જુનાગઢ મહાનગર ભાજપ દ્વારા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મહાનગર સંગઠન પ્રભારી નીમુબેન બાંભણીયા તથા પ્રમુખ પુનિતભાઈ શર્મા વિશેષ ઉપસ્થિતીમાં મતદાતા ચેતના અભિયાન નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
અભિયાનનો શુભારંભ કરાવતા સાંસદ રાજેશભાઈએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સંગઠન દ્વારા સમગ્ર ભારતમાં 21 થી 31 ઓગસ્ટ સુધી આ અભિયાન ચાલવાનું છે ત્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનાં માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં 25 ઓગસ્ટથી શરૂ થયેલ આ અભિયાન 31 ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાતમાં ચાલશે જેનાં ભાગરૂપે આજે જુનાગઢ મહાનગર ખાતે આ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમ અંતર્ગત મહાનગરનાં દરેક કાર્યકરો ઘર ઘર સુધી પહોચી લોકશાહીનાં પર્વમાં મતદાનથી વંચિતના રહે તેવી ભાવના સાથે જે નવાં મતદાતાઓ છે તે મતદાન કરી શકે જે મતદારયાદીમાં મતદાતાઓના નામોમાં ભુલ હોય તો સુધારો કરવો અને સ્થળ પર જ ફોર્મ 6,7 અને 8 ભરાવવા જેવી કામગીરી કાર્યકરો દ્વારા કરવામાં આવશે.