જૂનાગઢ લોકસભા ઉમેદવાર અંતે રાજેશ ચુડાસમાની ભાજપે પસંદગી કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
- Advertisement -
જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારને લઈને કોકડું ગુચવાયું હતું અંતે ગુજરાતની આખરી યાદી બહાર પડી તેમાં જૂનાગઢ બેઠક પર અંતે રાજેશ ચુડાસમાની પસંદગી કરી રીપીટ થિયરી અપનાવી રાજેશ ચુડાસમાને રિપીટ કરતા અનેક દાવેદારના પતા કપાય ગયા ત્યારે હજુ કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસના હીરાભાઈ જોટવા, પુંજાભાઈ વંશ અથવા સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમાને મેદાનમાં ઉતારી શકે છે તેવી ચર્ચાઓ જાગી છે. જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપ હાઇકમાન્ડ નવો ચહેરો પસંદ કરશે તેવી અટકળો વચ્ચે અંતે પાર્લામેન્ટ્રી બોર્ડે રિપીટ થીયેરી અપનાવી રાજેશ ચુડાસમાને લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છેલ્લી બે ટર્મથી રાજેશ ચુડાસમા જીત હાંસલ કરી છે.
ત્યારે વેરાવળ ડો.ચગના આપઘાત મામલે વિવાદમાં રહેલ સાંસદ રાજેશ ચુડાસમા શું ત્રીજીવાર વિજયની હેટ્રીક મારશે તેના પર સૌ કોઇની નજર મંડાઈ રહી છે.જોકે આ બેઠેક કોળી સમાજનું પ્રભત્વ જોવા મળે છે, છેલ્લા એક દાયકાથી બંને પક્ષે કોળી સમાજની પસંદગી કરવામાં આવી છે ત્યારે 2024ની સામાન્ય લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ કોળી સમાજ માંથી પસંદગી કરે છે.કે પછી આહીર સમાજ અથવા પાટીદાર સમાજમાંથી નવો ચહેરો પસંદ કરીને નવો દાવ ખેલશે તેવી ચર્ચા એ જોર પકડયું છે. જૂનાગઢ 13 લોકસભા બેઠક પર કુલ 7 વિદ્યાનસભા બેઠકનો સમાવેશ થાય છે.જેમાં જૂનાગઢ જિલ્લાની ત્રણ વિસાવદર, માંગરોળ અને જૂનાગઢ જયારે કેશોદ અને માણાવદર બંને વિદ્યાનસભા બેઠક પોરબંદર લોકસભા બેઠકમાં સમાવેશ થાય છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ચાર વિદ્યાનસભા બેઠકની વાત કરીયે તો સોમનાથ, કોડીનાર, ઉના અને તાલાળા બેઠકનો સમાવેશ થાય છે.
જૂનાગઢ લોકસભા સીટ પર કોળી સમાજ સાથે, પાટીદાર, આહીર અને કારડીયા સમાજનું પ્રભુત્વ વધારે જોવા મળે છે.ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન છે એટલે કોંગ્રેસના ફાળે જૂનાગઢ સીટ ફાળે ગઈ છે ત્યારે હવે બંને પક્ષ સાથે મળીને ભાજપને ટક્કર અપાશે જયારે 7 વિધાનસભાની બેઠકોમાંથી કોંગ્રેસ પાસે માત્ર સોમનાથ બેઠક પર કબ્જો છે જયારે અન્ય તમામ બેઠકો પર ભાજપ જોવા મળે છે.તેમાં વિસાવદર બેઠક આમ આદમી પાર્ટી પાસે હતી પરંતુ ભુપત ભાયાણીએ આપ માંથી રાજીનામુ આપીને ભાજપ સાથે જોડાતા કોંગ્રેસ માટે આ બેઠક પર કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે. બીજી તરફ ભાજપમાં ઉમેદવાર પસંદગી મુદ્દે ખેંચતાણ જોવા મળી હતી ત્યારે રાજેશભાઈ ચુડાસમાને હેટ્રીક નોંધવા અનેક સમસ્યાનો સામનો કરવો પડશે હાલ તો કોંગ્રેસ પક્ષે પોતાના ઉમેદવાર પસંદગી જાહેર નથી કરી ત્યારે કોંગ્રેસ ક્યાં ઉમદેવારને ચૂંટણી જંગમાં ઉતારશે તે જોવાનું રહ્યું અને ત્યાર બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે બંને પક્ષે કાર્યકરોમાં નારાજગીનો સામનો કરવો પડશે જાહેરમાં નહિ આવે પણ અંદર ખાને ક્યાંકને કયાંક ઉમેદવાર પસંદગી બાદ ચૂંટણીઓમાં ખેંચતાણ જોવા મળતી હોઈ છે.