‘તંત્રને જે કરવું હોય તે કરે અમોને શ્ર્વાનના આતંક અને ખોફથી બચાવે’: સ્થાનિકો
પાલિકા તંત્ર મૌન અને ઉદાસીન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ: સપ્ટેમ્બરથી અત્યાર સુધી 1207 શ્ર્વાન કરડવાના કેસ નોંધાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.26
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ જ્યાં બિરાજમાન છે અને લાખો શ્રદ્ધાળુઓ જ્યાં દર્શને આવે છે તે પ્રભાસ પાટણ અને વેરાવળ વિસ્તારમાં રખડતા શ્વાનોનો ત્રાસ અને આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે.સ્થાનિકો અને રાહદારીઓને શ્વાન કરડવા દોડે છે. આટલુંજ નહીં અનેક લોકોને શ્વાન કરડી ચુક્યા છે.
છેલ્લા બે માસમાં કેસોમાં વધારો સામે આવ્યો છે. સપ્ટેમ્બરમાં 204 કેસ, ઓક્ટોબરમાં 278 કેસ, નવેમ્બરમાં 421કેસ અને હાલ ડિસેમ્બર ચાલી રહ્યો છે ત્યાં આજ સુધી 304 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાં મુખ્યત્વે પ્રભાસ પાટણ અને વેરાવળ ના વિસ્તારના કેસ મહત્તમ હોય છે.આ વિસ્તારમાં શ્વાન કરડવાના બનાવો હવે નિયમિત બન્યા છે. લોકોને શ્વાન ન કરડે તે માટે પગલાં લેવા જોઈએ જેમાં પાલિકા તંત્ર ઉદાસીનતા અને બેદરકારી દાખવતા હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. વેરાવળ શહેર ના વિસ્તારમાં શ્વાનના લોકોને કરડવાના બનાવો દરરોજ બની રહ્યા છે ત્યારે વેરાવળ શહેર અને પ્રભાસ પાટણ લોકોની પાલિકા તંત્ર પાસે એકજ માંગ છે કે, ’તંત્રને જે કરવું હોય તે કરે અમોને શ્વાનના આતંક અને ખોફથી બચાવે..’
100થી વધુ પાંજરા અને શ્ર્વાનોના ખસીકરણની કામગીરી ચાલુ
- Advertisement -
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એનિમલ બર્થ ક્ધટ્રોલ રુલ્સ અનુસાર પાલિકા દ્વારા કામગીરી કરાઈ રહી છે. કાયદાકીય જોગવાઈ મુજબ કૂતરાને પકડી એનું ખસિકરણ કરી અને ફરી એને એજ સ્થળે મુક્ત કરવાનો હોય છે કૂતરાઓને વિસ્થાપિત કરી શકાતા નથી આ માટેની કાર્યવાહી ખૂબ જટિલ અને સમય માંગી લ્યે તેવી છે. તેનું ખસિકરણ કરવા માટે પકડી ત્રણ દિવસ સુધી રાખવાના હોય છે,આ માટે શેડ બનાવવા અને 100થી વધુ પાંજરા બનાવવાની કામગીરી ચાલી રહી છે.
– પારસ મકવાણા (નગર પાલિકા, ચીફ ઓફિસર)



