મહેમૂદ બેગડાએ તોડેલા શિખર પર ઙખ નરેન્દ્ર મોદીએ કર્યું ધ્વજારોહણ
સદીઓ બદલાય છે, પણ આસ્થાનું શિખર શાશ્ર્વત રહે છે : PM મોદી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાવગઢ શક્તિપીઠ સ્થિત મહાકાળી માતાનાં દર્શન કર્યા હતા. શક્તિપીઠના નવનિર્મિત શિખર પર ઙખ મોદીએ ધ્વજારોહણ કર્યું હતું અને સાથે જ માતાજીના શિખર પર 500 વર્ષમાં પહેલીવાર ધજા લહેરાઈ હતી. ઉલ્લેખનીય છે કે 500 વર્ષ પહેલાં મહેમૂદ બેગડાએ મહાકાળી માતાના મંદિર પર આક્રમણ કરી તેના શિખરને ખંડિત કર્યું હતું ને ત્યારથી અહીં ધજા નહોતી. વડાપ્રધાનના માર્ગદર્શનમાં મંદિરના જીર્ણોદ્ધાર સાથે નવનિર્મિત શિખર બન્યું, એના પર આજે 5 સદી બાદ પહેલીવાર ધજા લહેરાઈ હતી.
આજે સવારે માતા હીરાબાને મળ્યા બાદ વડાપ્રધાન મોદી પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં મહાકાળી માતાનાં દર્શન કરીને ઙખ મોદીએ વિકાસકામોનું લોકાર્પણ કર્યુું હતું અને ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ તેમના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તેઓ પાવાગઢથી વડોદરા આવવા માટે નીકળી ગયા છે.
ગર્ભગૃહને યથાવત રાખી સંપૂર્ણ નવું મંદિર
- Advertisement -
પાવાગઢની ટોચ પર માતાજીના મંદિરનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગર્ભગૃહને બાદ કરતાં આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે. અગાઉ મંદિરની પાછળ દરગાહ હતી, જેને સમજાવટથી સર્વસંમતિ સાથે ખસેડવામાં આવી હતી. મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવતાં 2000 લોકો સાથે દર્શન કરી શકશે. માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી 2200 પગથિયાં બનાવવામાં આવ્યાં છે. જ્યારે અપર સ્ટેશનથી દૂધિયા તળાવ સુધી 500 નવાં પગથિયાં બનાવવામાં આવ્યાં છે. આગામી સમયમાં પાવાગઢ ખાતે યજ્ઞશાળાનું નિર્માણ કરાશે, સાથે જ દૂધિયા તળાવથી મંદિર સુધી પહોંચવા માટે બે વિશાળ લિફ્ટ પણ બનાવવામાં આવશે, સાથે જ મંદિરના સમગ્ર સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દૂધિયા અને છાસિયા તળાવને જોડતા પ્રદક્ષિણા પથનું પણ નિર્માણ થશે.
પાવાગઢનાં નવા મંદિર પરિસરની ખાસ જાણવા જેવી વાતો
500 વર્ષથી વધુના આ અપમાન બાદ હવે પાવાગઢ મંદિરને નવો ઓપ મળ્યો છે. 5 વર્ષપહેલા શરૂ થયેલ જીર્ણોદ્ધારના કામ બાદ અંતે શિખર પરનું મંદિર પરિસર અને મંદિરનુ ગર્ભગૃહ બનીને તૈયાર થયું છે.
નવનિર્મિત મહાકાળી મંદિરમાં ગર્ભગૃહ, કળશ અને ધજાદંડ સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં આવ્યા છે. મંદિરની ઉપર 7.5 કરોડ રૂપિયાના ખર્ચે કળશ અને ધજાદંડની સ્થાપના કરવામાં આવી છે જેની ઉપર ઙખ મોદીના હસ્તે ધજા ચડાવવામાં આવનાર છે.
પાવાગઢ મંદિરની ઉપર બનાવવામાં આવેલ ખુલ્લા કોરિડોરમાં એકસાથે 2000 શ્રદ્ધાળુઓ આવી શકે તે રીતે નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે જ મંદિર સુધી પહોંચવા માટેની સીડીઓને પણ પહોળી કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત મંદિરના ગર્ભગૃહ પર જે દરગાહ હતી તેનો વિવાદ કોર્ટ સુધી પહોચ્યો હતો પરંતુ અંતમાં બંને પક્ષોએ સાથે મળીને શાંતિપૂર્વક વિવાદનો અંત લાવ્યો હતો. જે બાદ એ દરગાહને ખસડીને એક ખૂણામાં કરી દેવામાં આવી હતી.
મંદિર ગર્ભગૃહ, મંદિર શિખર અને મંદિર પરિસરના જીર્ણોદ્ધારનો અંદાજિત ખર્ચ લગભગ 12 કરોડ રૂપિયા થવા પામ્યો છે જે પૂરેપૂરો મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
પાવાગઢ મંદિર સંકૂલમાં મંદિર પરિસર સિવાયના પૂરા સંકુલના વિકાસ માટે પણ જુદાજુદા વિકાસકાર્યો ચાલી રહ્યા છે જેનો અંદાજિત ખર્ચ 125 કરોડ જેટલો થવા પામશે. જેમાંથી 70% ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા તથા 30% ખર્ચ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.
તો આમ હવે ગુજરાતનાં પ્રખ્યાત યાત્રાધામ અને માં મહાકાળીના શક્તિપીઠ પાવાગઢ મંદિરને 500 વર્ષના લાંબા ગાળા બાદ પોતાનું માન સન્માન પાછું મળશે. 18 તારીખે મંદિર શિખર પર ઙખ મોદીના હસ્તે પહેલી ધજા લાગ્યા બાદ જ્યારે આ નવનિર્મિત મંદિર પરિસરને ભાવિ ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવશે બાદમાં આખું પરિસર ‘જય માં મહાકાળી’ ના જયકારાઓથી ગુંજી ઉઠશે.
ઈસ્લામિક આક્રાંતાને કારણે 5 સદીઓ સુધી માઁ કાળી રહ્યા ધજા વગર
ચાંપાનેર શહેરની વચ્ચે આવેલ પાવાગઢ ડુંગરની ટોચ પર માં મહાકાલીનું વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ હજારો વર્ષોથી આવેલું છે જે પાવાગઢ મંદિર તરીકે ઓળખાય છે. 15મી સદીમાં ઈસ્લામિક આક્રાંતા અને હુમલાખોર મોહમ્મદ બેગડાએ હુમલો કરીને માં કાલીના આ આ મંદિરને ધ્વસ્ત કરી દીધું હતું અને શિખરનો સંપૂર્ણ નાશ કરી દીધો હતો. હુમલામાં મંદિરનું શિખર તોડી પાડ્યાં બાદ ઇસ્લામીઓએ હિંદુઓનું અપમાન કરવા મંદિરના જ ગર્ભગૃહ પર શિખરની જ જગ્યાએ એક મુસ્લિમ દરગાહ બનાવી દીધી હતી. જેનું નામ આપ્યું હતું, સદનશાહ પીરની દરગાહ. એ હુમલા બાદ 500 વર્ષ સુધી માતાજીનાં મંદિર પર ધજા નહોતી ચડાવવામાં આવી. હિન્દુ માન્યતાઓ મુજબ જે મંદિરનુ શિખર ખંડિત હોય તે શિખર પર ધજા ચડાવવી અશુભ મનાય છે. આથી ઇસ્લામીઓએ પાવાગઢ મંદિરનુ શિખર ધ્વસ્ત કરીને ત્યાં દરગાહ બાંધી દીધી હોવાથી હિન્દુઓના આરાધ્ય માં કાલી 500 વર્ષથી વધુ સમય પોતાના જ મંદિરમાં એક મુસ્લિમની દરગાહ નીચે દબાયેલા અને ધજા વગરના રહ્યા હતા.
ભવિષ્યમાં ક્યા વિકાસ કામો થશે?
પાવાગઢ મંદિર પરિસરમાં યજ્ઞશાળા
મંદિરની નીચે દુધિયા તળાવ પાસે ભોજન શાળા અને યાત્રી નિવાસ
છાસીયા તળાવ પાસેથી મંદિર સુધી પહોંચવા માટે બે 210 ફૂટની લિફ્ટ
દુધિયા અને છાસીયા તળાવને જોડતા માર્ગને પ્રદક્ષિણા પથ તરીકે વિકસાવાસે
બંને તળાવોનું કરશે નવીનીકારણ
તળેટીમાં માંચી પાસે અતિથી ગૃહ, મલ્ટી લેવલ પાર્કિંગ