સાગઠિયાના જામીન નામંજૂર કરવા કોર્ટમાં પ્રદીપસિંહ ચૌહાણ દ્વારા વાંધા અરજી દાખલ કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ ધનજીભાઇ સાગઠીયાએ જામીન માટે કોર્ટમાં અરજી કરી છે ત્યારે સામાપક્ષે પ્રદિપસિંહ રણજીતસિંહ ચૌહાણએ આ અરજી સામે વાંધો ઉઠાવ્યો છે. સાગઠીયા દ્વારા કરવામાં આવેલી અરજીનો ચુકાદો આજે સાંજે આવનાર છે.
જે અંગેની વિગતમાં જામીન અરજીના કામે અમો વાંધા રજૂ કરનાર પ્રદીપસિંહ રણજીતસિંહ ચૌહાણનો એકનો એક પુત્ર રાજભા પ્રદીપસિંહ ચૌહાણ ઉ.વ.15 માનવસર્જિત ટી.આર.પી. અગ્નિકાંડમાં મરણ ગયેલ છે. તે ઉપરાંત અમારા પરિવાર/સગા વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા ઉ.વ. 40, દેવાંશી ઉર્ફે દેવશ્રી હિતેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.12, ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા ઉ.વ. 12, ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહેલ ઉ.વ.36 પણ માનવસર્જિત ટી.આર.પી. અગ્નિકાંડમાં મરણ ગયેલ છે. આ પાંચેય મરણ જનાર-ભોગ બનનાર વતી અમો જામીન અરજીના કામે વાંધાઓ રજૂ કરી રહ્યા છીએ.
અરજદારે જામીનમુક્ત થવા જે કારણો આગળ ધરી રજૂઆત કરેલ છે તે સંબંધે જણાવવાનું કે -અરજદારનું એફ.આઈ.આર.માં પ્રથમથી જ નામ છે. સબ ચલતા હૈ-ની જેમ આ કિસ્સો મેનમેઈડ ટ્રેજેડીનો કિસ્સો છે. ટી.આર.પી. ગેમઝોન બિઝનેશ ઉપરનો સંપૂર્ણ ક્ધટ્રોલ અરજદારનો હતો. અરજદાર ટી.આર.પી. ગેમઝોન જે જગ્યા ઉપર ચાલતું હતું તે જગ્યા ઉપર ગેરકાયદે બાંધકામ હતું અને થઈ રહેલ હતું તે અરજદારના જ્ઞાનમાં હતું. આ ટી.આર.પી. ગેમઝોન સને 2021ના અરસાથી કાર્યરત હતું તે પણ અરજદારના જ્ઞાનમાં હતું. ટી.આર.પી. ગેમઝોનવાળી જગ્યા રહેણાંકના હેતુ માટેની હતી તે અરજદાર જાણતા હતા તે જગ્યા ઉપર કોમર્શિયલ ઉપયોગ થઈ રહેલ હતો તે પણ અરજદારના જ્ઞાનમાં હતું. સને 2021થી ગેરકાયદેસર બાંધકામ તથા ગેરકાયદેસર ફેબ્રીકેશન કરવામાં આવેલ હોવાનું અને તેમાં ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં આવેલ નહીં હોવાનું અને સંબંધિત કોઈ જ કચેરીઓના પરવાના નહીં હોવાનું પણ અરજદારના જ્ઞાનમાં હતું. ગત તા. 4-9-2023ના રોજ આ જ પ્રકારે વેલ્ડીંગ કરતાં ટી.આર.પી. ગેમઝોનમાં આગ લાગેલ તે વખતે આગ કંટ્રોલ થઈ ગયેલ અને જાનહાનિ ટળેલ, તે અરજદારના નોલેજમાં હતું અને તે વખતથી જ અરજદાર જાણતા હતા કે ફાયર સેફ્ટીના પૂરતા સાધનો રાખવામાં ન આવે અને આ પ્રકારે આગ લાગે તો માણસની જાનહાનિ થઈ શકે તેવું જ્ઞાનમાં હોવા છતાં ઘટના બાદ પણ ફાયર સેફ્ટી અન્વયે કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને તેના માટે આ અરજદાર જવાબદાર છે. ગેરકાયદે બાંધકામ- સ્ટ્રક્ચર રીમુવ કરવા મહાનગરપાલિકા તરફથી બનાવ અરસાના એક વર્ષ પહેલા બે નોટીસો આપવામાં આવેલ, જે અરજદારના જ્ઞાનમાં હોવા છતાં ઈલલીગલ બાંધકામ-સ્ટ્રકચર રીમુવ કરવાની જગ્યાએ બેરોકટોક નફાખોરી કરવા માટે માણસોના જીવન સાથે ચેડા કરી ગેરકાયદે પ્રવૃત્તિઓ હાલના અરજદાર દ્વારા ચલાવવા દેવામાં આવેલ છે. અરજદારે શરૂથી અંત સુધી ગેરકાયદેસરની પ્રવૃત્તિને ઉત્તેજન આપેલ છે. અરજદારે માનવસર્જિત અગ્નિકાંડમાં મહત્ત્વનો રોલ ભજવેલ હોય જેમાં અરજદાર જાણતા હતા કે કઈ કઈ બાબત અને હકીકતો ગેરકાયદે હતી અને તે ગેરકાયદેસર- ગેરકાનુની બાબતો રેકર્ડ પર ન આવે તે માટે અન્ય આરોપીઓ સાથે સાંઠગાંઠ કરી બનાવટી ડોક્યુમેન્ટ ઉભા કરાવવામાં અરજદારનો અગ્રીમ રોલ રહેલ છે. બનાવવાળી જગ્યા રહેણાંકના હેતુ માટે બિનખેતી થયેલ જગ્યાનો કોમર્શિયલ યૂઝ કરી ટી.આર.પી. ગેમઝોનનો બિઝનેશ કરી રહ્યા હતા ત્યારે પણ ગેરકાયદે બિઝનેશ કરી રહેલ હોવાનું અરજદારના જ્ઞાનમાં હતું. અંદર આગ લાગવાથી કે ધૂમાડો થવાથી તેવી પરિસ્થિતિમાં દિશાસૂચક થઈ શકે તેવા પણ કોઈ પોઈન્ટ કે નિશાની કે એક્ઝિટ ડોર ન રાખવાથી આગની ઘટના વખતે અંદર રહેલ વ્યક્તિઓને બહાર જવા દિશા ન મળતાં 27 વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વારો આવેલ તેના માટે પણ અરજદાર જવાબદાર છે. જેથી મનસુખભાઇ સાગઠીયાને જામીન આપવામાં ન આવે તેવી રજૂઆત છે.
- Advertisement -
આ કેસમાં ભોગ બનનાર વતી એડવોકેટ સુરેશ ફળદુ, 5ી.પી. નિતેશ કથિરિયા અને તુષાર ગોકાણી રોકાયેલા છે.