By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    1 day ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    1 day ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    2 days ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    2 days ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી
    1 day ago
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    1 day ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    1 day ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    1 day ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    1 day ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    2 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    4 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    6 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    1 day ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    1 day ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    1 day ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    2 days ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાઈસ ચાન્સેલર ઉત્પલ જોશીએ 5 ભવનમાં માનીતાં HOD ગોઠવી દીધાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વાઈસ ચાન્સેલર ઉત્પલ જોશીએ 5 ભવનમાં માનીતાં HOD ગોઠવી દીધાં
TALK OF THE TOWNરાજકોટ

વાઈસ ચાન્સેલર ઉત્પલ જોશીએ 5 ભવનમાં માનીતાં HOD ગોઠવી દીધાં

Khaskhabar Editor
Last updated: 2025/08/27 at 4:58 PM
Khaskhabar Editor 3 months ago
Share
5 Min Read
SHARE

કૌભાંડોથી ખદબદતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સુધરવાનું નામ લેતી નથી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘હેડશિપ બાય રોટેશન’ની નીતિનો અમલ કરવામાં આવ્યો છે. થોડા દિવસો પૂર્વે ‘હેડશિપ બાય રોટેશન’ની નીતિ અંતર્ગત હિન્દી, મનોવિજ્ઞાન, હોમસાયન્સ, એમબીએ અને કમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સત્તાધીશો દ્વારા હેડશિપ બાય રોટેશનની નીતિ હેઠળ પાંચ ભવનોના અધ્યક્ષની નિમણૂંક કરવામાં કુનીતિ દાખવવામાં હોવાની સ્ફોટક વિગત પ્રાપ્ત થઈ રહી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હેડશિપ બાય રોટેશનનો નિયમ અમલી બનાવી દેવાયો છે. જેની સાથે જ પાંચ ભવનના અધ્યક્ષ બદલાયા છે. જેમાં મનોવિજ્ઞાન ભવનમાં ડો. તરલીકા ઝાલાવાડીયા, એમબીએ ભવનમાં ડો. હિતેશ શુક્લા, હોમસાયન્સ ભવનમાં ડો. હસમુખ જોશી, હિન્દી ભવનમાં ડો. શૈલેષ મહેતા અને કમ્પ્યુટર સાયન્સ ભવનમાં ડો. અતુલ ગોસાઈને નવા અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. આશ્ર્ચર્યજનક બાબત એ છે કે, નવા બનેલા આ પાંચેય ભવનના અધ્યક્ષ નવશિખિયા છે, જૂનિયર છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પાંચેય ભવનના સિનિયર પ્રોફેસર સાથે અન્યાય કરી જૂનિયર પ્રોફેસરને ડિપાર્ટમેન્ટ હેડ બનાવી દીધા છે એટલું જ નહીં, આ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023 અને સ્ટેચ્યૂટ 2024 અંતર્ગત સીનિયોરિટીના આધાર વિના ઓછા અનુભવી પ્રોફેસર્સને ભવનના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
વાસ્તવમાં યુનિવર્સિટીએ સૌપ્રથમ પ્રોફેસર્સનું સીનિયોરીટી લિસ્ટ જાહેર કરવું પડે, ત્યારબાદ જેઓ સૌથી વધુ સિનિયર હોય તેઓને 5 વર્ષ માટે હેડ નિયુક્ત કરવાના રહે છે. પરંતુ અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ભેદી કારણોસર નિયમનું ઊલટું અર્થઘટન કરવામાં આવ્યું છે. પોતાના લાગતાવળગતા અને માનીતાઓને અધ્યક્ષ બનાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા તમામ નીતિનિયમો ઘોળીને ગટગટાવી જવાયા છે.

- Advertisement -

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ‘હેડશિપ બાય રોટેશન’ની નીતિનો અમલ કરવામાં ગેરરીતિ: સીનિયોરિટી મુજબ રોટેશન થવું જોઈએ પણ થયું સંબંધ સાચવવા

સરકારે તમામ યુનિવર્સિટી માટે કોમન એક્ટ એટલા માટે બહાર પાડ્યો છે કે બધી યુનિવર્સિટીના નિયમો સરખા રહે અને સમાનતા જવળાઈ રહે. આ કારણોસર એમબીએ ભવનમાં મોસ્ટ સિનિયર પ્રોફેસર ડો. સંજય ભાયાણીની જગ્યાએ તેમનાથી જૂનિયર ગણાતા પ્રોફેસર હિતેશ શુક્લને, હોમસાયન્સ ભવનમાં પૂર્વ કુલપતિ નિલાંબરી દવેની જગ્યાએ ડો. હસમુખ જોશીને, હિન્દી ભવનમાં નિષ્ણાંત પ્રોફેસર ડો. બી.કે. ક્લાસવાની જગ્યાએ ડો. શૈલેષ મહેતાને, કમ્પ્યુટર સાયન્સ ભવનમાં તજજ્ઞ ડો. કુંભારાણાની જગ્યાએ ડો. અતુલ ગોસાઈને અને મનોવિજ્ઞાન ભવનમાં અનુભવી ડો. યોગેશ જોગસણની જગ્યાએ જેઓ હજુ પ્રોબેશન પર છે, કાયમી નથી તેવા જૂનિયર પ્રોફેસર ડો. તરલીકા ઝાલાવાડીયાને મોસ્ટ સિનિયર પ્રોફેસર જાહેર કરી ડિપાર્ટમેન્ટ હેડ બનાવી દેવામાં આવ્યા છે!
હેડશિપ બાય રોટેશનની નીતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કંઈક અલગ રીતે લાગુ કરવામાં આવી હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે અને આ નીતિના અમલમાં ગંભીર ચૂક પણ નરી આંખે દેખાઈ આવે છે. કારણ કે, સરકારે તમામ યુનિવર્સિટી માટે કોમન એક્ટ એટલા માટે બહાર પાડ્યો છે કે તમામેતમામ યુનિવર્સિટીના નિયમો સરખા રહે, સમાનતા જવળાઈ રહે. આમ છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રાજ્યની અન્ય યુનિવર્સિટીની જેમ ચોક્કસ નિયમ અનુસરવાને પોતાની મનસૂફી મુજબ નિયમનું અર્થઘટન કરી પાંચ ભવનના અધ્યક્ષની નિમણૂંક વિવાદીત બનાવી દીધી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ‘હેડશિપ બાય રોટેશન’ નીતિના અમલમાં કરવામાં આવેલી કુનીતિની વધુ વિગતો મેળવાઈ રહી છે જે હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.

ક્યા ભવનમાં કોણ જૂનિયર પ્રોફેસર હેડ બની ગયા?
હિન્દી : ડો. શૈલેશ મહેતા
મનોવિજ્ઞાન : ડો. તરલિકા ઝાલાવાડિયા
એમબીએ : ડો. હિતેશ શુક્લ
કમ્પ્યુટર સાયન્સ : ડો. અતુલ ગોસાઈ
હોમસાયન્સ : ડો. હસમુખ જોષી

ક્યા ભવનમાં કોણ સિનિયર પ્રોફેસર હેડ હોવા જોઈએ?
હિન્દી : ડો. બી.કે. ક્લાસવા
મનોવિજ્ઞાન : ડો. યોગેશ જોગસણ
એમબીએ : ડો. સંજય ભાયાણી
કમ્પ્યુટર સાયન્સ : ડો. કુંભારાણા
હોમસાયન્સ : નિલાંબરી દવે

માત્ર પાંચ ભવનમાં જ હેડશિપ બાય રોટેશનનો નિયમ કેમ લાગુ કરાયો?

આજથી પાંચ વર્ષ પૂર્વે નેક દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ‘હેડશિપ બાય રોટેશન’ અમલ કરવા ભલામણ કરવામાં આવેલી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષો બાદ હેડશિપ બાય રોટેશનના નવા નિયમની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. હવે પ્રશ્ર્ન એ ઉદ્દભવે છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોઈપણ નિયમ અમલમાં મૂકવામાં આવે ત્યારે તે તમામ ભવનને લાગુ છે. માત્ર પાંચ ભવનમાં જ હેડશિપ બાય રોટેશનનો નિયમ કેમ અમલમાં મૂકવામાં આવ્યો છે? તે અન્ય ભવનને લાગુ કેમ પડતો નથી? આ સવાલનો જવાબ જાણકારો એવો આપે છે કે, કેટલાક લાગતાવળગતા અને ભલામણીયાઓને હેડ તરીકે 5 વર્ષથી વધુ થયા છે તેમ છતાં તેમને અધ્યક્ષ તરીકે ચાલું રાખ્યા છે તો જેઓ ગુડબુકમાં નથી તેઓને હેડમાંથી મુક્ત કર્યા છે તો કેટલાક હેડને ભવિષ્યમાં બીઓએમમાં સભ્ય બનાવવાની લાલચ આપીને હેડમાંથી હટાવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તેમજ બીઓએમના સભ્યો દ્વારા મનફાવે તેમ નિયમ અને નિર્ણયની અમલવારી કરવામાં આવે છે તેથી માત્ર પાંચ ભવનમાં જ હેડશિપ બાય રોટેશનનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે કેટલાક કર્તવ્યનિષ્ઠ પ્રોફેસર પોતાને થયેલા અન્યાય વિરૂદ્ધ લડી લેવાના મૂડમાં જણાય છે.

You Might Also Like

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો

રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા

રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે

TAGGED: Khas-Khabar Exclusive, Rajkot, Saurashtra University, Vice Chancellor Utpal Joshi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
Next Article ‘મેં મોદીને યુદ્ધ રોકવા ધમકી આપી હતી, નહીં માનો તો એટલો ભારે ટેરિફ લાદીશ કે તમારું માથું ફરી જશે’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ
રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા
રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?