મુંબઈ પોલીસે આદિપુરુષ ફિલ્મનાં રાઈટર મનોજ મુંતશિરની સિક્યોરિટી આપવાની માંગને મંજૂર કરી છે.
આદિપુરુષ ફિલ્મ પર સતત વિવાદ ચાલી રહ્યો છે. આદિપુરુષમાં દર્શાવવામાં આવેલા સંવાદને લઈને દર્શકો દેશભરમાં વિવાદ કરી રહ્યાં છે. આ તમામની વચ્ચે રાઈટર મનોજ મુંતશિરે મુંબઈ પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી હતી. ચાલી રહેલા વિવાદ બાદ રાઈટરે પોતાના જીવ સામે જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જો કે તમામ સંજોગોને જોયા બાદ મુંબઈ પોલીસે મુંતશિરની અરજી મંજૂર કરી છે.
- Advertisement -
ફિલ્મમાં આ ડાયલોગ્સને લઈને થઈ રહ્યો છે વિરોધ
1. હનુમાન જ્યારે લંકામાં જાય છે ત્યારે એક રાક્ષસ તેમને પૂછે છે કે,’ યે લંકા તેરી બુઆ કા બગીચા હૈ જો હવા ખાને ચલા આયા..’
2. સીતાને મળ્યાં બાદ હનુમાન જ્યારે લંકામાં રાક્ષસને પકડે છે ત્યારે મેઘનાથ તેમની પૂંછમાં આગ લગાવીને પૂછે છે- જલી? ત્યારે હનુમાન કહે છે, ‘તેલ તેરે બાપ કા, કપડાં તેરે બાપ કા ઔર જલેગી ભી તેરે બાપ કી’
3. જ્યારે હનુમાન લંકાથી પાછા ફરે છે અને રામ તેમને પૂછે છે શું થયું ત્યારે તેના જવાબમાં હનુમાન કહે છે કે’ બોલ દીયા, જો હમારી બહેનો કો હાથ લગાયેંએ ઉનકી લંકા જલા દેંગે.’
4.લક્ષ્મણ પર વાર કરતાં ઈન્દ્રજીત કહે છે’ મેરે એક સપોલે ને તુમ્હારે ઈસ શેષ નાગનો લંબા કર દીયા, અભી તો પૂરા પિટારા ભરા પડા છે.’
Mumbai Police provides security to dialogue writer of #Adipurush, Manoj Muntashir after he sought a security cover citing a threat to his life. Police say that they are investigating the matter.
(File photo) pic.twitter.com/1WiWiOhclo
- Advertisement -
— ANI (@ANI) June 19, 2023
ફિલ્મને બેન કરવાની માંગ
આદિપુરુષ ફિલ્મને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મ મેકર્સ પર હિંદૂ ભાવનાઓને ઠેંસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સંત સમાજ પણ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે અને બેન લગાવવાની માંગ કરી રહ્યાં છે. એટલું જ નહીં ભાજપ સહિત તમામ રાજનૈતિક દળોનાં નેતા પણ આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહ્યાં છે.