By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઇલેન્ડ-કંબોડિયા સંઘર્ષનું કેન્દ્રબિંદુ હિન્દુ મંદિરોનું એક જૂથ કેમ છે?
    7 hours ago
    પાકિસ્તાન અને બાંગ્લાદેશ રાજદ્વારીઓ અને અધિકારીઓ માટે ફ્રી વિઝા કરાર
    8 hours ago
    વિવાદિત સરહદ પર થાઇલેન્ડ અને કંબોડિયામાં ગોળીબાર, 9 લોકોના મોત
    8 hours ago
    રશિયન વિમાન ક્રેશ, લેન્ડિંગ દરમિયાન પાઇલટની ભૂલની શંકા, તેમાં સવાર તમામ 49 લોકોના મોત
    1 day ago
    કંબોડિયનમાં મોટા પાયે કાર્યવાહી: સાયબર કૌભાંડમાં 105 ભારતીયો સહિત 3075થી લોકોની ધરપકડ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનમાં સ્કૂલમાં છોકરાઓ ભણતાં હતા ને ઇમારત ધરાશાયી થઈ
    4 hours ago
    મુંબઈમાં રેડ એલર્ટ
    4 hours ago
    મેઘાલય લગ્ન પહેલાં HIV પરીક્ષણ ફરજિયાત બનાવવા માટે કાયદા પર વિચાર કરી રહ્યું છે: આરોગ્ય પ્રધાન
    6 hours ago
    પ્રધાનમંત્રી મોદીએ કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરી, ‘એક પેડ મા કે નામ’ હેઠળ વૃક્ષનો છોડ આપ્યો
    7 hours ago
    કન્ટેન્ટ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ સરકારે ઉલ્લુ, ALTT સહિત 25 OTT પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
    1 day ago
    IND Vs ENG વચ્ચે ચોથી ટેસ્ટ આજથી શરૂ થશે: પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો ચોથો મુકાબલો મેન્ચેસ્ટરમાં યોજાશે
    2 days ago
    ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી: ખેલાડીઓએ જર્સીની આપ-લે કરી
    4 days ago
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    1 week ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ફિલ્મ વોર 2નું ટ્રેલર રીલીઝ, બંને સ્ટાર્સ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી
    6 hours ago
    રજનીકાંત ‘કુલી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતાની આત્મકથા લખી રહ્યા છે
    7 hours ago
    એક્શન-થ્રિલર ગાંધારી પછી તાપસી પન્નુ કોમેડીનો અનુભવ કરશે
    2 days ago
    સૈયારા, મેટ્રો… સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?
    3 days ago
    દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    શ્રાવણ 2025 : શ્રાવણમાં ઉપવાસ કરો છો ત્યારે આ વાતોનું ખાસ ધ્યાન રાખો
    8 hours ago
    ભોળાનાથને રિઝવવાનો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ
    1 day ago
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    6 days ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    2 weeks ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    6 days ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    1 week ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    2 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વૃંદાવનધામ ત્રિદિવસીય મનોરથ, ધ્વજાજી ઉત્સવ રાજકોટવાસીઓ માટે યાદગાર સંભારણું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વૃંદાવનધામ ત્રિદિવસીય મનોરથ, ધ્વજાજી ઉત્સવ રાજકોટવાસીઓ માટે યાદગાર સંભારણું
રાજકોટ

વૃંદાવનધામ ત્રિદિવસીય મનોરથ, ધ્વજાજી ઉત્સવ રાજકોટવાસીઓ માટે યાદગાર સંભારણું

Khaskhabar Editor
Last updated: 2025/01/10 at 4:31 PM
Khaskhabar Editor 7 months ago
Share
7 Min Read
SHARE

ઉકાણી પરિવાર ભવ્ય – દિવ્ય મનોરથ પ્રસંગે ઇશ્વરીયાના વૃંદાવનધામમાં ‘ગોકુળીયો’ માહોલ

મનોરથ ઉત્સવને ‘સોનેરી સંભારણું’ બનાવવા બદલ ધર્મપ્રેમી જનતાનો આભાર માનતા : મૌલેશભાઇ ઉકાણી

- Advertisement -

ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીની દીકરીના લગ્નમાં આવનાર મહેમાનોનાં નામ સાથે વૃક્ષ

5000 વૃક્ષનું વાવેતર કરી જતન કરવાનો નિર્ણય: દર 3 મહિને તેઓને ફોટા સાથે અપડેટ મોકલાશે

યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારએ વૃંદાવનધામ ખાતે ‘ધ્વજાજી’ના દર્શન કર્યા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
ગુજરાતના હર્બલ જાયન્ટ તરીકે ઓળખાતા દિગ્ગજ ઉદ્યોગપતિ અને બાનલેબ ના મેનેજીંગ ડાયરેકટર મૌલેશભાઇ ઉકાણી પરિવાર દ્રારા યોજાયેલા ત્રિદિવસીય મનોરથ ઉત્સવમાં ઇશ્વરીયા ખાતે ભવ્યાતિભવ્ય ‘વૃંદાવન ધામ’ ને નિહાળવા ત્રણ દિવસમાં રાજકોટની ધર્મપ્રેમી જનતાએ સહભાગી બની મનોરથ ઉત્સવને સોનેરી સંભારણું બનાવ્યુ હતું.
ઉકાણી પરિવારની લાડકવાયી દિકરી ચિ. રાધાના લગ્નોત્સવ પૂર્વ યોજાયેલા ત્રિદિવસીય મનોરથ અને નાથદ્વારાની ‘ધ્વજાજી’ ના દર્શન કરી રાજકોટના વૈષ્ણવો અને ધર્મપ્રેમી જનતાએ આ અલોકિક અવસરનો મોટી સંખ્યામાં ધર્મલાભ લીધો છે. ઉકાણી પરિવાર દ્વારા સ્વજનો, મિત્રવર્તુળ, મોંધોરા મહેમાનો, સગા-સંબંધીઓ, રાજકીય-સામાજીક આગેવાનો ઉપરાંત આ ભવ્ય- દિવ્ય મનોરથ ઉત્સવમાં રાજકોટની જનતાને પણ જાહેર આમંત્રણ પાઠવી આ અણમોલ અવસરમાં ધર્મપ્રેમીઓને સહભાગી કર્યા હતા.
ત્રણ દિવસના મનોરથ પ્રસંગે રાજકોટની જનતાએ પણ ઉમંગ અને ઉત્સાહ સાથે જોડાયને ઠાકોરજીની ધ્વજાજીના દર્શન તથા વૃંદાવનધામની પ્રતીકૃતિઓ નિહાળી અભિભૂત બની મૌલેશભાઇ ઉકાણી તથા ઉકાણી પરિવાર પર શુભેચ્છા વર્ષા કરી છે.
ત્યારે દાનવીર ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણી એ ઇશ્વરીયાના વૃંદાવન ધામ ખાતે યોજાયેલા મનોરથમાં જોડાય પ્રસંગને ઐતિહાસીક અને સોનેરી સંભારણું બનાવવા બદલ રાજકોટની ધર્મપ્રેમી જનતાનો ખૂબ- ખૂબ આભાર વ્યકત કર્યો હતો.

નાથદ્વારાના વિશાલબાવાના હસ્તે દીપદાન મનોરથ ઉજવાયો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
રાજકોટની ભાગોળે ઇશ્વરીયાના દ્રારકાધીશન ફાર્મ ની 12.5 એકર વિશાળ જગ્યામાં ઉભા કરાયેલા વૃંદાવનધામમાં ઉકાણી પરિવાર આયોજીત ત્રિદિવસીય મનોરથ અને શ્રીનાથદ્વારાના ધ્વજાજી આરોહણ ઉત્સવમાં રાજકોટના લાખો વૈષ્ણવો અને ધર્મપ્રેમી જનતાએ સહભાગી થઇ ‘ગોકુળીયો’ માહોલ સર્જી દીધો છે. લાખો વૈષ્ણવો ભાવિકોએ ‘ઠાકોરજી’ ના દર્શન કરી ધન્યતા અનુભવી છે. બાનલેબ ઉકાણી પરિવાર દ્વારા ત્રીદિવસીય મનોરથ ઉત્સવમાં વૃંદાવન ધામની પાવન ભૂમીમાં સવારે 8:30 થી અને સાંજે 4:30 થી 8:30 દર્શન તથા ધ્વજાજી આરોહણ, છપ્નભોગ મનોરથ, ગૌચરણ મનોરથ, દિપદાન મનોરથના પ્રસંગો ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયા હતા. ગઇ કાલે નાથદ્વારાના પ.પૂ.ગો.પા. 105 વિશાલબાવાના ની નિશ્રામાં દિપદાન મનોરથ ઉજવાયો હતો. વૃંદાવનધામ ખાતે નાથદ્વારાના મોતી મહેલના વિશાળ મંદિરને 5100 દિવડાઓથી શણગારવામાં આવ્યુ હતુ. દિવડાઓના ઝગમગાટથી મોતીમહેલનો અદભૂત અને અલૌકિક દ્રશ્ય સર્જાયુ હતુ. રાજકોટવાસીઓએ બહોળી સંખ્યામાં દિપદાન મનોરથના દર્શનનો લ્હાવો લીધો હતો. ગઇકાલે ઉજવાયેલા દિપદાન મનોરથમાં રાજકોટના વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પૂજય વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારે વૃંદાવનધામ ખાતે પધરામણી કરી ‘ધ્વજાજી’ ના દર્શન કર્યા હતા. ગઇકાલે ઉકાણી પરિવારના ડો. ડાયાભાઇ ઉકાણી, મૌલેશભાઇ ઉકાણી, સોનલબેન મૌલેશભાઇ ઉકાણી, નટુભાઇ ઉકાણી, શ્રીમતી અમીતાબેન નટુભાઇ ઉકાણી, લવ ઉકાણી, રીશા લવ ઉકાણી, જય ઉકાણી, હેમાંશી જય ઉકાણી, ચિ.રાધા અને ચિ. રીશી, વિધી, યુગ સહીતના પરિવારજનોએ પૂ. વિશાલ બાવાના સાનિધ્યમાં દિપદાન મનોરથની ઉજવણી કરી હતી.

દીકરીની દરેક ઈચ્છા પૂર્ણ કરવી એ દરેક પિતાની કોશિશ હોય છે. તેમાં પણ લગ્ન સમયે એટલે કે પિતાના ઘરમાંથી દીકરી વિદાય લે એ પૂર્વે તેમની દરેક ઈચ્છા પુરી કરવામાં આવતી હોય છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં જાણીતા ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીની દીકરી રાધાના લગ્ન પ્રસંગ યોજાનાર છે. ત્યારે તેઓ પણ અન્ય પિતાની જેમ દીકરીની ઈચ્છા પૂર્ણ કરી રહ્યા છે. લગ્નના પ્રસંગો પૂર્વે પ્રભુની સાક્ષાત હાજરી અને આશીર્વાદ મેળવવાની ઈચ્છા પૂર્ણ કરી ત્રણ દિવસીય શ્રીનાથજી ધજા આરોહણ ઉત્સવ બાદ હવે બીજો એક સંકલ્પ પણ પૂર્ણ કરવા જઇ રહ્યા છે. આ સંકલ્પની અંદર તેઓ એક પિતાની જવાબદારી નિભાવી પુત્રીની સાથે સાથે પ્રકૃતિની પણ જાળવણી કરવા સંકલ્પ કર્યો છે.

ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીએ જણાવ્યું હતું કે, દરેક દિશામાંથી અનેક શુભ વિચારો પ્રાપ્ત થાય તેવી હું પ્રાર્થના હમેશા કરું છું. સમાજસેવા સાથે સાથે આ વખત મને મારી દીકરીનો પ્રસંગ યાદગાર બનાવવા માટે અલગ વિચાર આવ્યો છે અને આ માટે અનોખો સંકલ્પ પણ લીધેલો છે. વિશ્વ આખું જ્યારે પર્યાવરણની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે પર્યાવરણ બચાવવા અભિયાન સાથે અમારા પ્રસંગમાં દીકરીને આશીર્વાદ આપવા આવનાર સૌ મહેમાનોના નામે અમે એક વૃક્ષનું જતન કરવાના છીએ. દ્વારકાધીશ સદૈવ અમારી સાથે રહે અને તેની કૃપા સમગ્ર જીવ શ્રુષ્ટિ પર રહે તે માટે છોડમાં પણ રણછોડ માની 5000 વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન અમારા દ્વારા કરવામાં આવશે.

11 જાન્યુઆરી, 2024ને શનિવારના રોજ (આવતીકાલે) દીકરી રાધાની રિંગ સેરેમની યોજાવાની છે. આ માટે આખી યુરોપિયન થીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં સૌ પ્રથમ એન્ટ્રન્સમાં આકર્ષક પ્રવેશ દ્વાર જે ઇગ્નુ આકારનો અને આખો કાચથી મઢેલો છે, જેમાં લાઇટિંગ પણ હશે. ત્યારબાદ એન્ટ્રી પોઈન્ટમાં જ ફોરેનમાં હોય તેવો ફાઉન્ટેન મુકવામાં આવ્યો છે. ખાસ ડિનર સિટિંગની વાત કરીએ તો તેમાં પણ આકર્ષક ડેકોરેશન સાથે ઇગ્નુ આકારમાં નીચે પાણી હોય અને તેની ઉપર ડાઇનિંગ ટેબલ મુકવામાં આવ્યા હોય તેવું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે. તમામ પ્રકારની અલગ-અલગ વાનગીઓ મહેમાનો માટે પીરસવામાં આવશે. જે મુખ્ય સ્ટેજ છે તે પણ ખુબ જ વિશાળ અને આકર્ષક બનાવવામાં આવ્યું છે. રિંગ સેરેમની પછી ખાસ સમારોહ દુબઈ ખાતે આબુધાબીમાં યોજવામાં આવશે.
પુષ્ટીમાર્ગીગ વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રધાન પીઠ ગણાતા શ્રીનાથદ્વારા હવેલીના શ્રી ગો.તિ. રાકેશ ઇંદ્રદમન મહારાજની આજ્ઞા અને પૂ.ગો.ચિ. વિશાલબાવા ની નિશ્રામાં રાજકોટમાં સ્વયંમ ઠાકોરજીનું સ્વરૂપ ગણાતા ‘ધ્વજાજી’ તથા મનોરથ ઉત્સવમાં નાથદ્વારાના મુખ્યા નિલેશ સાંચીહર, તિલકાયતના મુખ્ય સલાહકાર અંજન શાહ, શ્રી નાથદ્વારા મંદિરના અધિકારી અનીલ સનાઢય, લીલાધર પુરોહીત, ઉમંગ મહેતા, પુષ્ટી સંપ્રદાયના પ્રચારક મહર્ષિ વ્યાસ, સહીત શ્રી નાથદ્વારા મંદિરની ટીમ જોડાય હતી. પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં ઠાકોરજી વૈષ્ણવોને દર્શન આપવા તેમના ઘેર જાય તેવી પરંપરાના ભાવ સાથે ‘ધ્વજાજી’ ના રૂપમાં દર્શન આપે છે. જે વૈષ્ણવો નાથદ્વારા ખાતે જઇ શકતા ન હોય તેઓ અહિ શ્રીનાથજી ના દર્શનનો લાભ લઇ ભાવવિભોર બન્યા હતા. ઉકાણી પરિવારના ઇશ્વરીયા સ્થિત દ્વારકાધીશ ફાર્મ ખાતે ઉભા કરવામાં આવેલા વૃંદાવન ધામ ખાતે ત્રિદિવસીય મનોરથ પ્રસંગે વૈષ્ણવો તથા રાજકોટવાસીઓ કૃષ્ણભકિતના રંગે રંગાયા હોય તેવો માહોલ સર્જાયો છે. વૃંદાવન ખાતે નિર્મિત ગીરીરાજ પર્વત, નાથજીના ના મોતી મહેલ, શ્રીજી બાવાના પ્રેમ મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર, દ્રારકાધીશ મંદિરની આબેહુબ પ્રતિકૃતી ના દર્શન માટે ભાવીકો મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. વૃંદાવનધામ ખાતે ‘ઠાકોરજી ના દર્શન તથા મનોરથ ઉત્સવમાં ત્રણ દિવસ માં અંદાજે ર લાખ જેટલા ભાવિકોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

 

You Might Also Like

અબુધાબીથી બેંગ્લોર જતી ફ્લાઈટમાં મુસાફરને હાર્ટની તકલીફ થતા રાજકોટ એરપોર્ટે લેન્ડિંગ

રાજકોટમાં બોગસ આધારકાર્ડ બનાવનાર છ શખ્સોની ધરપકડ કરતી ક્રાઈમ બ્રાંચ

કેકેવી બ્રિજ હેઠળ ગેમઝોનના ચાર્જ જાહેર: બોક્સ ક્રિકેટનું ભાડું કલાકના 400 રૂપિયા

‘મારી ઉમિયા માડી’ આંતરરાષ્ટ્રીય મ્યુઝિક વિડીયોએ ભક્તિમય માહોલ સર્જ્યો

પોરબંદરમાં સગીરા પર ગેંગરેપ: ગાંધીની ભૂમિમાં ઘૃણાસ્પદ કૃત્યથી ખળભળાટ

TAGGED: Rajkot, Ukani family
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રણકાંઠા વિસ્તારમાં ધાબળા વિતરણ કર્યું
Next Article નશાકારક પદાર્થો પકડી પાડવા અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

અબુધાબીથી બેંગ્લોર જતી ફ્લાઈટમાં મુસાફરને હાર્ટની તકલીફ થતા રાજકોટ એરપોર્ટે લેન્ડિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટમાં બોગસ આધારકાર્ડ બનાવનાર છ શખ્સોની ધરપકડ કરતી ક્રાઈમ બ્રાંચ
કેકેવી બ્રિજ હેઠળ ગેમઝોનના ચાર્જ જાહેર: બોક્સ ક્રિકેટનું ભાડું કલાકના 400 રૂપિયા
‘મારી ઉમિયા માડી’ આંતરરાષ્ટ્રીય મ્યુઝિક વિડીયોએ ભક્તિમય માહોલ સર્જ્યો
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ-વકીલો સાથે બેઠક યોજી
પોરબંદરમાં સગીરા પર ગેંગરેપ: ગાંધીની ભૂમિમાં ઘૃણાસ્પદ કૃત્યથી ખળભળાટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

અબુધાબીથી બેંગ્લોર જતી ફ્લાઈટમાં મુસાફરને હાર્ટની તકલીફ થતા રાજકોટ એરપોર્ટે લેન્ડિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

રાજકોટમાં બોગસ આધારકાર્ડ બનાવનાર છ શખ્સોની ધરપકડ કરતી ક્રાઈમ બ્રાંચ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

કેકેવી બ્રિજ હેઠળ ગેમઝોનના ચાર્જ જાહેર: બોક્સ ક્રિકેટનું ભાડું કલાકના 400 રૂપિયા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?