આરાધના ગ્રુપની ઝાફર’સ ટીની ચૂસકી હવે રાજકોટ-અમદાવાદ હાઈવે પર સાયલા પાસે માણી શકાશે
રાજકોટ-સૌરાષ્ટ્રના પ્રખ્યાત ઝાફરની ચાના 11માં આઉટલેટની ભેટ ચા પ્રેમીઓને મળશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.05
ચા પ્રેમીઓ માટે ખુશખબર છે કે, રાજકોટ-સૌરાષ્ટ્રના પ્રખ્યાત આરાધના ગ્રુપ – ઝાફર’સ ટીના અગિયારમાં આઉટલેટની શરૂઆત થવા જઈ રહી છે. હવેથી રાજકોટ-અમદાવાદ હાઈવે પર તરોતાજા આદુ, ફુદીના, ઈલાયચી જેવા મસાલાઓ સાથે ગિર ગાયનું દૂધનું નાખી બનાવવામાં આવતી અસલી અને અસરદાર ઝાફર ચાની ચૂસકી માણવા મળશે. આરાધના ગ્રુપની ઝાફર’સ ટીના અગિયારમાં આઉટલેટની આવતીકાલે 6 જૂનના રોજ રાજકોટ-અમદાવાદ હાઈવે પર ગોહિલરાજ પેટ્રોલપંપની બાજુમાં સાયલા ખાતે ઑપનિંગ થશે. રાજકોટના લોકો તો વર્ષોથી ઝાફરની ચાની ચૂસ્કી લઈ રહ્યા છે, હવે રાજકોટ બહારના લોકો પણ ઝાફરની ચાનો સ્વાદ માણવા માગે છે એટલે રાજકોટ રહેતા લોકો અમદાવાદ તરફ જાય ત્યારે અને રાજકોટ અમદાવાદ હાઈવે પર રહેલા લોકો કાયમી ઝાફર’સ ટીની ચૂસ્કી માણી શકે તે માટે આરાધના ગ્રુપ દ્વારા ગોહિલરાજ પેટ્રોલપંપની બાજુમાં સાયલા ખાતે ઝાફર’સ ટીનું આઉટલેટ શરૂ કરવામાં આવ્યું છે. ઝાફર’સ ટીનું આ આઉટલેટ શરૂ થતાં રાજકોટ-અમદાવાદ જતા-આવતા લોકો અને સાયલા આસપાસના પંથકમાં રહેતા ચા પ્રેમીઓમાં એક અનેરી ખુશી ફેલાઈ ગઈ છે કે, હવેથી અસલ અને અસરદાર ઝાફરની ચાની મજા આસાનીથી માણી શકાશે.
ઝાફર’સ ટીના આઉટલેટ ક્યાં-ક્યાં આવેલા છે?
* એસ્ટ્રોન ચોક
* રૈયા રોડ
* અયોધ્યા ચોક
* રાજનગર
* સોની બજાર
* મેટોડા GIDC
* બસ્ટસ્ટેન્ડ પાછળ
* પેડક રોડ
* પુષ્કરધામ
* લજાઈ ચોકડી હોનેસ્ટ
* સાયલા નજીક