By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂક્લિયર વોર થઈ હોત, અમે એને રોકી: ટ્રમ્પ
    16 hours ago
    દુબઈમાં કેરળ સમુદાય દ્વારા પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનું સ્વાગત કરવામાં આવતા લોકોમાં રોષ: ‘શરમજનક’
    19 hours ago
    ટ્રમ્પની ટેરિફ વોર: અમેરિકામાં વિદેશી સ્ટીલ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યું
    20 hours ago
    બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનના સુરાબ શહેર પર કબજો કર્યો
    21 hours ago
    1 જુલાઈથી ફ્રાન્સમાં જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ, નિયમ ભંગ કરનારને 13 હજાર રૂપિયાનો દંડ કરાશે
    21 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે
    19 hours ago
    ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ
    19 hours ago
    PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો
    20 hours ago
    થરૂરની નારાજગી બાદ કોલંબિયાએ પાકિસ્તાન અંગેનું નિવેદન પાછું ખેંચ્યું
    20 hours ago
    ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી: કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન, એક શ્રદ્ધાળુનું મોત, પાંચ લોકો ઘાયલ થયા
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    3 days ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    3 days ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    4 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    5 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    2 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    4 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    5 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    5 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    6 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    4 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘વીરપુર જલારામ બાપાનું અન્નક્ષેત્ર ગુણાતીતાનંદ સ્વામીનાં આશીર્વાદથી ચાલે છે!’ એ ગપગોળાનું મૂળ માધવપ્રિયદાસજી લિખિત પુસ્તક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > ‘વીરપુર જલારામ બાપાનું અન્નક્ષેત્ર ગુણાતીતાનંદ સ્વામીનાં આશીર્વાદથી ચાલે છે!’ એ ગપગોળાનું મૂળ માધવપ્રિયદાસજી લિખિત પુસ્તક
TALK OF THE TOWN

‘વીરપુર જલારામ બાપાનું અન્નક્ષેત્ર ગુણાતીતાનંદ સ્વામીનાં આશીર્વાદથી ચાલે છે!’ એ ગપગોળાનું મૂળ માધવપ્રિયદાસજી લિખિત પુસ્તક

Khaskhabar Editor
Last updated: 2025/03/07 at 5:32 PM
Khaskhabar Editor 3 months ago
Share
6 Min Read
SHARE

SGVP-છારોડી ગુરુકુળનાં સ્વામી માધવપ્રિયદાસે પોતાનાં પુસ્તક ‘સદ્ગુરુ ગાથા (ભાગ-1)’માં આ કાલ્પનિક પ્રસંગ આલેખ્યો છે

સ્વામિનારાયણ સંપ્રદાયનાં લગભગ તમામ ફિરકાંઓ દ્વારા સનાતનીને અને દેવી-દેવતાઓ તથા સંતોને નીચાં દેખાડવા ઈરાદાપૂર્વક પ્રયાસ

- Advertisement -

સ્વામિનારાયણ સંપ્રદાયનાં એક જ્ઞાનપ્રકાશ સ્વામી નામનાં ભગવાધારીએ તાજેતરમાં જલારામ બાપા વિશે એલફેલ બકવાસ કર્યો હતો અને વીરપુરનું સદાવ્રત ગુણાતીતાનદ સ્વામીનાં આશીર્વાદથી અખંડ ચાલી રહ્યું હોવાનો વાહિયાત દાવો કર્યો હતો. ખૂબ વિવાદ થતાં અને જલારામ બાપાના ભક્તોનો આકરો મૂડ જોતાં અજ્ઞાનપ્રકાશે માફી માંગી લીધી હતી. પરંતુ હવે તેમનાં આ ગપ્પાંનું મૂળ જાણવા મળ્યું છે. સુધારાવાદી સંત ગણાતા માધવપ્રિયદાસજી (જૠટઙ ગુરુકુળ- છારોડી)એ જાતે જ લખેલાં પુસ્તક સદ્ગુરુ ગાથામાં જલારામ બાપા અને ગુણાતીતાનંદ સ્વામી વચ્ચેનો કપોળકલ્પિત પ્રસંગ વર્ણવ્યો છે. આમ તો માધવપ્રિયદાસજીએ પોતાની આ પુસ્તકમાળામાં અનેકાનેક હાસ્યાસ્પદ અને કાલ્પનિક પ્રસંગો લખ્યાં છે પરંતુ આજે આપણે એ જાણીએ કે સંતવર્ય જલારામ બાપા વિશે તેમણે શું લખ્યું છે. હવે પછીનું લખાણ તેમનાં પુસ્તકમાંથી લીધેલું છે…

રઘુવીરજી મહારાજને વિદાય આપી સ્વામી રાજકોટથી જૂનાગઢ પધાર્યા. રસ્તામાં વાવડી, ગુંદાસરા વગેરે ગામોમાં હરિભક્તોને સુખ દેતાં દેતાં સ્વામી ગોંડલમાં રાત રહ્યા. ગોંડલથી વહેલી સવારના નીકળી બપોર થતાં થતાં સ્વામી વીરપુર પહોંચ્યા. વીરપુરના પાદરમાં સ્વામીએ વિસામો લીધો. અહીં બપોરા કરવાની સ્વામીની ઈચ્છા હતી. સ્વામીની ઘોડીને પણ ચાર્ય નાખવાની જરૂર હતી.
બરાબર એ જ સમયે વીરપુરના પટેલ દેવાભાઈ લીલી ચાર્યનો ભારો લઈને નીકળ્યા. સ્વામીને જોયા એટલે દેવાભાઈએ ભારો નીચે મૂક્યો અને સ્વામીને દંડવત્ કરવા લાગ્યા.

સ્વામીએ કહ્યું, ‘દેવાભાઈ, અમારે ઘોડીને ચાર્ય નાખવી છે, આ ઘાસની ભારી અમને આપશો?’
દેવાભાઈ બોલ્યા, ‘સ્વામી, આપ જેવા સંતની ઘોડી માટે આ ખડનો ભારો કામમાં આવતો હોય તો અમારો દાખડો લેખે લાગે.’
દેવાભાઈની વાત સાંભળી સ્વામી અત્યંત રાજી થયા. સ્વામીની કૃપાદૃષ્ટિ પડતાં દેવાભાઈનું કામ થઈ ગયું. સમય જતાં દેવાભાઈ સાધુ થયા હતા અને ઈશ્ર્વરચરણદાસજી નામ પડ્યું હતું.
બપોરનો સમય થવા આવ્યો હતો. સંતો-પાર્ષદો માટે રસોઈ કરવાની હતી. વીરપુરમાં જલા ભગતનું સદાવ્રત ચાલતું હતું. સ્વામીએ સંતોને સદાવ્રતમાં સીધુ-પાણી લેવા મોકલ્યા. ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા છે એ સાંભળીને જલા ભગતને અત્યંત આનંદ થયો. જલા ભગતે તો સાધુ-સંતો માટે જ જાણે દેહ ધર્યો હતો.
જલા ભગતને સાધુ-સંતો જીવથી પણ વહાલા હતા. સાધુ-સંતોને માટે એમણે પોતાનું સર્વસ્વ કુરબાન કર્યું હતું.
જલા ભગતે સંતોને ઘઉંનો લોટ અને ઘી-ગોળ આપ્યા અને પોતે પણ સંતોની સાથે સીધા-સામગ્રીના ટોપલા લઈને સ્વામીના દર્શને આવ્યા. સ્વામીના દર્શન કરતાં જલા ભગતના અંતરમાં આનંદ થયો. સ્વામીએ પણ જલા ભગત તરફ કૃપાદૃષ્ટિ કરી.
જલા ભગતની ઈચ્છા હતી કે સંતો શીરો-પુરીની રસોઈ કરે અને જમે. પરંતુ સ્વામીએ કહ્યું, ‘જલા ભગત, શીરો-પુરી અમને નહીં ફાવે, અમે તો દાળ અને બાટી બનાવીશું.’
જલા ભગતે કહ્યું, ‘સ્વામી, જેમ આપ રાજી થાવ તેમ કરો. સાધુની રીતમાં અમને કંઈ ગતાગમ ન પડે.’
એક બાજુ સંતો ઠાકોરજીનો થાળ તેમજ રસોઈની તૈયારી કરવા લાગ્યા. બીજીબાજુ જલા ભગત સ્વામી પાસે બેસીને સત્સંગ કરવા લાગ્યા.
સ્વામીએ કહ્યું, ‘જલા ભગત, તમે ખૂબ ભાવથી સદાવ્રત ચલાવો છો અને અનેક સાધુ-સંતો, અભ્યાગતોના આશીર્વાદ મેળવો છો.’
જલા ભગતે કહ્યું, ‘સ્વામી, હું તો સંતચરણનો દાસ છું. વીરપુરનું સદાવ્રત તો આપ જેવા મહાપુરુષોની કૃપાને લીધે ચાલે છે. એમાં મારું કાંઈ નથી.’
જલા ભગતના વિનય વચન સાંભળી સ્વામી ખૂબ રાજી થયા અને બોલ્યા, ‘જલા ભગત, જુઓને ભગવાનની આજ્ઞાથી આ ઈન્દ્ર રાજાએ પણ કેવડું મોટું સદાવ્રત માંડ્યું છે. ઈન્દ્ર વરસાદ વરસાવે છે, ધરતી હરિયાળી બને છે, ધન-ધાન્ય પાકે છે, કીડીને કણ અને હાથીને મણ મળી રહે છે, ઈન્દ્રના સદાવ્રત ઉપર આખી ધરતીના પ્રાણીઓ નભે છે.’
જલા ભગતે કહ્યું, ‘સ્વામી, આપની વાત સાચી છે. મારા કરતાંય ઠાકોરજીનું સદાવ્રત બહુ મોટું છે, એના સદાવ્રત પાસે વીરપુરના સદાવ્રતની કોઈ વિસાત નથી.’
સ્વામીએ કહ્યું, ‘જલા ભગત, તમે જેમ ભોજનનું સદાવ્રત માંડ્યું છે, એમ અમે પણ મોક્ષનું સદાવ્રત માંડ્યું છે.’
જલા ભગતે કહ્યું, ‘સ્વામી, મારા ભોજનના સદાવ્રત કરતાંય તમારું મોક્ષનું સદાવ્રત મોટું કહેવાય. ભોજન તો શરીરને પોષણ કરે, જ્યારે મોક્ષના સદાવ્રતમાં તો જીવનું પોષણ થાય.’
જલા ભગતની સમજણ જોઈને સ્વામી ખૂબ રાજી થયા. જલા ભગતે સ્વામીને વીરપુરમાં પોતાના સદાવ્રતમાં પધરામણી કરવા વિનંતી કરી.
સ્વામીએ કહ્યું, ‘જલા ભગત, અમારે જેતપુર પહોંચવું છે એટલે ત્યાં તો નહીં આવી શકીએ પણ તમે ભૂખ્યાને ભોજન જમાડો છો, એ જાણીને અમે ખૂબ જ રાજી થઈએ છીએ. શાસ્ત્રમાં ‘અન્નદાનથી મોટું પુણ્ય થાય છે’ એમ કહ્યું છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમારા આ સદાવ્રતના કોઠારો ભગવાન અભરે ભરેલા રાખે.’
આમ જલા ભગતને આશીર્વાદ આપી સ્વામી જેતપુર પધાર્યા અને ત્યાંથી સાંકળી થઈને વડાલ પધાર્યા.

- Advertisement -

આ જ પુસ્તકમાં ‘વડાલનાં ડોશીને દેખતાં કર્યાં’નો પણ દાવો

વડાલમાં સ્વામીએ મંદિર કરાવ્યું હતું પણ સત્સંગ સાવ પાંખો હોવાથી મંદિર વાળે-ચોળે એવુંય કોઈ નહોતું.
એક ડોશીમાં મંદિરમાં ભાવથી સેવા કરતાં પણ વૃદ્ધાવસ્થાને લીધે એમની આંખોમાં ઝાંખપ આવી ગઈ હતી તેથી કાંઈ સૂઝતું નહોતું. પરિણામે મંદિરની સેવા થઈ શકતી નહોતી. સ્વામીએ એક હરિભક્તને કહ્યું, ‘તમે જઈને ડોશીને કહો, તેઓ મંદિરની સેવા પહેલાંની જેમ જ કરે. મહારાજ એમની આંખોમાં તેજ આપશે અને ડોશી જીવશે ત્યાં સુધી મોતી પરોવશે.’ સ્વામીના આશીર્વાદથી ડોશીની આંખોમાંથી ઓલવાઈ ગયેલો જ્યોતિ પાછો આવ્યો.
ડોશી તો ધન્ય ધન્ય થઈ ગયા અને જીવ્યા ત્યાં સુધી મંદિરની સેવા કરી.
આ રીતે વિચરણ કરતાં કરતાં હરિભક્તોને સુખ આપતાં આપતાં સ્વામી જૂનાગઢ પધાર્યા.

You Might Also Like

કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા

ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?

રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!

મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન

સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આવાસ ભાડે આપનાર સામે દંડાત્મક કાર્યવાહી, જો નહીં સુધારો તો આવાસ પણ રદ્દ: સ્ટે.ચેરમેન
Next Article નમો હોસ્પિટલના પ્રથમ ફેઝનું લોકાર્પણ કર્યું, 4 કિમીનો રોડ શૉ યોજી સભા સ્થળે પહોંચ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ખાખીને કલંકિત કરતી ઘટના, અમરેલીમાં બે પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
શાપરમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના 7 વર્ષના બાળકને કૂતરાંના ટોળાંએ ફાડી ખાધો
ઉચાપત કેસમાં જે. કે. ટ્રેડિંગના બંને ભાગીદારોને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ
લાજપોર મધ્યસ્થ જેલ ખાતે CPR તાલીમ તેમજ મેડીકલ કેમ્પનું આયોજન
મોરબીમાં સાવકા પિતા એ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું, પત્નીએ છાતીમાં પાટા મારી હત્યા કરી નાખી
મોરબીમાં સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે 1 દિવસીય વર્કશોપ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
TALK OF THE TOWNરાજકોટ

ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?