ASIનું મોત:બિહાર-ઝારખંડ અને પંજાબમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો; બંગાળના વીરભૂમમાં ઇન્ટરનેટ બંધ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
હોળી અને જુમા ચાર રાજ્યોમાં હિંસક ઘટનાઓ બની. બિહારના મુંગેરમાં ગ્રામજનોના હુમલામાં એક અજઈંનું મોત થયું. પટનામાં બે જૂથો વચ્ચે હોલિકા દહન પરનો વિવાદ હોળીના દિવસે પથ્થરમારા સુધી પહોંચ્યો. પોલીસની ગાડીઓના કાચ તૂટી ગયા હતા. અહીં ગોળીબારના પણ સમાચાર છે. ઝારખંડના ગિરિડીહમાં, હોળી પર બે જૂથો વચ્ચે પથ્થરમારો થયા બાદ બદમાશોએ દુકાનો અને બાઇકોને આગ ચાંપી દીધી. વિવાદ શેના પર હતો તે સ્પષ્ટ નથી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. પંજાબના લુધિયાણામાં બે સમુદાયો વચ્ચે ઈંટો, પથ્થરો અને બોટલો ફેંકવામાં આવી હતી. આ અથડામણમાં 11 લોકો ઘાયલ થયા છે. એક ખાસ સમુદાયના લોકોનું કહેવું છે કે નમાજ અદા કરતી વખતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બીજી બાજુ કહે છે કે ઈંટ પહેલા મસ્જિદ તરફ ફેંકવામાં આવી હતી. ઘણા વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આ તરફ પશ્ચિમ બંગાળમાં પણ હિંસા થઈ છે. ભાજપે નંદીગ્રામમાં મૂર્તિ તોડવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ પણ તસવીરો પોસ્ટ કરી. માલવિયાએ આરોપ લગાવ્યો કે બરુઈપુર, જાદવપુર અને મુર્શિદાબાદ સહિત રાજ્યભરમાં સમાન ઘટનાઓ નોંધાઈ છે. બંગાળના વીરભૂમમાં 17 માર્ચ સુધી ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓના મતે, અફવાઓને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ખરેખરમાં, જિલ્લામાં પથ્થરમારાની ઘટના બાદ, સંવેદનશીલ વિસ્તારોમાં ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે.