કટરાથી સાંઝી સુધી રોપ-વે સેવા પણ શરૂ થશે
વૈષ્ણોદેવી જનારા ભકતો માટે મહત્વના અને સારા સમાચાર આવ્યા છે.હવે જમ્મૂ-કાશ્મીર સરકારના એક નિર્ણયના કારણે માતા વૈષ્ણોદેવીનાં દર્શન કરવાનું વધારે સરળ બનવાનું છે. સરકાર દ્વારા જમ્મુથી સીધુ વૈષ્ણોદેવીનાં દરબાર સુધી હેલીકોપ્ટર સર્વીસ શરૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે.
- Advertisement -
માત્ર એટલુ જ નહિં પણ સરકારનું પ્લાનીંગ કટરાથી સાંઝી છત માટે રોપવે સર્વીસ શરૂ કરવાનું પણ છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડનાં સીઈઓ અંશુલ અગ્રવાલે આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે ઉનાળાની રજાઓમાં માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા આવનારા ભકતોની સંખ્યા ખૂબ જ વધારે હોય છે.જેને કારણે બોર્ડ દ્વારા ખાસ સગવડ કરવામાં આવતી હોય છે.
આગામી અઢી મહિના માટે રજીસ્ટ્રેશનનાં કાઉન્ટર્સમાં પણ વૃધ્ધિ કરવામાં આવી છે.જેથી શ્રધ્ધાળુઓને 20 થી 25 મીનીટમાં જ યાત્રા માટેના કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય. હેલી સર્વીસ વિશે વાત કરતા શ્રાઈન બોર્ડે જણાવ્યું હતું કે, છેલ્લા વીસ-બાવીસ વર્ષથી લોકોને એનો ફાયદો થઈ રહ્યો છે. હેલીસર્વીસને એક ડગલુ આગળ વધીને સીધુ જમ્મુથી લઈને ભવન સુધી હેલી સર્વીસ શરૂ કરવામાં આવશે. આ માટે ઓપરેટરર્સે ઈન્ફ્રાસ્ટ્રકચર પર અપગ્રેડ કરી લીધુ છે.