By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભયાનક સ્પીડમાં આવતી મર્સિડીઝ હવામાં ઉછળી હતી અને રાઉન્ડઅબાઉટ પર અથડાયા બાદ બે કાર પર કૂદી પડી હતી
    2 days ago
    કૅનેડા,ભારતીયો માટે ખુશ ખબર, કેનેડાની H-1B વિઝાને લઈ મોટી જાહેરાત
    2 days ago
    પીએમ મોદીએ યુક્રેન પર મોટો સંદેશ મોકલ્યો કારણ કે તેઓ પુતિનને કહે છે કે ભારત આજે તટસ્થતાને બદલે શાંતિનું સમર્થન કરે છે
    3 days ago
    યુએસ એરફોર્સનું F-16 ફાલ્કન ફાઈટર જેટ કેલિફોર્નિયાની ડેથ વેલીમાં ક્રેશ થયું, પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો
    4 days ago
    પુતિનની ભારત મુલાકાત: ICC ધરપકડ વોરંટની ચિંતા કાર્ય વિના પ્રવાસ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શશી થરુરે મેરિટલ રેપને ક્રાઈમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા
    1 day ago
    આજે ઇન્ડિગોની 400 અને 4 દિવસમાં 2000+ ફ્લાઇટ્સ રદ્દ
    1 day ago
    ઇન્ડિગો કામગીરી સ્થિર થવાનું શરૂ કરે છે, ભાડાં હળવા થવાની શક્યતા છે
    2 days ago
    ઇં-1ઇ વિઝા માટે સોશિયલ મીડિયા તપાસ ફરજિયાત: ટ્રમ્પનો કડક આદેશ
    2 days ago
    મેલેરિયાથી 6.10 લાખના મોત, 28.2 કરોડ નવા કેસ, બે ટેકનિકથી 10 લાખને બચાવાયા : ઠઇંઘનો 2024નો રિપોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી-રુટ: સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ ખતરામાં! કોહલી અને રુટે ઐતિહાસિક વ્યક્તિઓ પર દબાણ વધાર્યું
    2 days ago
    વોર્મ-અપ ભૂલથી પિચ અને બોલને વિચિત્ર દ્રશ્યોમાં અટવાયા બાદ WBBL મેચ ત્યજી દેવામાં આવી
    2 days ago
    આ ભારતીય-અમેરિકન અબજોપતિ વિરાટ કોહલીના આરસીબીને હસ્તગત કરવા માટે સૌથી આગળ છે.
    2 days ago
    7 છગ્ગા 8 ચોગ્ગા, 47 બોલમાં સદી… IPLની હરાજી અગાઉ સરફરાઝ ખાનનું તોફાની પ્રદર્શન
    4 days ago
    એક મિલિયન પળમાં એક: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી મેચમાં ભારત સતત 20મી ODI ટોસ હારી ગયું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    1 week ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    1 week ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    1 week ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    2 weeks ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાઈસ ચાન્સેલર ઉત્પલ જોશીએ 5 ભવનમાં માનીતાં HOD ગોઠવી દીધાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વાઈસ ચાન્સેલર ઉત્પલ જોશીએ 5 ભવનમાં માનીતાં HOD ગોઠવી દીધાં
TALK OF THE TOWNરાજકોટ

વાઈસ ચાન્સેલર ઉત્પલ જોશીએ 5 ભવનમાં માનીતાં HOD ગોઠવી દીધાં

Khaskhabar Editor
Last updated: 2025/08/27 at 4:58 PM
Khaskhabar Editor 3 months ago
Share
5 Min Read
SHARE

કૌભાંડોથી ખદબદતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સુધરવાનું નામ લેતી નથી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘હેડશિપ બાય રોટેશન’ની નીતિનો અમલ કરવામાં આવ્યો છે. થોડા દિવસો પૂર્વે ‘હેડશિપ બાય રોટેશન’ની નીતિ અંતર્ગત હિન્દી, મનોવિજ્ઞાન, હોમસાયન્સ, એમબીએ અને કમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સત્તાધીશો દ્વારા હેડશિપ બાય રોટેશનની નીતિ હેઠળ પાંચ ભવનોના અધ્યક્ષની નિમણૂંક કરવામાં કુનીતિ દાખવવામાં હોવાની સ્ફોટક વિગત પ્રાપ્ત થઈ રહી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હેડશિપ બાય રોટેશનનો નિયમ અમલી બનાવી દેવાયો છે. જેની સાથે જ પાંચ ભવનના અધ્યક્ષ બદલાયા છે. જેમાં મનોવિજ્ઞાન ભવનમાં ડો. તરલીકા ઝાલાવાડીયા, એમબીએ ભવનમાં ડો. હિતેશ શુક્લા, હોમસાયન્સ ભવનમાં ડો. હસમુખ જોશી, હિન્દી ભવનમાં ડો. શૈલેષ મહેતા અને કમ્પ્યુટર સાયન્સ ભવનમાં ડો. અતુલ ગોસાઈને નવા અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. આશ્ર્ચર્યજનક બાબત એ છે કે, નવા બનેલા આ પાંચેય ભવનના અધ્યક્ષ નવશિખિયા છે, જૂનિયર છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પાંચેય ભવનના સિનિયર પ્રોફેસર સાથે અન્યાય કરી જૂનિયર પ્રોફેસરને ડિપાર્ટમેન્ટ હેડ બનાવી દીધા છે એટલું જ નહીં, આ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023 અને સ્ટેચ્યૂટ 2024 અંતર્ગત સીનિયોરિટીના આધાર વિના ઓછા અનુભવી પ્રોફેસર્સને ભવનના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
વાસ્તવમાં યુનિવર્સિટીએ સૌપ્રથમ પ્રોફેસર્સનું સીનિયોરીટી લિસ્ટ જાહેર કરવું પડે, ત્યારબાદ જેઓ સૌથી વધુ સિનિયર હોય તેઓને 5 વર્ષ માટે હેડ નિયુક્ત કરવાના રહે છે. પરંતુ અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ભેદી કારણોસર નિયમનું ઊલટું અર્થઘટન કરવામાં આવ્યું છે. પોતાના લાગતાવળગતા અને માનીતાઓને અધ્યક્ષ બનાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા તમામ નીતિનિયમો ઘોળીને ગટગટાવી જવાયા છે.

- Advertisement -

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ‘હેડશિપ બાય રોટેશન’ની નીતિનો અમલ કરવામાં ગેરરીતિ: સીનિયોરિટી મુજબ રોટેશન થવું જોઈએ પણ થયું સંબંધ સાચવવા

સરકારે તમામ યુનિવર્સિટી માટે કોમન એક્ટ એટલા માટે બહાર પાડ્યો છે કે બધી યુનિવર્સિટીના નિયમો સરખા રહે અને સમાનતા જવળાઈ રહે. આ કારણોસર એમબીએ ભવનમાં મોસ્ટ સિનિયર પ્રોફેસર ડો. સંજય ભાયાણીની જગ્યાએ તેમનાથી જૂનિયર ગણાતા પ્રોફેસર હિતેશ શુક્લને, હોમસાયન્સ ભવનમાં પૂર્વ કુલપતિ નિલાંબરી દવેની જગ્યાએ ડો. હસમુખ જોશીને, હિન્દી ભવનમાં નિષ્ણાંત પ્રોફેસર ડો. બી.કે. ક્લાસવાની જગ્યાએ ડો. શૈલેષ મહેતાને, કમ્પ્યુટર સાયન્સ ભવનમાં તજજ્ઞ ડો. કુંભારાણાની જગ્યાએ ડો. અતુલ ગોસાઈને અને મનોવિજ્ઞાન ભવનમાં અનુભવી ડો. યોગેશ જોગસણની જગ્યાએ જેઓ હજુ પ્રોબેશન પર છે, કાયમી નથી તેવા જૂનિયર પ્રોફેસર ડો. તરલીકા ઝાલાવાડીયાને મોસ્ટ સિનિયર પ્રોફેસર જાહેર કરી ડિપાર્ટમેન્ટ હેડ બનાવી દેવામાં આવ્યા છે!
હેડશિપ બાય રોટેશનની નીતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કંઈક અલગ રીતે લાગુ કરવામાં આવી હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે અને આ નીતિના અમલમાં ગંભીર ચૂક પણ નરી આંખે દેખાઈ આવે છે. કારણ કે, સરકારે તમામ યુનિવર્સિટી માટે કોમન એક્ટ એટલા માટે બહાર પાડ્યો છે કે તમામેતમામ યુનિવર્સિટીના નિયમો સરખા રહે, સમાનતા જવળાઈ રહે. આમ છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રાજ્યની અન્ય યુનિવર્સિટીની જેમ ચોક્કસ નિયમ અનુસરવાને પોતાની મનસૂફી મુજબ નિયમનું અર્થઘટન કરી પાંચ ભવનના અધ્યક્ષની નિમણૂંક વિવાદીત બનાવી દીધી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ‘હેડશિપ બાય રોટેશન’ નીતિના અમલમાં કરવામાં આવેલી કુનીતિની વધુ વિગતો મેળવાઈ રહી છે જે હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.

ક્યા ભવનમાં કોણ જૂનિયર પ્રોફેસર હેડ બની ગયા?
હિન્દી : ડો. શૈલેશ મહેતા
મનોવિજ્ઞાન : ડો. તરલિકા ઝાલાવાડિયા
એમબીએ : ડો. હિતેશ શુક્લ
કમ્પ્યુટર સાયન્સ : ડો. અતુલ ગોસાઈ
હોમસાયન્સ : ડો. હસમુખ જોષી

ક્યા ભવનમાં કોણ સિનિયર પ્રોફેસર હેડ હોવા જોઈએ?
હિન્દી : ડો. બી.કે. ક્લાસવા
મનોવિજ્ઞાન : ડો. યોગેશ જોગસણ
એમબીએ : ડો. સંજય ભાયાણી
કમ્પ્યુટર સાયન્સ : ડો. કુંભારાણા
હોમસાયન્સ : નિલાંબરી દવે

માત્ર પાંચ ભવનમાં જ હેડશિપ બાય રોટેશનનો નિયમ કેમ લાગુ કરાયો?

આજથી પાંચ વર્ષ પૂર્વે નેક દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ‘હેડશિપ બાય રોટેશન’ અમલ કરવા ભલામણ કરવામાં આવેલી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષો બાદ હેડશિપ બાય રોટેશનના નવા નિયમની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. હવે પ્રશ્ર્ન એ ઉદ્દભવે છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોઈપણ નિયમ અમલમાં મૂકવામાં આવે ત્યારે તે તમામ ભવનને લાગુ છે. માત્ર પાંચ ભવનમાં જ હેડશિપ બાય રોટેશનનો નિયમ કેમ અમલમાં મૂકવામાં આવ્યો છે? તે અન્ય ભવનને લાગુ કેમ પડતો નથી? આ સવાલનો જવાબ જાણકારો એવો આપે છે કે, કેટલાક લાગતાવળગતા અને ભલામણીયાઓને હેડ તરીકે 5 વર્ષથી વધુ થયા છે તેમ છતાં તેમને અધ્યક્ષ તરીકે ચાલું રાખ્યા છે તો જેઓ ગુડબુકમાં નથી તેઓને હેડમાંથી મુક્ત કર્યા છે તો કેટલાક હેડને ભવિષ્યમાં બીઓએમમાં સભ્ય બનાવવાની લાલચ આપીને હેડમાંથી હટાવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તેમજ બીઓએમના સભ્યો દ્વારા મનફાવે તેમ નિયમ અને નિર્ણયની અમલવારી કરવામાં આવે છે તેથી માત્ર પાંચ ભવનમાં જ હેડશિપ બાય રોટેશનનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે કેટલાક કર્તવ્યનિષ્ઠ પ્રોફેસર પોતાને થયેલા અન્યાય વિરૂદ્ધ લડી લેવાના મૂડમાં જણાય છે.

You Might Also Like

ધુળેટીની ભૂલ સુધરી: ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખમાં ફેરફાર, ધો. 10-12ની પરીક્ષાઓની નવી તારીખો જાહેર!

જૈન સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા તા. 22થી 27 સુધી નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

રાજકોટથી દિલ્હીના ભાવ આસમાને: ભાડું રૂ. 25થી 40 હજાર સુધી પહોંચી જતાં મુસાફરોમાં દેકારો

ગોંડલના રાજકુમાર જાટના મોત મામલે ગણેશ ગોંડલનો થશે નાર્કો ટેસ્ટ

મેડિકલની છાત્રાને લગ્નની લાલચ આપી તાલાલાના શખ્સે વારંવાર આચર્યું દુષ્કર્મ

TAGGED: Khas-Khabar Exclusive, Rajkot, Saurashtra University, Vice Chancellor Utpal Joshi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
Next Article ‘મેં મોદીને યુદ્ધ રોકવા ધમકી આપી હતી, નહીં માનો તો એટલો ભારે ટેરિફ લાદીશ કે તમારું માથું ફરી જશે’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર જર્જરિત ઈમારતનો બીજા માળનો રવેશ તૂટી પડયો: સદનસીબે જાનહાનિ ટળી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળો પર સઘન તપાસ
વેરાવળ ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક યોજાઈ
કોડીનાર તાલુકાના બરડા ગામ ખાતે કલેક્ટર ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ
જૂનાગઢમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા દ્વારા મહાશિવરાત્રી મેળો અને ખેડૂતલક્ષી કામગીરીની સમીક્ષા
બે થેલી ખાતર પણ ભેળસેળવાળું મળતાં ખેડૂતોમાં રોષ સાથે આક્ષેપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધુળેટીની ભૂલ સુધરી: ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખમાં ફેરફાર, ધો. 10-12ની પરીક્ષાઓની નવી તારીખો જાહેર!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

જૈન સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા તા. 22થી 27 સુધી નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટથી દિલ્હીના ભાવ આસમાને: ભાડું રૂ. 25થી 40 હજાર સુધી પહોંચી જતાં મુસાફરોમાં દેકારો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?