ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રામ જન્મભૂમિ અયોધ્યામાં વ્યવસ્થા કમીટીની સાથે દસ દિવસ સુધી અયોધ્યા ખાતે આવનાર રામભક્તોની સેવા માટે ગુજરાતમાથી અનેક સેવાભાવી કાર્યકરો જોડાયા હતા રામ ભક્તોએ અયોધ્યા રેલ્વે સ્ટેશનને સ્વાગત, આવાસ,રામ લલ્લાના દર્શન, ભોજન અને પરત જવાની તમામ વ્યવસ્થા જુનાગઢ ઉપાધ્યાયક્ષ ભરતભાઈ બાલસ, કિશાન મોર્ચાના ઉપાધ્યાયક્ષ મેણસીભાઇ સારીયા તથા વોર્ડ પ્રમુખ પ્રગ્નેશ ભાઈ રાવલે પણ દસ દિવસ સુધી અયોધ્યા ખાતે સેવાકાર્યમાં ફરજ બજાવી હતી અને સેવાકાર્ય કરીને પરત ફરેલ ત્યારે તેમનું સ્વાગત યૃવા મોરચા મહામંત્રી પરાગ રાઠોડ, ધવલ બાલસ તથા કાર્યકરો દ્વારા જુનાગઢ રેલ્વેસ્ટેશન ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
અયોધ્યા રામ જન્મભૂમિથી દસ દિવસે પરત ફરતા રામભક્તોનું સ્વાગત
