By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મે મહિનામાં ભારત-પાકિસ્તાન લશ્કરી સંઘર્ષ દરમિયાન ‘પાંચ જેટ તોડી પાડવામાં આવ્યા: ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો
    9 hours ago
    મ્યાનમાર, તિબેટ અને અફઘાનિસ્તાનમાં અનેક ભૂકંપના આંચકા અનુભવાયા
    10 hours ago
    પાકિસ્તાની પંજાબમાં પૂરથી 24 કલાકમાં 63નાં મોત: 290 ઘાયલ
    11 hours ago
    અમેરિકાએ પાકિસ્તાન સમર્થિત TRFને આતંકી સંગઠન જાહેર કર્યું
    1 day ago
    ટ્રમ્પને પગમાં સોજો આવવાથી નસની બીમારી હોવાનું નિદાન થયું: વ્હાઇટ હાઉસ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આમ આદમી પાર્ટીના I.N.D.I.A અને રામ-રામ
    5 hours ago
    ટાટા ગ્રુપે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે 500 કરોડનું ટ્રસ્ટ સ્થાપવાની જાહેરાત કરી
    9 hours ago
    વ્યાપમ કૌભાંડમાં તેમનું નામ કેવી રીતે આવ્યું તેની સીબીઆઈ તપાસની ઉમા ભારતીએ માંગ કરી
    9 hours ago
    તિરુપતિ મંદિર બોર્ડે ચાર બિન-હિન્દુ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા, આ મોટું કારણ સામે આવ્યું
    10 hours ago
    ભારતમાં પહેલીવાર ડિજિટલ ધરપકડનો ગુનો: બંગાળની કોર્ટે 9 લોકોને આજીવન કેદની સજા ફટકારી
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    2 days ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    2 days ago
    વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના પતન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જવાબદાર – ભૂતપૂર્વ ક્રિકેટરોએ ચોંકાવનારા દાવા કર્યા
    2 days ago
    IND vs ENG 2025: ઇંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટમાં આચારસંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકાર્યો
    3 days ago
    સાઇના નેહવાલ અને પારુપલ્લી કશ્યપ 7 વર્ષના લગ્નજીવન બાદ અલગ થયા
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ક્યૂંકી સાસ ભી કભી બહુ થી નવો પ્રોમો: સ્મૃતિ ઈરાનીની તુલસી ‘સંસ્કાર’ના મહત્વ વિશે વાત કરે છે, બાને શ્રદ્ધાંજલિ આપે છે
    9 hours ago
    સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દીકરીને જન્મ આપ્યો
    2 days ago
    અરિજિત સિંહ દિગ્દર્શક બન્યા, સમગ્ર ભારતમાં જંગલ એડવેન્ચર ફિલ્મનું દિગ્દર્શન કરશે
    3 days ago
    કર્ણાટકમાં મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો માટે 200 રૂપિયાની ટિકિટ મર્યાદા ફરીથી સ્થાપિત
    3 days ago
    સાન રેચલ ગાંધીનું મૃત્યુ: લોકપ્રિય મોડેલ અને પ્રભાવશાળી વ્યક્તિનું પુડુચેરીમાં 26 વર્ષની ઉંમરે આત્મહત્યા
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    9 hours ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    1 week ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    1 week ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 weeks ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    5 hours ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    1 day ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    1 week ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નોન-વેજ મિલ્ક શું છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > નોન-વેજ મિલ્ક શું છે
આંતરરાષ્ટ્રીય

નોન-વેજ મિલ્ક શું છે

Khaskhabar Editor
Last updated: 2025/07/19 at 4:06 PM
Khaskhabar Editor 6 hours ago
Share
6 Min Read
SHARE

ભારતને અમેરિકાના કરોડોના વેપાર સામે શું વાંધો છે?

‘નોન-વેજ મિલ્ક’ પર સાંસ્કૃતિક ચિંતાઓને ટાંકીને અમેરિકન ડેરી ઉત્પાદનોની આયાતને મંજૂરી આપવા ભારત સરકારનો સ્પષ્ટ ઇનકાર

- Advertisement -

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ટેરિફ લાદવાની અંતિમ તારીખ 9 જુલાઈને આગળ વધારીને 1 ઑગસ્ટ કરી દેવાઈ છે. આની સાથે જ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધિત વાટાઘાટો પણ ચાલુ છે. બંને તરફથી વચગાળાની ટ્રેડ ડીલની આશા છે, જેની જાહેરાત જલદી થઈ શકે છે. જોકે, અમેરિકા સતત કૃષિ અને ડેરી પ્રોડક્ટ માટે ભારતીય બજાર ખોલવાની માગ કરી રહ્યું છે, પરંતુ ભારતે કૃષિ અને ડેરી ક્ષેત્રની સુરક્ષા માટે નમતું ન ઝોકવાનો સંકેત આપ્યો છે. ભારત સરકારે ’નોન-વેજ મિલ્ક’ પર સાંસ્કૃતિક ચિંતાઓને ટાંકતાં અમેરિકન ડેરી ઉત્પાદનોની આયાતને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. આ સમજૂતીથી બંને દેશો વચ્ચેનો વેપાર વર્ષ 2030 સુધી 500 અબજ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતે કૃષિ ક્ષેત્ર અને ડેરી ઉત્પાદનો અંગે સ્પષ્ટ કહ્યું છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા માટે આ અંગે ’કોઈ વાટાઘાટોનો સીધો સ્વીકાર નહીં કરી શકે’. ભારત અમેરિકન ડેરી પ્રોડક્ટ માટે કડક નિયમો લાગુ કરવા માગે છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે આયાત કરેલું દૂધ એવી ગાયોનું હોય જેમને જાનવરોના માંસ અથવા લોહીવાળો ચારો ન ખવડાવાયો હોય. ડેરી અંગે ભારતનું વલણ રક્ષાત્મક છે, કારણ કે ડેરી ઉદ્યોગથી દેશમાં કરોડો લોકોનું ગુજરાન ચાલે છે. જેમાં મોટા ભાગના નાના ખેડૂતો છે. જોકે, અમેરિકાએ આને બિનજરૂરી વેપારી અવરોધ (ટ્રેડ બેરિયર્સ) ગણાવ્યો છે. નિષ્ણાતો માને છે કે જો વાટાઘાટો નિષ્ફળ જવાની સ્થિતિમાં ટ્રમ્પ ભારત પર 26 ટકા ટેરિફ દર ફરીથી લાગુ કરે એવી સંભાવના ઓછી છે. અમેરિકા ભારત સાથે પોતાની 45 અબજ ડોલરની વેપાર ખાધને ઘટાડવા માટે કૃષિ અને ડેરી નિકાસ માટે દરવાજા ખોલવાની માગ કરી રહ્યું છે. જોકે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને 23 દેશોને ચિઠ્ઠી મોકલી છે અને ટેરિફની સમયમર્યાદા એક ઑગસ્ટ સુધી વધારી દીધી છે. ગ્રામીણ અર્થતંત્રમાં ભારતના ડેયરી સેક્ટરનું મહત્ત્વપૂર્ણ યોગદાન માનવામાં આવે છે. ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો વર્ષ 2023-24માં દેશમાં 23.92 કરોડ ટન દૂધનું ઉત્પાદન થયું હતું. કુલ દૂધ ઉત્પાદનમાં દુનિયામાં ભારતનું પ્રથમ સ્થાન છે. ભારતે 2023-24માં 27.26 કરોડ ડોલરના 63,738 ટન ડેરી ઉત્પાદનની નિકાસ કરી હતી. સૌથી વધુ નિકાસ યુએઈ, સાઉદી અરેબિયા, અમેરિકા, ભૂતાન અને સિંગાપુરને થાય છે. ડેરી ઉત્પાદનોની આયાત પર ભારતમાં સારો એવો ટેરિફ છે. ભારતમાં ચીઝ (એક પ્રકારનું પનીર) પર 30 ટકા, માખણ પર 40 ટકા અને મિલ્ક પાઉડર પર 60 ટકા ટેરિફ લગાવ્યો છે. આ જ કારણ છે કે ન્યૂઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોથી આ ઉત્પાદનો આયાત કરવા લાભકારી નથી, જ્યારે આ દેશોના ડેરી ઉત્પાદનો સસ્તાં છે. જો ભારત અમેરિકન ડેરી ઉત્પાદનો માટે પોતાના દરવાજા ખોલવાનો નિર્ણય લે તો તેને ભારે નુકસાન વેઠવું પડી શકે છે. ભારતીય સ્ટેટ બેન્કના હાલમાં આવેલા એક રિપોર્ટ અનુસાર, જો અમેરિકન ડેરી પ્રોડક્ટની પરવાનગી મળે તો આનાથી ભારતીય ડેરી ઉત્પાદનોના ભાવમાં ઓછામાં ઓછા 15 ટકાનો ઘટાડો આવશે અને આનાથી ખેડૂતોને દર વર્ષે 1.03 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ડેરી ઉત્પાદનો ખોલવાના કારણે ભારતીય ડેરી ઉત્પાદક દેશમાંથી ડેરી ઉપભોક્તા દેશ બની શકે છે.

શું છે નોન-વેજ મિલ્ક ?
અમેરિકા ઇચ્છે છે કે ભારત તેની પાસેથી ડેરી ઉત્પાદનો વધારે ખરીદે પણ ભારત આસ્થા અને સંસ્કૃતિને કારણે આવું નથી કરવા માગતું. ભારતમાં એક મોટી વસ્તી શાકાહારી છે અને જાનવરોના માંસ સાથે જોડાયેલો ચારો ખાનારી ગાયોના દૂધને પોતાની ધાર્મિક માન્યતાને અનુરૂપ નથી માનતી. આવી ગાયોના દૂધને નોન-વેજ મિલ્ક કહેવાય છે. અમેરિકન ડેરી ઉદ્યોગોમાં ગાયોને વજન વધારવા માટે આવો ચારો આપવામાં આવે છે જેમાં જાનવરોનું માંસ અથવા લોહી મળેલું હોય છે. આને કારણે તેને ’બ્લડ મિલ્ક’ પણ કહેવાય છે. સિએટલ ટાઇમ્સના એક લેખ અનુસાર, “ગાયોનો એવો ચારો આપવામાં આવે છે જેમાં ભૂંડ, માછલી, ચિકન, ઘોડા અને બિલાડી અથવા કૂતરાનું માંસ હોય છે. અને જાનવરોને પ્રોટીન માટે ભૂંડ અને ઘોડાનું લોહી આપવામાં આવે છે. જ્યારે વજન વધારવા માટે આ જાનવરોની ચરબીનો હિસ્સો પણ સામેલ હોય છે. ”

‘બ્લડ મીલ’ કોને કહે છે?
બીબીસી હિંદીમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, ’બ્લડ મીલ ’ મીટ પેકિંગ વ્યવસાયનું બાય-પ્રોડક્ટ હોય છે અને આને બીજા જાનવરોને ખવડાવવા માટે વપરાય છે. જાનવરોને માર્યા બાદ તેમનું લોહી ભેગું કરીને તેને સુકવીને એક ખાસ પ્રકારનો ચારો બનાવાય છે- તેને ’બ્લડ મીલ ’ કહેવાય છે. આ લાઇસીન નામના એમિનો ઍસિડ (ગાય માટે પ્રોટીનમાં મળતા દસ જરૂરી એમિનો ઍસિડમાંથી એક)નો સારો સ્રોત છે અને તેનો ઉપયોગ પશુપાલન વ્યવસાયમાં ખાસ રીતે થાય છે. દૂધિયાં પશુઓને તંદુરસ્ત બનાવવા અને વધુ દૂધ માટે તેમને નિયમિત રીતે ખાવા માટે ’બ્લડ મીલ’ આપવામાં આવે છે. દૂધિયાં પશુઓ સિવાય તેમનો ઉપયોગ પશુપાલન ઉદ્યોગમાં મોટાપાયે કરવામાં આવે છે. તેનો ઉપયોગ નાઇટ્રોજન વધારવા માટે ખાતર તરીકે પણ કરાય છે. ગાયોના શરીરમાં મળતા પ્રોટીનમાં લગભગ દસ પ્રકારના જરૂરી એમિનો ઍસિડ હોય છે જેમાંથી બે બહુ મહત્ત્વપૂર્ણ છે – લાઇસીન અને મિથિયોનાઇન. ગાયો પ્રોટીન સિવાય એમિનો ઍસિડ્સ પચાવવામાં સક્ષમ હોય છે એટલે તેમને ખાવામાં ’બ્લડ મીલ ’ અને મકાઈ આપવામાં આવે છે. જ્યારે ’બ્લડ મીલ’ લાઇસીનનો સ્રોત હોય છે અને મકાઈમાં મિથિયોનાઇન હોય છે. મિનિસોટા વિશ્વવિદ્યાલયના એક શોધમાં જાણવા મળ્યું કે આવો ચારો આપવાથી લોહીમાં લાઇસીનની માત્રા બગડે છે. તેની જગ્યાએ સોયાબીન પણ લાઇસીનનો સારો સ્રોત છે. ભારતમાં કેટલાંક ઑનલાઇન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ ખેતી માટે ’બ્લડ મીલ ’ વેચાય છે. ફીડિપીડિયા નામની વેબસાઇટ અનુસાર ’બ્લડ મીલ’ બનાવવાથી કતલખાનામાં કચરો ઓછો થાય છે અને પ્રદૂષણ ઘટે છે પરંતુ જાણકારો માને છે કે લોહી સૂકવવાની પ્રક્રિયામાં સારી એવી વીજળી ખર્ચાઈ શકે છે.

- Advertisement -

You Might Also Like

મે મહિનામાં ભારત-પાકિસ્તાન લશ્કરી સંઘર્ષ દરમિયાન ‘પાંચ જેટ તોડી પાડવામાં આવ્યા: ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો

મ્યાનમાર, તિબેટ અને અફઘાનિસ્તાનમાં અનેક ભૂકંપના આંચકા અનુભવાયા

પાકિસ્તાની પંજાબમાં પૂરથી 24 કલાકમાં 63નાં મોત: 290 ઘાયલ

અમેરિકાએ પાકિસ્તાન સમર્થિત TRFને આતંકી સંગઠન જાહેર કર્યું

ટ્રમ્પને પગમાં સોજો આવવાથી નસની બીમારી હોવાનું નિદાન થયું: વ્હાઇટ હાઉસ

TAGGED: non-veg milk
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુંબઈ ઇતિહાસ અને વર્તમાન
Next Article થાનગઢના જામવાડી ખાતે કોલસાની લીઝ ધારક દ્વારા નિયમોના ભંગ બદલ કાર્યવાહી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

અમરેલી: ઓનલાઇન ગેમિંગ ફ્રોડનો ભોગ બનેલી યુવતીનો આપઘાત, રૂ. 28 લાખનું દેવું કારણભૂત

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
જામનગરના વ્યાજખોરોએ 20% વ્યાજ વસૂલતાં યુવક હિજરત કરી રાજકોટ આવી ગયો
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં સરકારની તત્કાલીન ચીફ ઑફિસર વિરૂદ્ધ કાર્યવાહી
વાંકાનેરના જાલીડા ગામની સીમમાંથી 14.97 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
મોરબીની છ જેટલી ક્લસ્ટર કચેરી સહિત પમ્પિંગ સ્ટેશનમાં પણ હવે ઇમરજન્સી વખતે સાયરન વાગશે
મોરબી શહેર જિલ્લામાં પોલીસ દ્વારા મેગા પ્રોહીબિશન કોમ્બિંગ હાથ ધરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

મે મહિનામાં ભારત-પાકિસ્તાન લશ્કરી સંઘર્ષ દરમિયાન ‘પાંચ જેટ તોડી પાડવામાં આવ્યા: ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
આંતરરાષ્ટ્રીય

મ્યાનમાર, તિબેટ અને અફઘાનિસ્તાનમાં અનેક ભૂકંપના આંચકા અનુભવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની પંજાબમાં પૂરથી 24 કલાકમાં 63નાં મોત: 290 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?