શહેર-જિલ્લાના 37 જેટલા આર્ટિસ્ટ પોતાની કલાકૃતિ રજુ કરશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર થીમ પર ગિરનાર તળેટી વિસ્તારમાં આજથી વોલ પેઇન્ટિંગ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો જેમાં જૂનાગઢ શહેર જિલ્લાના 37 જેટલા આર્ટિસ્ટ પોતાની કલાકૃતિ રજુ કરશે.
આજથી બે દિવસ યોજાનાર આ વોલ પેઇન્ટિંગ સ્પર્ધામાં 37 આર્ટિસ્ટ પોતાના કલા કસબ દ્વારા ગિરનાર પ્લાસ્ટિક મુક્ત રહે તેવા સંદેશ આપતા રંગબેરંગી ચિત્રો દિવાલ પર કંડારશે. જેથી ગિરનાર દર્શને આવતા પ્રવાસીઓને પ્રતિબંધિત અને પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિક વપરાશ ન કરવા માટે પ્રેરણા મળશે આ આર્ટિસ્ટ ગિરનાર ગેઈટ, ગિરનારની નવી સીડી, સુદર્શન તળાવ, માધવ આશ્રમ, રોપ વે પાર્કિંગ સહિતના સ્થળની દિવાલ પર પ્લાસ્ટિક મુક્ત ગિરનારની થીમ ઉપર કલાત્મક અને રંગબેરંગી ચિત્રો કંડારશે.
આ ઓલ પેઇન્ટિંગ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને પુરસ્કાર આપી પ્રોત્થ્સાહિત કરવામાં આવશે.