બાંગ્લાદેશ પોલીસે સોમવારે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ વિસ્તારમાંથી દાસની ધરપકડ કરતાં હિંદુ સમુદાયના સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દાસને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી.
હિંદુ સમુદાયના સેંકડો લોકો ચિટાગોંગના ચેરાગી પહાર ચોક પર રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દાસને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી. એ જ રીતે રાજધાનીમાં હિન્દુ સમુદાયના લોકોએ ધરપકડના વિરોધમાં મોડી સાંજે શાહબાગ ચારરસ્તાને બ્લોક કરી દીધો હતો. અહેવાલો અનુસાર સોમવારે મોડી સાંજે ઢાકા અને ચિત્તાગોંગમાં અજ્ઞાત બદમાશોએ હિંદુ પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યો, જેમાં 20 થી વધુ લોકો ઘાયલ થયા. રાજધાનીમાં ઢાકા યુનિવર્સિટી અને શાહબાગ સ્ક્વેર સામે વિરોધ પ્રદર્શન દરમિયાન દેખાવકારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ચટગાંવમાં પણ પ્રદર્શનકારીઓ પર હુમલાના અહેવાલ છે.
- Advertisement -
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, હુમલામાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. ઘણા વીડિયો ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં વિરોધીઓ રસ્તા પર ઉતરતા જોઈ શકાય છે. પ્રદર્શન દરમિયાન હંગામો અને હુમલાની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. દેખાવકારોએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર રોકવા માટે અવાજ ઉઠાવ્યો હતો.
હવે જાણો ચિન્મય કૃષ્ણ દાસ પર શું છે આરોપ?
બાંગ્લાદેશ પોલીસની ગુપ્તચર શાખાના પ્રવક્તા રેઝાઉલ કરીમે જણાવ્યું હતું કે, આદેશ મળ્યા બાદ કૃષ્ણ દાસની અટકાયત કરવામાં આવી હતી. દાસને હવે આગળની કાનૂની પ્રક્રિયા માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે. જોકે તેમણે કયા આરોપો માટે તેની ધરપકડ કરવામાં આવી હતી તેની વિગતો આપી ન હતી. ”સમિલિત સનાતની જોત’ના મુખ્ય આયોજક ગૌરાંગ દાસ બ્રહ્મચારીને ટાંકીને ન્યૂઝ પોર્ટલે જણાવ્યું કે, દાસ ઢાકાથી હવાઈ માર્ગે ચટગાંવ જવાના હતા. દાસ સહિત 19 લોકો સામે 30 ઓક્ટોબરના રોજ ચિત્તાગોંગના કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં ચટગાંવના ન્યૂ માર્કેટ વિસ્તારમાં હિન્દુ સમુદાયની રેલી દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.