By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    55 minutes ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    2 hours ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    4 hours ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    1 day ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
    2 hours ago
    કેન્દ્રએ કોમર્શિયલ ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલનાં પ્રતિબંધો હટાવ્યા
    2 hours ago
    ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા
    3 hours ago
    બોટલ બાબાની પાપલીલાનો પર્દાફાશ
    4 hours ago
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 day ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 day ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 day ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    4 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    5 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    2 hours ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    1 day ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    1 day ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    1 day ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કુંભના મેળા દરમિયાન પેલા મનઘડત દર્શનોનું ખંડન અને સ્વીકાર કરનાર વિવિધ ટોળકીઓ વચ્ચે શું રાજકારણ ચાલ્યું?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > કુંભના મેળા દરમિયાન પેલા મનઘડત દર્શનોનું ખંડન અને સ્વીકાર કરનાર વિવિધ ટોળકીઓ વચ્ચે શું રાજકારણ ચાલ્યું?
Author

કુંભના મેળા દરમિયાન પેલા મનઘડત દર્શનોનું ખંડન અને સ્વીકાર કરનાર વિવિધ ટોળકીઓ વચ્ચે શું રાજકારણ ચાલ્યું?

Khaskhabar Editor
Last updated: 2025/03/15 at 4:22 PM
Khaskhabar Editor 1 year ago
Share
10 Min Read
SHARE

ડો. કૌશિક ચૌધરી

સહજાનંદ સ્વામીએ ઇસ 1824 માં શિક્ષાપત્રી લખી એમાં શ્રીમદ્ ભાગવત મુજબ ભગવાન કૃષ્ણ સર્વોપરી ભગવાન છે, અને સંપ્રદાયના મુખ્ય આરાધ્ય છે, જેની સાથે પંચદેવ ઉપાસનાનો પણ ઉપદેશ છે. ત્યાં સુધી એ વૈદિક વૈષ્ણવ પંથના એક ગુરુ છે. તેમના સ્થાપેલા મંદિરોમાં પણ ભગવાન વિષ્ણુ નારાયણ રૂપે કૃષ્ણ મુખ્ય છે. પણ બીજા વર્ષે, એટલે કે ઇસ 1825 માં તે વડતાલના લક્ષ્મી-નારાયણ મંદિરમાં લક્ષ્મી નારાયણ કે રાધા કૃષ્ણની મૂર્તિના બાજુમાં પોતાની મૂર્તિ સ્થાપે છે, અને તેને નામ આપે છે હરિકૃષ્ણ મહારાજ. આજે તેમના સંપ્રદાયના ભગવધારી લોકો કહે છે કે એ વખતે તેમણે કહ્યું કે ’હવે હરિ ભક્તો લક્ષ્મી નારાયણના દર્શન કરવા અહીં આવશે, અને આપણા સંતો તેમને અમારામાં સર્વોપરી ઉપાસનાની નિષ્ઠા બાંધશે.’ એટલે કે લક્ષ્મી નારાયણ અને એ બધાના સર્વોપરી ભગવાન એ હરિકૃષ્ણ મહારાજ રૂપે સહજાનંદ સ્વામી છે એમ સમજાવશે. અને અહીંથી આગળ સહજાનંદ સ્વામી પાંચ વર્ષ જીવ્યા, તે દરમિયાન તેમણે કહેલા વચનામૃતમાં એજ ભગવાન કૃષ્ણને સર્વોપરી પુરુષોત્તમ કહીને ભાગવત પુરાણમાં કહેલી વાતો તો છે, પણ સાથે સાથે બહુ ઓછી માત્રામાં ક્યાંક એવી વાતો પણ છે કે તે (સહજાનંદ) પોતે પણ પુરુષોતમના લેટેસ્ટ અવતાર છે. તે ક્યાંક એવું પણ સમજાવે છે કે પુરુષોત્તમ મૂળ પરમેશ્વર છે, જેના એક અવતાર કૃષ્ણ છે, અને નવા અવતાર તે પોતે છે. તો ક્યાંક એ પોતે જ એ પુરુષોત્તમ છે એવો ઈશારો પણ કરી દે છે, એટલે તે પોતે બધા અવતારોના અવતારી બની જાય છે. વચનામૃતના બહુ મોટા થોથામાં આ બધી વાતો માંડ એક બે પાના ભરાય એવી છે અને એ પણ છૂટી છવાઇ. એક સાથે ન મળે એવી. હવે, સંપ્રદાયના સ્વામીઓ સાથે મળીને અંગ્રેજ ઇતિહાસકારોએ લખેલા ઇતિહાસ મુજબ પોતાને પરમેશ્વર કહેતી એ છૂટી છવાયેલી જૂજ વાતો સહજાનંદ સ્વામી પોતાના નજીકના વર્તુળમાં અને ભક્ત મંડળમાં કરતા. જ્યારે બહાર સામાન્ય લોકો સામે કૃષ્ણને જ પુરુષોત્તમ પરમેશ્વર કહેતા. થયું છે એવું કે તેમના નિધન પછી, તેમના એ નજીકના વર્તુળે તેમણે નજીકના વર્તુળમાં કહેલી એ જૂજ વાતોને મુખ્ય બનાવીને જાત જાતના પુસ્તકો લખ્યા છે. અને એ પુસ્તકોમાં સર્વોપરી ઉપાસના મુખ્ય બનાવાઈ છે. જ્યારે સંપ્રદાયના લોકો કહે છે કે શાસ્ત્રોમાં બધું લખેલું છે ત્યારે તે એ બધા ચોપડાઓની વાત કરે છે જે અંગ્રેજ કાળમાં લખાયા. અને આજ ક્રોનોલોજીને સંપ્રદાય ફરીથી પુનરાવર્તિત કરવા માંગે છે ગુજરાત બહાર ભારતન હિંદુ સમાજમાં.
તે ગુજરાત બહાર જ્યારે વૈષ્ણવ આચાર્યોને મળે છે ત્યારે શિક્ષાપત્રી અને વચનામૃત જ બતાવે છે જેમાં ભાગવત પુરાણ મુજબ કૃષ્ણને પરમેશ્વર કહ્યા છે. ક્યાંક સાથે એમની એ સિક્રેટ વાત પણ બતાવી દે છે કે સહજાનંદ સ્વામી પોતાને પણ કૃષ્ણનો જ અંશ કે રૂપ કહેતા હતા. અહીં સુધી બધું વૈદિક છે. પણ ગુજરાતમાં એ વૈદિક સ્વરૂપથી બહાર નીકળી વચનામૃત અને અંગ્રેજ સંસર્ગથી જે સર્વોપરી વાળી વાત બહાર કાઢવામાં આવી તેને પ્રતિપાદિત કરતા તેમના ચોપડા મુખ્ય છે. એટલે ગુજરાતમાં બોલે સહજાનંદ સર્વોપરી ભગવાન છે, અને વૈદિક ઈશ્વરોને તેમના સેવક બતાવે, અને ગુજરાત બહાર જાય એટલે પેલી શિક્ષાપત્રી અને વચનામૃતવાળી વાત બતાવે. બસ આ ચાલી રહ્યું છે.
:અંગ્રેજો દ્વારા સર્વોપરી:
ઇસ 1825 માં સહજાનંદ સ્વામીએ વડતાલ મંદિરમાં પોતાની મૂર્તિ સ્થાપીને સર્વોપરી વાળી વિકૃતિનો પાયો નાખ્યો એમાં બિશપ હેબર સાથે એમની મુલાકાત કારણ દેખાય છે. સંપ્રદાયના પહેલા મંદિર તરીકે કાલુપુર મંદિર અંગ્રેજોએ જમીન અને પૈસા આપીને બનાવી આપ્યું, પચાસ હજાર લોકો પણ મંદિરના ઉદ્ઘાટન વખતે ભેગા કરી આપ્યા. એ પછી સતત બંગાળ અને બ્રિટનથી ખ્રિસ્તી પાદરીઓ અને બિશપોને ગુજરાત મોકલીને બોમ્બે પ્રેસિડન્સીના ગવર્નર જ્હોન માલ્કમે તેમને સહજાનંદ સાથે સંસર્ગમાં રાખ્યા. બ્રિટિશ અમલદાર જ્હોન એન્ડ્રુ

- Advertisement -

ડનલોપે સહજાનંદ અને તેમના સંપ્રદાય વિશે એક નિબંધ લખ્યો, જેનું નામ હતું ’હિંદુઓનો એક નવીન સંપ્રદાય’. એ નિબંધને ખ્રિસ્તી પાદરી વિલિયમ હોજે તેની ડાયરીમાં લખ્યો અને લાઇબ્રેરીઓમાં મુકાવડાવ્યો. આ બધા વર્ષો દરમિયાન સહજાનંદના શિષ્યો અને અંગ્રેજો – પાદરીઓ વચ્ચે બાઈબલ અને શ્રીમદ્ ભાગવદ જેવા ગ્રંથોની આપ લે થઈ અને તેના પર ગહન ચર્ચાઓ પણ થઈ.
ઇસ 1825 માં વડતાલ મંદિરના નિર્માણ દરમિયાન બિશપ હેબર સહજાનંદ સ્વામીને મળવા આવ્યા, અને સહજાનંદે તેમની પાસે વડતાલ મંદિરના નિર્માણ માટે આર્થિક સહાય માંગી. બિશપ અને તેમના વચ્ચે ઇશ્વરની સંકલ્પના અંગે ખ્રિસ્તી અને હિંદુ વિચારની ચર્ચા થઈ. ચર્ચાના અંતે હેબરે એમ કહીને મંદિર માટે પૈસા આપવાની ના પાડી કે સહજાનંદની ઇશ્વરની સંકલ્પના બાઈબલના વિચારની નજીક છે, પણ એ હજી પૂર્ણ પણે જિસસ જેવા એકમાત્ર ઇશ્વર જેવી એકેશ્વરવાદની સંકલ્પના નથી. એટલે હેબર તેમને મંદિર માટે પૈસા નહિ આપે, પણ બાજુમાં નિર્માણ પામી રહેલા સભાગૃહ અને હોસ્પિટલ માટે પૈસા આપશે. આમ કહીને સહજાનંદને તેમના નવીન હિંદુ પંથમાં એકમાત્ર સર્વોપરી ઇશ્વર સ્થાપવા ધકેલાયા અને એજ વર્ષે બાદમાં સહજાનંદ સ્વામીએ વડતાલ મંદિરમાં પોતાની મૂર્તિ સ્થાપી. અને એ પછી એ બધી વાતો વચનામૃતમાં વચ્ચે વચ્ચે કહેવાઈ. અને ત્યાંથી ઇસ 1830 માં સહજાનંદ સ્વામીના મૃત્યુના બે મહિના પહેલાં જ્યારે તે અતિશય બીમાર હતા અને મૃત્યુ શૈયા પર હતા, ત્યારે એ બધા અંગ્રેજ અધિકારીઓ અને બિશપોને સહજાનંદ પાછળ લગાવનાર બોમ્બે પ્રેસિડન્સીનો ગવર્નર માલ્કમ સહજાનંદને પહેલીવાર મળવા આવ્યો. ત્યાં જે પણ વાત થઈ હોય તે, પણ બે મહિના પછી સહજાનંદના મૃત્યુ પછી તેમના શિષ્યોએ ભગવાન કૃષ્ણને બાજુ પર મૂકી સહજાનંદને સ્વામિનારાયણ તરીકે એકમાત્ર સર્વોપરી ભગવાન કહેતા પુસ્તકો રચવાના શરૂ કરી દીધા. હોઈ શકે એનું નિર્માણ તે પહેલાંના વર્ષોમાં શરૂ થઈ ગયું હોય અને પાછળથી જાહેર કરાયા હોય. જેમ અત્યારે ઇઅઙજ ના ભદ્રેશ દાસનું અક્ષર પુરુષોત્તમ દર્શનનું પુસ્તક જાહેર નથી કરાતું, પણ અંદરખાને સ્વીકૃતિના થપ્પા મરાવવા ઉપયોગમાં લેવાય છે.
ગુજરાત બહારના બ્રાહ્મણ આચાર્યોની ભૂલ અને અપરાધ:
મહાકુંભ 2025 દરમિયાન વિશિષ્ટાદ્વૈતના આચાર્ય વિદ્યાસાગરજીએ ઇઅઙજના અક્ષર પુરુષોત્તમ દર્શનનું ખંડન કરતો ગ્રંથ બહાર પાડ્યો, અને તેને સનાતન ધર્મ તેમજ વૈદિક ઇશ્વરોનું અપમાન કરતું ભ્રષ્ટ સાહિત્ય કહ્યું. પણ એજ ગ્રંથમાં ઠેર ઠેર લખેલી બ્રાહ્મણ જ દીક્ષા આપી શકે અને કર્મકાંડ કરી શકે વાળી સ્મૃતિ ગ્રંથોની વાતોથી એજ દેખાયું કે એ ગ્રંથ ઇઅઙજ માં બધું ક્રિયાકાંડ પટેલોમાંથી સ્વામીઓ બનેલા લોકો કરાવે છે એના વિરોધમાં લખાયું છે. કારણકે એજ ગ્રંથમાં તેમણે વડતાલ ગાદીને શિક્ષાપત્રી અને વચનામૃતના આધારે સ્મૃતિઓના કર્મકાંડ આધારિત નિયમો પાળતો હોવાનું કહીને વૈદિક ધર્મના ભાગ તરીકે સ્વીકૃતિ આપી. સાથે ભગવાન શંકરાચાર્ય, ભગવાન રામાનુજાચાર્યની હરોળમાં એજ અર્થે ’ભગવાન સ્વામિનારાયણ’ ઉચ્ચારણને પણ સ્વીકૃતિ આપી.
હવે, આ વાતને હાથો બનાવી ઇઅઙજ અને તેના ભદ્રેશદાસ પહોંચ્યા સંઘ અને બીજેપીના લોકો પાસે, અને આને જન્મથી જાતિ વાળી બ્રાહ્મણવાદી વાત બતાવી સંઘના કર્મથી વર્ણ વાળી વાતના નેરેટિવને આગળ ધપાવવા પોતાને મદદ કરવા કહ્યું. બીજા જ અઠવાડિયે સંઘ સાથે જોડાયેલા આચાર્યો ઇઅઙજ અને ભદ્રેશદાસના એ વિકૃત દર્શનને પણ સ્વીકૃતિ આપતા ફોટામાં દેખાયા. બસ, તો આ રાજકારણ ચાલ્યું છે મહાકુંભમાં. બંને બાજુના મૂર્ખાઓને એ તથ્યનું ભાન નથી કે એ ગમે તે દર્શન હોય કે શિક્ષાપત્રી કે વચનામૃત હોય, તેમને સ્વીકૃતિ ગુજરાતમાં જે ચાલે છે તે સર્વોપરી વાળી વાતની જોઈએ છે. તમામ વૈદિક ઈશ્વરોને લુપ્ત કરી દઈ જિસસ જેવા એકમાત્ર સર્વોપરી ઇશ્વરમાં હિંદુ ધર્મને ફેરવી દેવો, જેના મુખ્ય ગ્રંથો પેલા અંગ્રેજો અને પાદરીઓએ લખાવેલા સર્વોપરી ઉપાસનાવાળા ગ્રંથો હોય, અને સમાજની સત્તા એ પાદરીઓ જેવા સંપ્રદાયના સ્વામીઓના હાથમાં હોય.
તો, આપણા એ સ્વીકૃતિ આપનાર બ્રાહ્મણ આચાર્યોને કેટલાક પ્રશ્ન છે.
1 કાલે ચર્ચમાં જીસસની પૂજા કરવા પણ ખાલી બ્રાહ્મણ જ એ પૂજા કરી શકે એવો નિયમ કરવામાં આવે, તો શું તમે એ જિસસ અને ચર્ચને પણ સ્વીકારી લેશો?

2 જો ભારતની મસ્જિદમાં અઝાન બોલવાનો કે ભારતમાં મૌલાના બનવાનો અધિકાર જન્મથી બ્રાહ્મણને જ રહેશે એવું સાઉદી આરબમાંથી સ્વીકારી લેવામાં આવે, તો શું તમે અલ્લાહ અને મસ્જિદને પણ સ્વીકારી લેશો?

બસ, પોતાની જાતને આ બે પ્રશ્નોના ઉત્તર આપો એટલે સમજાઈ જશે કે તમે આ સંપ્રદાયવાળી વાતમાં શું કરી રહ્યા છો. અને આ જ પ્રશ્નો સંઘ અને સંઘ સાથે જોડાયેલા એ સંતોને પણ છે. કોઈ વેદાંતી સંત નથી રહેવાનો, ના કોઈ વેદાંત રહેવાનું છે જો આ સંપ્રદાયને ખુલ્લો દોર આપ્યો. જે અક્ષર પુરુષોત્તમ દર્શનને માન્યતા આપવા ચાલ્યા છો તેમાં પુરુષોત્તમ એટલે સાકાર સહજાનંદ સ્વામી છે, અને અક્ષર એટલે ઇઅઙજ ની સંસ્થાનો પ્રમુખ છે. કેથોલિક ચર્ચનું મોડલ. એ દર્શન કહેવા માંગે છે કે અદ્વૈત જેવું કંઈ છે નહીં. સંસારને બનાવવાવાળા જિસસ જેવા સ્વામિનારાયણ અક્ષરધામમાં સાકાર રૂપે બેઠા છે. તેમને માનવાથી અને તેમને વૈદિક ઈશ્વરોથી સર્વોપરી મૂળ પરમેશ્વર માનવા માત્રથી મનુષ્ય મર્યા પછી અક્ષરધામ રૂપી હેવનમાં સ્થાયી થઈ જશે.
ભગવાન કૃષ્ણએ ગીતા પણ એટલે કહી, કારણકે તે સમયે પુરુષોત્તમ સ્વામિનારાયણ તેમનામાં પ્રવેશ કરી ગયા હતા કે તેમનામાં જાગૃત થયા હતા. તેમની કૃપાથી એ બોલાયું. પોતાને હિંદુ ધર્મના અને હિન્દુત્વના ઠેકેદાર કહીને સમાજ પર આ ગંદકી સ્થાપવા નિકળ્યા છો તમે. શિવાજી, સાંભાજી, મહારાણા પ્રતાપ અને લક્ષ્મીબાઈ જેવા નાયકો જે સનાતન ધર્મ અને આરાધ્ય એવા મા ભવાની અને મહાદેવની ઉપાસના બચાવવા લડ્યા તેમને તેમનું જ નામ લઈ ખતમ કરવાના કાર્યમાં પ્રવૃત્ત છો. પાછા તો વળો જ, પણ થોડી પોતાના તરફ શરમ કરીને પાછા વળો.

- Advertisement -

 

You Might Also Like

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

બ્યૂરોક્રેસીમાં ‘ગાંધીનગર લોબી’ મજબૂત : ગુજરાતમાં 18 GASના IASને પ્રમોશન માસ્ટરસ્ટ્રોક

આઇકોનિક અમેરિકન ટેક્નોલોજી જાયન્ટ ઝેરોક્ષ કોર્પોરેશનનો ઇતિહાસ, તેનું વૈશ્વિક યોગદાન અને તેની આજ

TAGGED: Kumbh Mela, philosophies
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હોળી: ધૂળ અને સેક્સની પવિત્રતાનો તહેવાર
Next Article મલ્હારની નવી નક્કોર ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની

Khaskhabar Editor Khaskhabar Editor 55 minutes ago
ટ્રકમાં બનાવેલી એક્સ્ટ્રા ડીઝલ ટેન્કમાં સંતાડેલો 372 બોટલ દારૂ ઝડપાયો : 11.53 લાખનો મુદામાલ કબ્જે
નહેરૂનગરમાં ગાળો બોલવા પ્રશ્ને બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ : જાહેરમાં છરીઓ ઉડી
જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિનો દેવસ્થાન સમિતિ સામે મોરચો : ચાર વર્ષથી ન્યાયની રાહ
દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?