય લઈને ચાલ્યો. આ ઉદ્દેશ્ર્યની પૂરતી માટે સંઘ વ્યક્તિનિર્માણથી રાષ્ટ્રનિર્માણનો માર્ગ પસંદ કર્યો અને જે કાર્યપદ્ધતિ પસંદ કરી એ હતી નિત્ય-નિયમિત ચાલતી શાખાઓ. સંઘ શાખાનું મેદાન એક એવી પ્રેરણાભૂમિ છે, જ્યાંથી સ્વયંસેવકની ‘અહમથી વયમ્’ની યાત્રા શરૂ થાય છે. સંઘની શાખાઓ વ્યક્તિનિર્માણની યજ્ઞવેદી છે.
રાષ્ટ્રનિર્માણનો મહાન ઉદ્દેશ્ર્ય, વ્યક્તિનિર્માણનો સ્પષ્ટ પાઠ અને શાખા જેવી સરળ, જીવંત કાર્યપદ્ધતિ જ સંઘનાં સો વર્ષની યાત્રાનાં આધાર બન્યાં. આ જ સ્તંભો પર રહીને સંઘે લાખો સ્વયંસેવકો ઘડ્યા, જેઓ વિવિધ ક્ષેત્રોમાં દેશને આગળ વધારી રહ્યા છે.
સંઘ જ્યારથી અસ્તિત્વમાં આવ્યો, સંઘ માટે દેશની પ્રાથમિકતા જ પોતાની પ્રાથમિકતા રહી. સ્વતંત્રતાના સંઘર્ષ સમયે પરમ પૂજ્ય ડોક્ટર હેડગેવારજી સહિત અનેક કાર્યકર્તાઓએ સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો, અનેક વખત જેલ પણ ગયા. સ્વતંત્રતાના સંઘર્ષમાં કેટલાય સ્વતંત્રતા સેનાનીઓને સંઘ સંરક્ષણ આપતો રહ્યો, તેમની સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું. સ્વતંત્રતા બાદ પણ સંઘ નિરંતર રાષ્ટ્રસાધનામાં લાગેલો રહ્યો. આ યાત્રામાં સંઘ વિરુદ્ધ ષડ્યંત્ર પણ થયાં, સંઘને કચડવાના પણ પ્રયાસ થયા. ઋષિતુલ્ય પરમ પૂજ્ય ગુરુજીને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા, પરંતુ સંઘના સ્વયંસેકોએ ક્યારેય કોઈ કટુતાને સ્થાન ન આપ્યું. કારણ કે તેઓ જાણે છે કે આપણે સમાજથી અલગ નથી, સમાજ આપણાથી જ બન્યો છે. સમાજ સાથે એકાત્મતા અને બંધારણીય સંસ્થાઓ પ્રત્યે આસ્થા સંઘના સ્વયંસેવકોને દરેક સંકટમાં સ્થિતપ્રજ્ઞ રાખ્યા છે. સમાજ પ્રત્યે સંવેદનશીલ બનાવી રાખ્યા છે.

- Advertisement -

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સો વર્ષ પૂર્ણ થવા પર તેમની વેબસાઈટ પર હિન્દીમાં એક વિશેષ લેખ લખ્યો છે. જે અનુવાદ કરી અહીં શબ્દશ: પ્રસ્તુત છે.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ની શતાબ્દીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સો વર્ષની યાત્રાને યાદ કરી

પોતે કષ્ટ ઉઠાવીને બીજાની પીડા દૂર કરવી એ જ સ્વયંસેવકની ઓળખ છે

- Advertisement -

આરંભથી જ સંઘ રાષ્ટ્રભક્તિ અને સેવાનો પર્યાય રહ્યો છે. જ્યારે વિભાજનની પીડાએ લાખો પરિવારોને બેઘર બનાવી દીધા ત્યારે સ્વયંસેવકોએ શરણાર્થીઓની સેવા કરી. દરેક આપત્તિમાં સંઘના સ્વયંસેવકો સીમિત સંસાધનો સાથે પણ સૌથી આગળ રહ્યા. આ માત્ર રાહત નહીં પણ રાષ્ટ્રની આત્માને સંબલ આપવાનું કાર્ય હતું. પોતે કષ્ટ ઉઠાવીને બીજાની પીડા દૂર કરવી એ જ સ્વયંસેવકની ઓળખ છે. આજે પણ પ્રાકૃતિક આપદામાં દરેક ઠેકાણે સ્વયંસેવકો સૌથી પહેલા પહોંચનારાઓમાંથી એક હોય છે.
પોતાની સો વર્ષની આ યાત્રામાં સંઘે સમાજના અલગ-અલગ વર્ગોમાં આત્મબોધ અને સ્વાભિમાન જગાવ્યાં. સંઘ દેશનાં એ ક્ષેત્રોમાં પણ કામ કરતો રહ્યો જે દુર્ગમ છે, જ્યાં પહોંચવું સૌથી કઠિન છે. સંઘ દાયકાઓથી આદિવાસી પરંપરા, આદિવાસી રીતિ-રિવાજ, આદિવાસી મૂલ્યોના સંરક્ષણ માટે યોગદાન આપતો રહ્યો, કર્તવ્ય નિભાવતો રહ્યો. આજે સેવા ભરતી, વિદ્યાભારતી, એકલ વિદ્યાલય, વનવાસી કલ્યાણ આશ્રમ, આદિવાસી સમાજ સશક્તિકરણના સ્તંભ બનીને ઊભર્યાં છે.
સમાજમાં સદીઓથી ઘર કરી ગયેલી બીમારીઓ, ઊંચ-નીચની ભાવનાઓ, કુપ્રથાઓ હિંદુ સમાજ માટે મોટા પડકાર રહ્યાં છે. આ એક એવી ગંભીર ચિંતા છે જેની ઉપર સંઘે પણ સતત કામ કર્યું છે. ડોક્ટર સાહેબથી લઈને આજ સુધી સંઘની દરેક મહાન વિભૂતિએ, દરેક સર સંઘચાલકે ભેદભાવ અને છૂતઅછૂત વિરુદ્ધ લડાઈ લડી છે. પરમ પૂજ્ય ગુરુજી નિરંતર ‘ન હિન્દુ પતિતો ભવેત’ની ભાવના આગળ ધપાવી. પૂજ્ય બાલા સાહેબ દેવરસજી કહેતા હતા કે, ‘છૂતઅછૂત જો પાપ ન હોય તો દુનિયામાં કોઈ પાપ નથી.’ સરસંઘચાલક રહેતાં પૂજ્ય રજ્જુ ભૈયાજી અને પૂજ્ય સુદર્શનજીએ પણ આ જ ભાવનાને આગળ વધારી. વર્તમાન સરસંઘચાલક આદરણીય મોહન ભાગવતજીએ પણ સમરસતા માટે સમાજ સામે એક કૂવો, એક મંદિર અને એક સ્મશાનનું સ્પષ્ટ લક્ષ્યાંક રાખ્યું છે.
જ્યારે સો વર્ષ પહેલાં સંઘ અસ્તિત્વમાં આવ્યો ત્યારે જરૂરિયાતો અને તે સમયના સંઘર્ષો અલગ હતાં. આજે સો વર્ષો બાદ જ્યારે ભારત વિકસિત થવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આજના સમયના પડકારો અલગ છે, સંઘર્ષો અલગ છે. બીજા દેશો પર આર્થિક નિર્ભરતા, આપણી એકતાને તોડવાનાં ષડ્યંત્રો, ડેમોગ્રાફીમાં બદલાવનાં ષડ્યંત્ર, આપણી સરકાર આ પડકારો સામે લડી રહી છે. મને આનંદ એ વાતનો છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ આ જ પડકારો સામે લડવા માટે ઠોસ રોડમેપ પણ બનાવ્યો છે.
સંઘનાં પંચ પરિવર્તન સ્વબોધ, સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, નાગરિક શિષ્ટાચાર અને પર્યાવરણ દરેક સ્વયંસેવક માટે દેશ સામેના પડકારોને પરાસ્ત કરવા માટે બહુ મોટી પ્રેરણા છે.
સ્વબોધની ભાવનાનો ઉદ્દેશ્ર્ય ગુલામીની માનસિકતાથી મુક્ત થઈને પોતાના વારસા પર ગર્વ અને સ્વદેશના મૂળ સંકલ્પને આગળ વધારવાનો છે. સામાજિક સમરસતા થકી વંચિતને વરિયતા આપીને સામાજિક ન્યાયની સ્થાપનાનું પ્રણ છે. આજે આપણી સામાજિક સમરસતાને ઘૂસણખોરોના કારણે ડેમોગ્રાફીમાં આવતા ફેરફારોથી પણ મોટો પડકાર મળ્યો છે. દેશે પણ તેના નિદાન માટે ડેમોગ્રાફી મિશનની ઘોષણા કરી છે. આપણે કુટુંબ પ્રબોધન એટલે કે પરિવાર સંસ્કૃતિ અને મૂલ્યોને પણ મજબૂત બનાવવાનાં છે. નાગરિક શિષ્ટાચાર થકી નાગરિક કર્તવ્યોના બોધનું દરેક દેશવાસીમાં સિંચન કરવાનું છે. આ સાથે પર્યાવરણની રક્ષા કરીને આવનારી પેઢીઓ માટે ભવિષ્ય સુરક્ષિત રાખવાનું છે.
આ સંકલ્પો લઈને સંઘ હવે આગલી શતાબ્દીની યાત્રા શરૂ કરી રહ્યો છે. 2047ના વિકસિત ભારતમાં સંઘનું દરેક યોગદાન દેશની ઊર્જા વધારશે, દેશને પ્રેરણા આપશે. ફરી એક વખત સ્વયંસેવકોને અનેક-અનેક શુભકામનાઓ.

સંઘ દેશનાં એ ક્ષેત્રોમાં પણ કામ કરતો રહ્યો જે દુર્ગમ છે, જ્યાં પહોંચવું સૌથી કઠિન છે: સંઘ દાયકાઓથી આદિવાસી પરંપરા, આદિવાસી રીતિ-રિવાજ, આદિવાસી મૂલ્યોના સંરક્ષણ માટે યોગદાન આપતો રહ્યો, કર્તવ્ય નિભાવતો રહ્યો: આજે સેવા ભરતી, વિદ્યાભારતી, એકલ વિદ્યાલય, વનવાસી કલ્યાણ આશ્રમ, આદિવાસી સમાજ સશક્તિકરણના સ્તંભ બનીને ઊભર્યાં છે

 

You Might Also Like

દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે

AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી

અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ

તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ

દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા

TAGGED: Special article
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એલર્ટ: 75 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની IMDની આગાહી
Next Article ઉત્તરપ્રદેશના સંભલમાં મસ્જિદ, મદરેસા, મેરેજ હોલ પર બુલડોઝર ફેરવાયું, ભારે પોલીસ બંદોબસ્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાષ્ટ્રીય

AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ-ખબરરાષ્ટ્રીય

અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?