રાજેશભાઈ ચુડાસમાએ સતત ત્રીજી ટર્મમાં પણ લોકશાહીની મર્યાદા જાળવી
ચૂંટણી પ્રચારમાં હરીફ ઉમેદવારનું નામજ ન લેવું, રાજેશભાઈની આ વાત જ પ્રજાને વાત ગમી જાય છે
- Advertisement -
રાજેશભાઈએ કરેલા કામો અને શું કામ કરશે એ વાતને લઈને પ્રજા સુધી પહોંચે છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢ લોકસભા ચૂંટણીમાં સતત ટીજી ટર્મમાં યુવા અને ઉત્સાહી એવા રાજેશ ચુડાસમાને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂકીને ફરી ટિકિટ આપી છે. ત્યારે રાજેશભાઈ ચુડાસમાએ પ્રજાનો વિશ્ર્વાસ કેળવ્યો છે એટલેજ ભાજપે ફરી ટીકીટ આપીને લોકસભા સીટ પર ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.એવા સમયે રાજેશભાઈ ચુડાસમા સતત પ્રજાની વચ્ચે રહીને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કામોની ચિંતા કરીને અનેક વિકાસ કાર્યો કરીને લોકોના હદયમાં સ્થાન મેળવ્યું છે.ત્યારે સતત ચૂંટણી પ્રવાસમાં વ્યસ્ત રાજેશભાઈને બંને જિલ્લાના લોકોએ ખુબ મોટી સંખ્યામાં પ્રતિસાદ આપ્યો છે. જૂનાગઢ – ગીર સોમાનાથ બંને જિલ્લામાં ખુબ લોકચાહના મેળવી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ફરી ત્રીજી વાર ટિકિટ આપી છે.
- Advertisement -
એવા સમયે રાજેશભાઈ ચુડાસમાએ સતત ત્રીજી ટર્મમાં પણ લોકશાહીની મર્યાદા જાળવી રાખી છે. ત્યારે લોકસભા ચૂંટણી પ્રચારમાં હરીફ ઉમેદવારનું નામ જ ના લેવું એ વાત જ પ્રજાને રાજેશભાઈની વાત ગમી જાય છે. જયારે ચૂંટણી પ્રવાસ દરમીયાન રાજેશભાઈ ચુડાસમાએ કરેલા કામો અને શું કામ કરશે એ વાતને લઈને પ્રજા સુધી પોહચે છે.તેની લોકો સરાહના કરે છે.ત્યારે રાજેશભાઈની ખાનદાની કહો કે, તેમનો પ્રેમાળ સ્વભાવ કહો, સહેજ ભાવથી મતદારો સુધી પોતાની વાત પોહાચાડવામાં સફળ રહ્યા છે અને પ્રજા તેમના નિખાલસ સ્વભાવ અને તેમની કામ કરવાની કુનેહ થકી લોકમાં હદયમાં અલગ સ્થાન જાળવી રાખ્યું છે.
જૂનાગઢ લોકસભા બેઠક પર સતત બે વખત સાંસદ તરીકે ચૂંટાય આવ્યા ત્યારે બંને જિલ્લાના અનેક વિકાસ કાર્યો કરીને લોકચાહના મેળવી છે જેમાં ગીરનાર થી લઈને ગીર અને સોમનાથનો સમુદ્ર કિનારાના છેવાડાના માનવી સુધી અનેક કાર્યો કરીને પ્રજાના મનમાં કંઈક અલગ છાપ છોડી છે. સાંસદના દરેક કાર્ય ક્ષેત્રમાં આવતા કાર્યો માટે કેન્દ્ર સરકારમાં સાથે રહીને લોકોના પ્રશ્ર્નોને વાંચા આપી છે.અને બંને જિલ્લાના અનેક એવા કાર્યો કર્યા એટલે ભારતીય જનતા પાર્ટીએ ફરી ઉમેદવાર તરીકે પસંદ કરીને ફરીવાર ત્રીજી ટર્મ માટે ટિકિટ આપી છે. ત્યારે બંને જિલ્લાના મતદારોનો વિશ્ર્વાસ મેળવીને આજે તેને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે અને જીતના વિશ્ર્વાસ સાથે આગળ વધી રહ્યા છે.