By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    30 વર્ષ જૂના અણુ પરીક્ષણ પરનો પ્રતિબંધ દૂર કરતા ટ્રમ્પ
    2 days ago
    ચીન અને અમેરિકા વચ્ચે એરપોર્ટ પર થયો વેપાર કરાર
    2 days ago
    મ્યાનમારના સ્કેમ સેન્ટરોમાંથી ભાગી આવેલા 500 ભારતીયોને થાઇલેન્ડથી પરત લાવશે ભારત સરકાર
    2 days ago
    ચીન: સોશિયલ મીડિયા પર સલાહ આપતા ઈન્ફ્લુએન્સર્સ પાસે હવે ડિગ્રી હોવી ફરજીયાત
    2 days ago
    બ્રાઝિલનું સૌથી ભયંકર પોલીસ ઓપરેશન: રિયોમાં ફોજદારી ગેંગ રેડ કમાન્ડ પર ક્રેકડાઉનમાં મૃત્યુઆંક વધીને 132 થયો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતને મોટી રાહત: અમેરિકાએ ચાબહાર બંદર પરના પ્રતિબંધોમાંથી 6 મહિનાની મુક્તિ આપી
    13 hours ago
    મુખ્ય સચિવોએ રખડતા કૂતરાઓના કેસમાં હાજર રહેવું જોઈએ: સુપ્રીમ કોર્ટ
    15 hours ago
    ભારતમાં 12 વર્ષમાં પ્રદૂષણના કારણે મોતમાં 38 ટકાનો વધારો : રિપોર્ટ
    2 days ago
    વાવાઝોડું મોન્થા ઠંડું પડ્યું, પરંતુ અસર યુપી-બિહાર સુધી
    2 days ago
    તેજસ્વીના સમર્થકોએ તેજ પ્રતાપને ભગાડ્યો, પથ્થરમારો કર્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો
    16 hours ago
    રોહિત શર્મા સૌથી વયોવૃદ્ધ નંબર 1 ODI બેટ્સમેન બન્યો
    2 days ago
    17 વર્ષના ક્રિકેટર બેન ઑસ્ટિનને માથામાં બોલ વાગતા મોત થયું
    2 days ago
    15 વર્ષની પ્રીતિસ્મિતા ભોઈએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો
    5 days ago
    સુનીલ ગાવસ્કરે વર્લ્ડ કપ 2027 માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને સમર્થન આપ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સંસાર છોડી આ ટીવી અભિનેત્રી સંન્યાસ ધારણ કરી, ભિક્ષા માંગી જીવન ગુજારે છે
    14 hours ago
    અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા રૂપેરી પડદે નજર આવ્યો
    2 days ago
    દાઉદ ઇબ્રાહિમ આતંકવાદી નથી અને મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ પણ ન હોતો કર્યા: મમતા કુલકર્ણી
    2 days ago
    શા માટે આદિત્ય પંચોલીના પુત્ર સુરજ પંચોલીએ બોલીવૂડ છોડ્યું ?
    3 days ago
    મારી માતાના માર્ગદર્શનથી મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 days ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    2 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    13 hours ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 days ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 days ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 weeks ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કુંભના મેળા દરમિયાન પેલા મનઘડત દર્શનોનું ખંડન અને સ્વીકાર કરનાર વિવિધ ટોળકીઓ વચ્ચે શું રાજકારણ ચાલ્યું?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > કુંભના મેળા દરમિયાન પેલા મનઘડત દર્શનોનું ખંડન અને સ્વીકાર કરનાર વિવિધ ટોળકીઓ વચ્ચે શું રાજકારણ ચાલ્યું?
Author

કુંભના મેળા દરમિયાન પેલા મનઘડત દર્શનોનું ખંડન અને સ્વીકાર કરનાર વિવિધ ટોળકીઓ વચ્ચે શું રાજકારણ ચાલ્યું?

Khaskhabar Editor
Last updated: 2025/03/15 at 4:22 PM
Khaskhabar Editor 8 months ago
Share
10 Min Read
SHARE

ડો. કૌશિક ચૌધરી

સહજાનંદ સ્વામીએ ઇસ 1824 માં શિક્ષાપત્રી લખી એમાં શ્રીમદ્ ભાગવત મુજબ ભગવાન કૃષ્ણ સર્વોપરી ભગવાન છે, અને સંપ્રદાયના મુખ્ય આરાધ્ય છે, જેની સાથે પંચદેવ ઉપાસનાનો પણ ઉપદેશ છે. ત્યાં સુધી એ વૈદિક વૈષ્ણવ પંથના એક ગુરુ છે. તેમના સ્થાપેલા મંદિરોમાં પણ ભગવાન વિષ્ણુ નારાયણ રૂપે કૃષ્ણ મુખ્ય છે. પણ બીજા વર્ષે, એટલે કે ઇસ 1825 માં તે વડતાલના લક્ષ્મી-નારાયણ મંદિરમાં લક્ષ્મી નારાયણ કે રાધા કૃષ્ણની મૂર્તિના બાજુમાં પોતાની મૂર્તિ સ્થાપે છે, અને તેને નામ આપે છે હરિકૃષ્ણ મહારાજ. આજે તેમના સંપ્રદાયના ભગવધારી લોકો કહે છે કે એ વખતે તેમણે કહ્યું કે ’હવે હરિ ભક્તો લક્ષ્મી નારાયણના દર્શન કરવા અહીં આવશે, અને આપણા સંતો તેમને અમારામાં સર્વોપરી ઉપાસનાની નિષ્ઠા બાંધશે.’ એટલે કે લક્ષ્મી નારાયણ અને એ બધાના સર્વોપરી ભગવાન એ હરિકૃષ્ણ મહારાજ રૂપે સહજાનંદ સ્વામી છે એમ સમજાવશે. અને અહીંથી આગળ સહજાનંદ સ્વામી પાંચ વર્ષ જીવ્યા, તે દરમિયાન તેમણે કહેલા વચનામૃતમાં એજ ભગવાન કૃષ્ણને સર્વોપરી પુરુષોત્તમ કહીને ભાગવત પુરાણમાં કહેલી વાતો તો છે, પણ સાથે સાથે બહુ ઓછી માત્રામાં ક્યાંક એવી વાતો પણ છે કે તે (સહજાનંદ) પોતે પણ પુરુષોતમના લેટેસ્ટ અવતાર છે. તે ક્યાંક એવું પણ સમજાવે છે કે પુરુષોત્તમ મૂળ પરમેશ્વર છે, જેના એક અવતાર કૃષ્ણ છે, અને નવા અવતાર તે પોતે છે. તો ક્યાંક એ પોતે જ એ પુરુષોત્તમ છે એવો ઈશારો પણ કરી દે છે, એટલે તે પોતે બધા અવતારોના અવતારી બની જાય છે. વચનામૃતના બહુ મોટા થોથામાં આ બધી વાતો માંડ એક બે પાના ભરાય એવી છે અને એ પણ છૂટી છવાઇ. એક સાથે ન મળે એવી. હવે, સંપ્રદાયના સ્વામીઓ સાથે મળીને અંગ્રેજ ઇતિહાસકારોએ લખેલા ઇતિહાસ મુજબ પોતાને પરમેશ્વર કહેતી એ છૂટી છવાયેલી જૂજ વાતો સહજાનંદ સ્વામી પોતાના નજીકના વર્તુળમાં અને ભક્ત મંડળમાં કરતા. જ્યારે બહાર સામાન્ય લોકો સામે કૃષ્ણને જ પુરુષોત્તમ પરમેશ્વર કહેતા. થયું છે એવું કે તેમના નિધન પછી, તેમના એ નજીકના વર્તુળે તેમણે નજીકના વર્તુળમાં કહેલી એ જૂજ વાતોને મુખ્ય બનાવીને જાત જાતના પુસ્તકો લખ્યા છે. અને એ પુસ્તકોમાં સર્વોપરી ઉપાસના મુખ્ય બનાવાઈ છે. જ્યારે સંપ્રદાયના લોકો કહે છે કે શાસ્ત્રોમાં બધું લખેલું છે ત્યારે તે એ બધા ચોપડાઓની વાત કરે છે જે અંગ્રેજ કાળમાં લખાયા. અને આજ ક્રોનોલોજીને સંપ્રદાય ફરીથી પુનરાવર્તિત કરવા માંગે છે ગુજરાત બહાર ભારતન હિંદુ સમાજમાં.
તે ગુજરાત બહાર જ્યારે વૈષ્ણવ આચાર્યોને મળે છે ત્યારે શિક્ષાપત્રી અને વચનામૃત જ બતાવે છે જેમાં ભાગવત પુરાણ મુજબ કૃષ્ણને પરમેશ્વર કહ્યા છે. ક્યાંક સાથે એમની એ સિક્રેટ વાત પણ બતાવી દે છે કે સહજાનંદ સ્વામી પોતાને પણ કૃષ્ણનો જ અંશ કે રૂપ કહેતા હતા. અહીં સુધી બધું વૈદિક છે. પણ ગુજરાતમાં એ વૈદિક સ્વરૂપથી બહાર નીકળી વચનામૃત અને અંગ્રેજ સંસર્ગથી જે સર્વોપરી વાળી વાત બહાર કાઢવામાં આવી તેને પ્રતિપાદિત કરતા તેમના ચોપડા મુખ્ય છે. એટલે ગુજરાતમાં બોલે સહજાનંદ સર્વોપરી ભગવાન છે, અને વૈદિક ઈશ્વરોને તેમના સેવક બતાવે, અને ગુજરાત બહાર જાય એટલે પેલી શિક્ષાપત્રી અને વચનામૃતવાળી વાત બતાવે. બસ આ ચાલી રહ્યું છે.
:અંગ્રેજો દ્વારા સર્વોપરી:
ઇસ 1825 માં સહજાનંદ સ્વામીએ વડતાલ મંદિરમાં પોતાની મૂર્તિ સ્થાપીને સર્વોપરી વાળી વિકૃતિનો પાયો નાખ્યો એમાં બિશપ હેબર સાથે એમની મુલાકાત કારણ દેખાય છે. સંપ્રદાયના પહેલા મંદિર તરીકે કાલુપુર મંદિર અંગ્રેજોએ જમીન અને પૈસા આપીને બનાવી આપ્યું, પચાસ હજાર લોકો પણ મંદિરના ઉદ્ઘાટન વખતે ભેગા કરી આપ્યા. એ પછી સતત બંગાળ અને બ્રિટનથી ખ્રિસ્તી પાદરીઓ અને બિશપોને ગુજરાત મોકલીને બોમ્બે પ્રેસિડન્સીના ગવર્નર જ્હોન માલ્કમે તેમને સહજાનંદ સાથે સંસર્ગમાં રાખ્યા. બ્રિટિશ અમલદાર જ્હોન એન્ડ્રુ

- Advertisement -

ડનલોપે સહજાનંદ અને તેમના સંપ્રદાય વિશે એક નિબંધ લખ્યો, જેનું નામ હતું ’હિંદુઓનો એક નવીન સંપ્રદાય’. એ નિબંધને ખ્રિસ્તી પાદરી વિલિયમ હોજે તેની ડાયરીમાં લખ્યો અને લાઇબ્રેરીઓમાં મુકાવડાવ્યો. આ બધા વર્ષો દરમિયાન સહજાનંદના શિષ્યો અને અંગ્રેજો – પાદરીઓ વચ્ચે બાઈબલ અને શ્રીમદ્ ભાગવદ જેવા ગ્રંથોની આપ લે થઈ અને તેના પર ગહન ચર્ચાઓ પણ થઈ.
ઇસ 1825 માં વડતાલ મંદિરના નિર્માણ દરમિયાન બિશપ હેબર સહજાનંદ સ્વામીને મળવા આવ્યા, અને સહજાનંદે તેમની પાસે વડતાલ મંદિરના નિર્માણ માટે આર્થિક સહાય માંગી. બિશપ અને તેમના વચ્ચે ઇશ્વરની સંકલ્પના અંગે ખ્રિસ્તી અને હિંદુ વિચારની ચર્ચા થઈ. ચર્ચાના અંતે હેબરે એમ કહીને મંદિર માટે પૈસા આપવાની ના પાડી કે સહજાનંદની ઇશ્વરની સંકલ્પના બાઈબલના વિચારની નજીક છે, પણ એ હજી પૂર્ણ પણે જિસસ જેવા એકમાત્ર ઇશ્વર જેવી એકેશ્વરવાદની સંકલ્પના નથી. એટલે હેબર તેમને મંદિર માટે પૈસા નહિ આપે, પણ બાજુમાં નિર્માણ પામી રહેલા સભાગૃહ અને હોસ્પિટલ માટે પૈસા આપશે. આમ કહીને સહજાનંદને તેમના નવીન હિંદુ પંથમાં એકમાત્ર સર્વોપરી ઇશ્વર સ્થાપવા ધકેલાયા અને એજ વર્ષે બાદમાં સહજાનંદ સ્વામીએ વડતાલ મંદિરમાં પોતાની મૂર્તિ સ્થાપી. અને એ પછી એ બધી વાતો વચનામૃતમાં વચ્ચે વચ્ચે કહેવાઈ. અને ત્યાંથી ઇસ 1830 માં સહજાનંદ સ્વામીના મૃત્યુના બે મહિના પહેલાં જ્યારે તે અતિશય બીમાર હતા અને મૃત્યુ શૈયા પર હતા, ત્યારે એ બધા અંગ્રેજ અધિકારીઓ અને બિશપોને સહજાનંદ પાછળ લગાવનાર બોમ્બે પ્રેસિડન્સીનો ગવર્નર માલ્કમ સહજાનંદને પહેલીવાર મળવા આવ્યો. ત્યાં જે પણ વાત થઈ હોય તે, પણ બે મહિના પછી સહજાનંદના મૃત્યુ પછી તેમના શિષ્યોએ ભગવાન કૃષ્ણને બાજુ પર મૂકી સહજાનંદને સ્વામિનારાયણ તરીકે એકમાત્ર સર્વોપરી ભગવાન કહેતા પુસ્તકો રચવાના શરૂ કરી દીધા. હોઈ શકે એનું નિર્માણ તે પહેલાંના વર્ષોમાં શરૂ થઈ ગયું હોય અને પાછળથી જાહેર કરાયા હોય. જેમ અત્યારે ઇઅઙજ ના ભદ્રેશ દાસનું અક્ષર પુરુષોત્તમ દર્શનનું પુસ્તક જાહેર નથી કરાતું, પણ અંદરખાને સ્વીકૃતિના થપ્પા મરાવવા ઉપયોગમાં લેવાય છે.
ગુજરાત બહારના બ્રાહ્મણ આચાર્યોની ભૂલ અને અપરાધ:
મહાકુંભ 2025 દરમિયાન વિશિષ્ટાદ્વૈતના આચાર્ય વિદ્યાસાગરજીએ ઇઅઙજના અક્ષર પુરુષોત્તમ દર્શનનું ખંડન કરતો ગ્રંથ બહાર પાડ્યો, અને તેને સનાતન ધર્મ તેમજ વૈદિક ઇશ્વરોનું અપમાન કરતું ભ્રષ્ટ સાહિત્ય કહ્યું. પણ એજ ગ્રંથમાં ઠેર ઠેર લખેલી બ્રાહ્મણ જ દીક્ષા આપી શકે અને કર્મકાંડ કરી શકે વાળી સ્મૃતિ ગ્રંથોની વાતોથી એજ દેખાયું કે એ ગ્રંથ ઇઅઙજ માં બધું ક્રિયાકાંડ પટેલોમાંથી સ્વામીઓ બનેલા લોકો કરાવે છે એના વિરોધમાં લખાયું છે. કારણકે એજ ગ્રંથમાં તેમણે વડતાલ ગાદીને શિક્ષાપત્રી અને વચનામૃતના આધારે સ્મૃતિઓના કર્મકાંડ આધારિત નિયમો પાળતો હોવાનું કહીને વૈદિક ધર્મના ભાગ તરીકે સ્વીકૃતિ આપી. સાથે ભગવાન શંકરાચાર્ય, ભગવાન રામાનુજાચાર્યની હરોળમાં એજ અર્થે ’ભગવાન સ્વામિનારાયણ’ ઉચ્ચારણને પણ સ્વીકૃતિ આપી.
હવે, આ વાતને હાથો બનાવી ઇઅઙજ અને તેના ભદ્રેશદાસ પહોંચ્યા સંઘ અને બીજેપીના લોકો પાસે, અને આને જન્મથી જાતિ વાળી બ્રાહ્મણવાદી વાત બતાવી સંઘના કર્મથી વર્ણ વાળી વાતના નેરેટિવને આગળ ધપાવવા પોતાને મદદ કરવા કહ્યું. બીજા જ અઠવાડિયે સંઘ સાથે જોડાયેલા આચાર્યો ઇઅઙજ અને ભદ્રેશદાસના એ વિકૃત દર્શનને પણ સ્વીકૃતિ આપતા ફોટામાં દેખાયા. બસ, તો આ રાજકારણ ચાલ્યું છે મહાકુંભમાં. બંને બાજુના મૂર્ખાઓને એ તથ્યનું ભાન નથી કે એ ગમે તે દર્શન હોય કે શિક્ષાપત્રી કે વચનામૃત હોય, તેમને સ્વીકૃતિ ગુજરાતમાં જે ચાલે છે તે સર્વોપરી વાળી વાતની જોઈએ છે. તમામ વૈદિક ઈશ્વરોને લુપ્ત કરી દઈ જિસસ જેવા એકમાત્ર સર્વોપરી ઇશ્વરમાં હિંદુ ધર્મને ફેરવી દેવો, જેના મુખ્ય ગ્રંથો પેલા અંગ્રેજો અને પાદરીઓએ લખાવેલા સર્વોપરી ઉપાસનાવાળા ગ્રંથો હોય, અને સમાજની સત્તા એ પાદરીઓ જેવા સંપ્રદાયના સ્વામીઓના હાથમાં હોય.
તો, આપણા એ સ્વીકૃતિ આપનાર બ્રાહ્મણ આચાર્યોને કેટલાક પ્રશ્ન છે.
1 કાલે ચર્ચમાં જીસસની પૂજા કરવા પણ ખાલી બ્રાહ્મણ જ એ પૂજા કરી શકે એવો નિયમ કરવામાં આવે, તો શું તમે એ જિસસ અને ચર્ચને પણ સ્વીકારી લેશો?

2 જો ભારતની મસ્જિદમાં અઝાન બોલવાનો કે ભારતમાં મૌલાના બનવાનો અધિકાર જન્મથી બ્રાહ્મણને જ રહેશે એવું સાઉદી આરબમાંથી સ્વીકારી લેવામાં આવે, તો શું તમે અલ્લાહ અને મસ્જિદને પણ સ્વીકારી લેશો?

બસ, પોતાની જાતને આ બે પ્રશ્નોના ઉત્તર આપો એટલે સમજાઈ જશે કે તમે આ સંપ્રદાયવાળી વાતમાં શું કરી રહ્યા છો. અને આ જ પ્રશ્નો સંઘ અને સંઘ સાથે જોડાયેલા એ સંતોને પણ છે. કોઈ વેદાંતી સંત નથી રહેવાનો, ના કોઈ વેદાંત રહેવાનું છે જો આ સંપ્રદાયને ખુલ્લો દોર આપ્યો. જે અક્ષર પુરુષોત્તમ દર્શનને માન્યતા આપવા ચાલ્યા છો તેમાં પુરુષોત્તમ એટલે સાકાર સહજાનંદ સ્વામી છે, અને અક્ષર એટલે ઇઅઙજ ની સંસ્થાનો પ્રમુખ છે. કેથોલિક ચર્ચનું મોડલ. એ દર્શન કહેવા માંગે છે કે અદ્વૈત જેવું કંઈ છે નહીં. સંસારને બનાવવાવાળા જિસસ જેવા સ્વામિનારાયણ અક્ષરધામમાં સાકાર રૂપે બેઠા છે. તેમને માનવાથી અને તેમને વૈદિક ઈશ્વરોથી સર્વોપરી મૂળ પરમેશ્વર માનવા માત્રથી મનુષ્ય મર્યા પછી અક્ષરધામ રૂપી હેવનમાં સ્થાયી થઈ જશે.
ભગવાન કૃષ્ણએ ગીતા પણ એટલે કહી, કારણકે તે સમયે પુરુષોત્તમ સ્વામિનારાયણ તેમનામાં પ્રવેશ કરી ગયા હતા કે તેમનામાં જાગૃત થયા હતા. તેમની કૃપાથી એ બોલાયું. પોતાને હિંદુ ધર્મના અને હિન્દુત્વના ઠેકેદાર કહીને સમાજ પર આ ગંદકી સ્થાપવા નિકળ્યા છો તમે. શિવાજી, સાંભાજી, મહારાણા પ્રતાપ અને લક્ષ્મીબાઈ જેવા નાયકો જે સનાતન ધર્મ અને આરાધ્ય એવા મા ભવાની અને મહાદેવની ઉપાસના બચાવવા લડ્યા તેમને તેમનું જ નામ લઈ ખતમ કરવાના કાર્યમાં પ્રવૃત્ત છો. પાછા તો વળો જ, પણ થોડી પોતાના તરફ શરમ કરીને પાછા વળો.

- Advertisement -

 

You Might Also Like

ફિનલેન્ડ, જાપાન અને જર્મની: ભારતીયો માટે નવા ડ્રીમ ડેસ્ટિનેશન

ઉત્સવોની ઉજવણી કે બેદરકારીનો ઉત્સવ!

ભારતીયો માટે ભારત જ શ્રેષ્ઠ વિકલ્પ: વિદેશ જવા કરતાં સ્ટાર્ટઅપ સારું

કેનેડા, અમેરિકા અને ઇંગ્લેન્ડ: ઝાંઝવાના જળ માટે દોડ

દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ

TAGGED: Kumbh Mela, philosophies
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હોળી: ધૂળ અને સેક્સની પવિત્રતાનો તહેવાર
Next Article મલ્હારની નવી નક્કોર ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી: ગુનેગારો સામે કડક કાર્યવાહીની માગ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ગીરગંગા પરિવાર એક વર્ષમાં 151 તળાવ અને ચેકડેમનું કરશે નિર્માણ
CBSE ધો.10-12ની 17 ફેબ્રુ.થી પરીક્ષા: 110 દિવસ પૂર્વે ટાઈમટેબલ જાહેર
રાજુલા 72 ગામનાં સરપંચોએ ડિજિટલ સરવેનો વિરોધ કર્યો
આપણી હરિફાઈ કોઈ અન્ય સાથે નહિં પરંતુ મોટા ઉદ્દેશ સાથે કામ કરવા માટે છે: ડૉ. વિશાલભાઈ ભાદાણી
રાષ્ટ્રીય એક્તા દિવસની મધ્યસ્થ જેલ ખાતે ઉજવણી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

ફિનલેન્ડ, જાપાન અને જર્મની: ભારતીયો માટે નવા ડ્રીમ ડેસ્ટિનેશન

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Hemadri Acharya Dave

ઉત્સવોની ઉજવણી કે બેદરકારીનો ઉત્સવ!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Kinnar Acharya

ભારતીયો માટે ભારત જ શ્રેષ્ઠ વિકલ્પ: વિદેશ જવા કરતાં સ્ટાર્ટઅપ સારું

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?