પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની એક પુત્રી હાલ વિદેશમાં છે અને તે ત્યાંથી ભારત આવી રહી છે. સાંજ સુધીમાં તે અહીં પહોંચે તેવી શક્યતા, તો જાણો હવે ક્યારે થશે ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર ?
ડો.મનમોહન સિંહના નિધન બાદ માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્વભરના તમામ નેતાઓએ તેમને નમ્ર શ્રદ્ધાંજલિ આપતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. મનમોહન સિંહના પાર્થિવ દેહને તેમના ઘરે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં શુક્રવાર સવારથી જ તેમને શ્રદ્ધાંજલિ આપવા લોકોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
PM મોદી પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે મનમોહન સિંહના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમના પાર્થિવ દેહ પર ફૂલ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન PM મનમોહન સિંહની પત્ની અને પરિવારના તમામ સભ્યોને પણ મળ્યા હતા.
આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા પણ ત્યાં હાજર હતા.
કેન્દ્ર સરકારે શુક્રવારે તમામ સરકારી કાર્યક્રમો રદ કર્યા છે અને પૂર્વ પીએમના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ડો.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.
- Advertisement -
મનમોહન સિંહના અંતિમ સંસ્કાર ક્યારે થશે ?
પૂર્વ PM મનમોહન સિંહના અંતિમ સંસ્કાર ક્યારે થશે તે અંગે કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે કહ્યું છે કે, મનમોહન સિંહની એક પુત્રી હાલ વિદેશમાં છે અને તે ત્યાંથી ભારત આવી રહી છે. સાંજ સુધીમાં તે અહીં પહોંચે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં સંભવ છે કે, શનિવારે અંતિમ સંસ્કાર કરવામાં આવે. આ પહેલા કોંગ્રેસ હેડક્વાર્ટરમાં સામાન્ય લોકો પૂર્વ PMના અંતિમ દર્શન કરી શકશે.