ખાસ-ખબર ન્યૂઝ ઈં જૂનાગઢ, તા.12
જૂનાગઢમાં ગણેશ વિસર્જન સમયે ખોડિયાર ઘુનામાં ડૂબી જતા એક યુવકનું મોત નિપજ્યું છે. ખોડિયાર ઘુનામાં ગણેશ વિસર્જન સમયે આવેલો એક યુવક અકસ્માતે ડૂબી ગયા બાદ તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેનો 12 કલાક બાદ મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.હાલ જ્યારે ગણેશ મહોત્સવ ચાલી રહીયો છે ત્યારે જિલ્લામાં તેમજ જુનાગઢ શહેરની જિલ્લામાં સોસાયટી અને શેરી ગલીઓમાં ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વાલ્મિકી સમાજ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગણેશ વિસર્જન 24 વર્ષીય રોહિત વાઘેલા નામ નો યુવાન ગણેશ વિસર્જન કરવા ભવનાથ નજીક આવેલા ખોડીયાર ઘુનામાં ગયો હતો જ્યાં ડૂબ્યો હતો. ફાયર વિભાગ, જઉછઋની ટીમ દ્વારા 12 કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
વાલ્મિક સમાજના અગ્રણી વિજય વાળાએ જણાવ્યું હતું કે, વાલ્મિકી સમાજમાં ગણેશજીની મૂર્તિ બેસાડવામાં આવી હતી. આજે તેનું વિસર્જન હતું જેમાં અનેક લોકો વિસર્જનમાં જોડાયા હતા.જેમાં વાલ્મિકી સમાજનો રોહિત વાઘેલા નામનો યુવાન ડૂબ્યો હતો. જેને લઇ જુનાગઢ મહાનગરપાલિકાની ફાયર વિભાગ તેમજ SDRF ટીમ દ્વારા તેને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે 12 કલાકની મહામહેનત બાદ આજે આ યુવાનનું મૃતદેહ મળી આવ્યો છે.