ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં હાલમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે ત્યારે દેશ-વિદેશથી કરોડો લોકો તેમાં ભાગ લેવા પહોંચી રહ્યા છે. આ દરમિયાન ગુજરાત સરકારે પણ શ્રદ્ધાળુઓ ઓછા ખર્ચે સારી સુવિધાઓ સાથે મહાકુંભની યાત્રા કરી શકે તે માટે વ્યવસ્થા કરી હતી. જે હેઠળ ૠજછઝઈ દ્વારા મહાકુંભ માટે ગુજરાતના વિવિધ શહેરોમાંથી જઝ વોલ્વો બસ દોડાવવાની જાહેરાત કરાઈ હતી. જેની આજથી શરૂઆત થઇ ચૂકી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાકુંભ માટેની એસટી વોલ્વો બસને ગાંધીનગરના સર્કિટ હાઉસથી લીલીઝંડી બતાવી હતી. આ બસ અંગે સરકાર દ્વારા જણાવામાં આવ્યું હતું કે શ્રદ્ધાળુઓ સરળતાથી અને ઓછી કિંમતે મુસાફરી કરી શકે એ માટે તમામ વિભાગોએ સાથે મળીને સુવિધાઓમાં ઉમેરો કર્યો છે. આ ટુર પેકેજ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં શિવપુરી ખાતે રાત્રિ રોકાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ગુજરાતથી મહાકુંભ માટે વોલ્વો ST બસ ઉપડી, CMએ બતાવી લીલીઝંડી
