ખાસ-ખબર સંવાદદાતા
વર્તમાન આધુનિક રહેણીકરણીના કારણે સમાજમાં અને ખાસ કરીને મહિલાઓમાં સ્વાસ્થ્ય બાબતે મુશ્કેલીઓ વધી છે ત્યારે મહિલાઓ જો તંદુરસ્ત હશે તો સમાજ માટે લાભદાયક બનશે એમ રાજકોટના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. દર્શના પંડ્યાએ જણાવ્યું છે. મહિલાઓની તંદુરસ્તી બાબતે સતત કાર્યરત રહેતાં ડૉ. દર્શના પંડ્યા દ્વારા તાજેતરમાં ચંદ્રમૌલેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે મહિલાઓ માટે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડૉ. દર્શના પંડ્યાના જણાવ્યા અનુસાર આજકાલ અનિયમિત અને આધુનિક રહેણીકરણીના કારણે સમાજમાં અનેક રોગનું પ્રમાણ વધ્યું છે. એમાં પણ પરિવારના મહત્ત્વના અંગ સમાન મહિલાઓમાં પણ જાગૃતિના અભાવે અનેક રોગ ઘર કરી ગયાનું જોવા મળે છે. પરિવારમાં મહિલા તંદુરસ્ત હશે તો પરિવાર અને સમાજ માટે લાભદાયક બનશે એવા હેતુ સાથે ડૉ. દર્શના પંડ્યા (આશુતોષ મેટરનિટી એન્ડ સર્જિકલ હોસ્પિટલ, કોટેચાનગર મેઈન રોડ, કોટેચા ગર્લ્સ સ્કુલ સામે, રાજકોટ ફોન: 2433445) દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગથી મહિલા જાગૃતિ માટે સેમિનારોનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં ચંદ્રમૌલેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે એ વિસ્તારના બહેનો માટે સ્વસ્થ આરોગ્ય અંગે સેમિનાર યોજાયો હતો. જેમાં ડૉ. દર્શના પંડ્યા દ્વારા ધર્મ અને પુરાણોના સંદર્ભો સાથે સરળ ભાષામાં સમજણ આપી મહિલાઓ કેવી રીતે સશક્ત બની શકે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાએ શું કાળજી રાખવી, રજોનિવૃત્તિમાં થતાં ફેરફાર, સ્ત્રીઓમાં ગર્ભાશયના અને સ્તન કેન્સર વગેરે બાબતો પણ વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે નોર્મલ ડિલીવરી કઈ રીતે સરળતાથી કરી શકાય અને સ્તનપાનને ઉત્તેજન મળે એ માટે વિવિધ ટીપ્સ આપવામાં આવી હતી. બહોળી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહી સેમિનારનો લાભ લીધો હતો.
અત્રે ખાસ જણાવવાનું કે રાજકોટના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. દર્શના પંડ્યા દ્વારા વરસોથી બાળાઓ અને મહિલાઓની જાગૃતિ માટે અનેક પ્રવૃત્તિ કરવામાં આવે છે. તેમની આશુતોષ હોસ્પિટલ ખાતે દર મહિને મહિલાઓ માટે વિવિધ વિષય પર સેમિનાર યોજાય છે અને જે તે વિષયના નિષ્ણાત લોકોને બોલાવી મહિલાઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. તેઓ કોલેજમાં લેકચર લઈ તરૂણીઓને થતી વિવિધ શારીરિક તકલીફો વિશે સમજણ આપતા હોય છે. તેમની સમાજ સેવાની પ્રવૃત્તિનો વધુને વધુ મહિલાઓને લાભ મળે એ માટે વિવિધ સંસ્થાના સહયોગથી જે તે વિસ્તારમાં જઈ મહિલાઓને તેમના ઘરઆંગણે જઈ તંદુરસ્તી માટે જાગૃત કરવા તેમણે ઝુંબેશ શરૂ કરી છે જે આવકારને પાત્ર છે.
- Advertisement -
આ સેમિનારમાં વોર્ડ નં. 9ના કોર્પોરેટર આશાબેન ઉપાધ્યાય, દક્ષાબેન વસાણી, મંદિરના પ્રમુખ ઈશ્ર્વરભાઈ મોટવાણી, મંત્રી રાજેશભાઈ જોબનપુત્રા સહિત આ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડૉ. ભાવેશભાઈ જોષીએ
કર્યું હતું.



