ગ્રામજનોનો કોન્ટ્રાકટર તેમજ અધિકારીઓ સામે આક્રોશ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
શાપુર થી ધણફુલીયા અને ધણફુલીયા થી જૂનાગઢ તરફ જવાના માર્ગ પર પ્રથમ વરસાદમાં જ ગોઠણડૂબ પાણી ભરાતા વાહન ચાલકો અને લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે જેને લઇ ગ્રામ પંચાયત દ્વારા પત્ર લખી યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.
- Advertisement -
પત્રમાં જણાવ્યું છે કે શાપુર ધણફુલીયા રસ્તો વર્ષોથી ખખડધજ હાલતમાં હતો જેને લઇ થોડા સમય અગાઉ આ રસ્તાનું કામ મંજૂર થતા કામ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ધણફુલીયા બસસ્ટેન્ડ પાસે રસ્તાની બંને બાજુમાં આર.સી. સી.ની દીવાલનું કામ એક મહિના પહેલા પૂર્ણ કરવામાં આવેલ પરંતુ દીવાલની વચ્ચે ભરતીનું કામ કરવામાં આવ્યું નથી જેને લઇ વરસાદી પાણી ભરાઈ જતા ગ્રામજનોને પારાવાર મુશ્કેલી પડી રહી છે આ અંગે માર્ગ અને મકાન વિભાગનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું તેમજ આ કામની એજન્સી મધુરમ ક્ધટ્રક્શન દ્વારા ઇરાદાપૂર્વક જાણી જોઈને ગ્રામજનો હેરાન થાય તે માટે કામગીરી કરવામાં આવતી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યો છે તેમજ આ ક્ધસ્ટ્રક્શનના માલિકે પોતાની વાડી તરફ જતો રસ્તો બનાવી લીધેલ છે જ્યારે અમારા ગામનું કામ પૂર્ણ કરવામાં ઠાગાઠૈયા કરે છે તો તાત્કાલિક અમારા રસ્તાનું અધૂરું કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી કરી છે.