10 જુલાઈ સુધી ઈન્ટરનેટ બંધ
ખાસ-ખબર સંવાદદાતા
મણિપુરમાં ભરી હિંસા ભડકી ઉઠી છે. તાજેતરની મળતી માહિતી મુજબ કેટલાક ઉપદ્રવીઓને લૂંટ કરવા જતા રોકતા તોફાનીઓએ સુરક્ષાદળના જવાનના ઘરે જ આગ લગાવી દીધી હતી. આ પહેલા 700-800 લોકોની ભીડે ઈંછઇના કેમ્પથી હથિયાર લૂંટવાનો પ્રયત્ન પણ કર્યો હતો, જેનાં કારણે એક 27 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું. આ મુદ્દે પગલા લેતા મણિપુરમાં 10 જુલાઈ સુધી ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સત્તાવાર નોટિફિકેશનમાં જણાવાયું છે કે ટેમ્પરરી સસ્પેન્શન ઓફ ટેલિકોમ સર્વિસિસ નિયમો, 2017ના નિયમ 2 હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, પ્રાદેશિક અધિકારક્ષેત્રમાં બ્રોડબેન્ડ સહિત મોબાઇલ ડેટા સેવાઓ, ઇન્ટરનેટ/ડેટા સેવાઓ અને વધુ સસ્પેન્શનનો આદેશ આપ્યો છે. આ આદેશ 10 જુલાઈના રોજ બપોરે 3:00 વાગ્યા સુધી તાત્કાલિક અસરથી અમલમાં રહેશે.
- Advertisement -
એવું કહેવામાં આવ્યું છે કે એવી આશંકા છે કે કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયાનો ઉપયોગ ફોટા, નફરતભર્યા ભાષણ અને દ્વેષપૂર્ણ વિડિયો સંદેશાઓ ફેલાવવા માટે જાહેર ભાવનાઓને ઉશ્કેરવા માટે કરી શકે છે, જેની મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે.
મણિપુરમાં 3 મેના રોજ ઓલ ટ્રાઈબલ સ્ટુડન્ટ્સ યુનિયન (અઝજઞ) દ્વારા મેઈટોને અનુસૂચિત જનજાતિ (જઝ) યાદીમાં સમાવવાની માગણીના વિરોધમાં યોજાયેલી રેલી દરમિયાન અથડામણ બાદ જાતિ હિંસા ફાટી નીકળી હતી. મણિપુરમાં હિંસાને કારણે હજારો લોકો રાહત શિબિરોમાં રહે છે, જ્યારે અત્યાર સુધીમાં 130થી વધુ લોકોના મોત થયા છે.