ગિરનાર વિકાસ માટે 100 કરોડ ક્યાં હેડમાં વપરાશે જાહેર કરો
ભવનાથ તળેટીને નો-મીટ જાહેર બાબતે શું કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ખાસ ખબર દ્વારા હીત રક્ષક સમિતિ દ્વારા શહેરના પ્રાણ પ્રશ્ર્ને 101 સવાલો સાથે તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો છે.ત્યારે આજે મનપા અધ્યાય 3 માં ગીરનાર અને ભવનાથ તળેટી વિસ્તારના વિકાસ મુદ્દે તંત્ર પાસે જવાબો માંગ્યા છે.જેમાં ગિરનાર પર્વત પર 100 કરોડના ખર્ચે વિકાસ થવાનો છે.તે ક્યાં હેડમાં વપરાશે તેની ચોખવટ કરવિ તેની સાથે નોમીટ જોન બાબતે પણ સવાલો ઉભા કર્યા છે.બીજી તરફ ભવનાથ વિસ્તારને સાઇલન્ટ ઝોન બાબતે પણ શું કાર્યવાહી કરવામાં આવી તેવા પણ પ્રશ્ર્નો જવાબ માંગ્યો છે. તેની સાથે ઉપરકોટ તેમજ જગમાલ ચોક વિસ્તારને અશાંત ધારો લાગુ કરવા બાબતે અનેકવાર રજૂઆત કરી છે. છતા હજુ સુધી કોઇ નિરાકરણ આવ્યુ નથી. તેવા પણ હિતરક્ષક સમિતિએ જવાબો માંગ્યા છે.
સવાલ-પ
ગિરનાર પર્વતના વિકાસ માટે 100 કરોડ ઉપરાંતની ગ્રાન્ટની જાહેરાત રાજય સરકારે કરેલી છે આ રકમ કયા કયા હેડ નીચે વાપરવાની છે તે જાહેરમાં જણાવવુ અથવા તેમા ફેરફારનો કોઇઅવકાસ હોય તો જનતા પાસે સુચનો મંગાવવા.
- Advertisement -
સવાલ-6
ભવનાથ તળેટી વિસ્તારને સંપૂર્ણ પણે નોમીટ ઝોન જાહેર કરવા સબંધે વહીવટી તંત્ર પગલા લે તે સબંધે જનતાના પ્રતિનિધીઓએ રજૂઆત કરી હોય તો તેની નકલ રજુ કરવી. વિકલ્પે તેનો અભિપ્રાય જાહેરમાં જણાવવો.
સવાલ-7
ભવનાથ તળેટી વિસ્તારને સાયલન્ટ ઝોન જાહેર કરવાનું જાહેરનામુ બહાર પડી ગયેલુ છે પરંતુ પોલ્યુશન બોર્ડનો જવાબ આવેલ નથી તેવા કારણોસર તેની આખરી પ્રસિઘ્ધી થતી નથી આ માટે જૂનાગઢના સાંસદ અને ધારાસભ્યશ્રીએ કલેકટરમાં રજૂઆત કરીને તાત્કાલીક સાયલેન્ટ ઝોન તરીકે જાહેર કરવુ.
સવાલ-8
જૂનાગઢમાં સુખાનથ ચોક, જગમાલ ચોક, ઉપરકોટ રોડ વિગેરે વિસ્તારોમાં કોમી શાંતિ જળવાય તે માટે તેને અશાંતધારો લાગુ કરવો આ માટે અવાર-નવાર રજૂઆત થયેલી છે. વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે રૂબરૂ પણ જૂનાગઢનું પ્રતિનિધી મંડળ ગયેલુ હતુ હજુ પણ આ રજૂઆતો ચાલુ જ છે ગૃહ મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીને પણ અવાર-નવાર આવેદન પત્ર પાયેલા છે આ બાબતે કાંઇ નકકર પગલા ભરાતા નથી તેથી ધારાસભ્ય કક્ષાએ આ બાબતે સત્વરે પગલા લઇ આ વિસ્તારોમાં અશાંત ધારો બહાર પાડવાનું નોટીફીકેશન બહાર પડાવવુ જોઇએ.