ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.21
રાજુલા શહરેમાં વિશ્વહિન્દુ પરિષદ દ્વારા મિટિંગનું આયોજન કરવામા આવ્યું હતું. આ મિટીંગમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.
- Advertisement -
જેમાં પ્રદેશ લેવલના જિલ્લા લેવલના વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો ઉપસ્થિત રહીને સંગઠનની જવાબદારી સોંપવામાં આવેલ હતી. જેમા અધ્યક્ષ યુવરાજભાઈ ચાંદુ ઉપપ્રમુખ વિનુભાઈ પરમાર (શ્રીરામ), મંત્રી ચિરાગભાઈ જોશી સહમંત્રી શિવમભાઇ સાવલિયા, બજરંગદળ સયોજક ગૌરાંગભાઈ મહેતા, પ્રચાર પ્રસાર સંજીવભાઈ જોશી, સમરસતા કિશોરભાઈ પીપટલા, માતૃશક્તિ વિભાબેન મહેતા,હેતલબેન મેખીયા, ગૌસેવા વિક્રમભાઈ ભરવાડ, સેવા પ્રમુખ ઘનશ્યામભાઈ મશરૂ, સત્સંગ સયોજક મનીષભાઇ કાનાબાર, ધર્મચાર્ય સંપર્ક નિમેષભાઈ ઠાકર, વિધિ પ્રકોષ વિપુલભાઈ હાનાણી, ધર્મપ્રચાર હિતેશભાઈ કાતરીયા તથા રાકેશદાદા,વિશેષસંપર્ક ચિંતનભાઈ મહેતા, કેતનભાઇ મકવાણા સહસેવા પ્રમુખ યુવરાજસિંહ વાળાની વરણી કરવામા આવી હતી.