By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી
    20 hours ago
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    2 days ago
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    3 days ago
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    3 days ago
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સુનિતા વિલિયમ્સનું અંતરિક્ષને અલવિદા!
    18 hours ago
    1 જ દિવસમાં ડોનાલ્ડ ટ્રમ્પના 5 ‘મોટા કાંડ’!
    18 hours ago
    જો આ ભૂલ કરી તો વાહન નહીં વેચી શકો, ફિટનેસ સર્ટિફિકેટ કે NOC પણ નહીં મળે! જાણો નિયમ
    20 hours ago
    પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં ખાબકતા રેસ્ક્યુ ઓપરેશન શરુ
    21 hours ago
    દુનિયામાં અબજોપતિઓની સંખ્યા વધી; રાજનીતિ પર પણ કબ્જો વધ્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    2 days ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    3 days ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    6 days ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    7 days ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    7 days ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘વીરપુર જલારામ બાપાનું અન્નક્ષેત્ર ગુણાતીતાનંદ સ્વામીનાં આશીર્વાદથી ચાલે છે!’ એ ગપગોળાનું મૂળ માધવપ્રિયદાસજી લિખિત પુસ્તક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > ‘વીરપુર જલારામ બાપાનું અન્નક્ષેત્ર ગુણાતીતાનંદ સ્વામીનાં આશીર્વાદથી ચાલે છે!’ એ ગપગોળાનું મૂળ માધવપ્રિયદાસજી લિખિત પુસ્તક
TALK OF THE TOWN

‘વીરપુર જલારામ બાપાનું અન્નક્ષેત્ર ગુણાતીતાનંદ સ્વામીનાં આશીર્વાદથી ચાલે છે!’ એ ગપગોળાનું મૂળ માધવપ્રિયદાસજી લિખિત પુસ્તક

Khaskhabar Editor
Last updated: 2025/03/07 at 5:32 PM
Khaskhabar Editor 11 months ago
Share
6 Min Read
SHARE

SGVP-છારોડી ગુરુકુળનાં સ્વામી માધવપ્રિયદાસે પોતાનાં પુસ્તક ‘સદ્ગુરુ ગાથા (ભાગ-1)’માં આ કાલ્પનિક પ્રસંગ આલેખ્યો છે

સ્વામિનારાયણ સંપ્રદાયનાં લગભગ તમામ ફિરકાંઓ દ્વારા સનાતનીને અને દેવી-દેવતાઓ તથા સંતોને નીચાં દેખાડવા ઈરાદાપૂર્વક પ્રયાસ

- Advertisement -

સ્વામિનારાયણ સંપ્રદાયનાં એક જ્ઞાનપ્રકાશ સ્વામી નામનાં ભગવાધારીએ તાજેતરમાં જલારામ બાપા વિશે એલફેલ બકવાસ કર્યો હતો અને વીરપુરનું સદાવ્રત ગુણાતીતાનદ સ્વામીનાં આશીર્વાદથી અખંડ ચાલી રહ્યું હોવાનો વાહિયાત દાવો કર્યો હતો. ખૂબ વિવાદ થતાં અને જલારામ બાપાના ભક્તોનો આકરો મૂડ જોતાં અજ્ઞાનપ્રકાશે માફી માંગી લીધી હતી. પરંતુ હવે તેમનાં આ ગપ્પાંનું મૂળ જાણવા મળ્યું છે. સુધારાવાદી સંત ગણાતા માધવપ્રિયદાસજી (જૠટઙ ગુરુકુળ- છારોડી)એ જાતે જ લખેલાં પુસ્તક સદ્ગુરુ ગાથામાં જલારામ બાપા અને ગુણાતીતાનંદ સ્વામી વચ્ચેનો કપોળકલ્પિત પ્રસંગ વર્ણવ્યો છે. આમ તો માધવપ્રિયદાસજીએ પોતાની આ પુસ્તકમાળામાં અનેકાનેક હાસ્યાસ્પદ અને કાલ્પનિક પ્રસંગો લખ્યાં છે પરંતુ આજે આપણે એ જાણીએ કે સંતવર્ય જલારામ બાપા વિશે તેમણે શું લખ્યું છે. હવે પછીનું લખાણ તેમનાં પુસ્તકમાંથી લીધેલું છે…

રઘુવીરજી મહારાજને વિદાય આપી સ્વામી રાજકોટથી જૂનાગઢ પધાર્યા. રસ્તામાં વાવડી, ગુંદાસરા વગેરે ગામોમાં હરિભક્તોને સુખ દેતાં દેતાં સ્વામી ગોંડલમાં રાત રહ્યા. ગોંડલથી વહેલી સવારના નીકળી બપોર થતાં થતાં સ્વામી વીરપુર પહોંચ્યા. વીરપુરના પાદરમાં સ્વામીએ વિસામો લીધો. અહીં બપોરા કરવાની સ્વામીની ઈચ્છા હતી. સ્વામીની ઘોડીને પણ ચાર્ય નાખવાની જરૂર હતી.
બરાબર એ જ સમયે વીરપુરના પટેલ દેવાભાઈ લીલી ચાર્યનો ભારો લઈને નીકળ્યા. સ્વામીને જોયા એટલે દેવાભાઈએ ભારો નીચે મૂક્યો અને સ્વામીને દંડવત્ કરવા લાગ્યા.

સ્વામીએ કહ્યું, ‘દેવાભાઈ, અમારે ઘોડીને ચાર્ય નાખવી છે, આ ઘાસની ભારી અમને આપશો?’
દેવાભાઈ બોલ્યા, ‘સ્વામી, આપ જેવા સંતની ઘોડી માટે આ ખડનો ભારો કામમાં આવતો હોય તો અમારો દાખડો લેખે લાગે.’
દેવાભાઈની વાત સાંભળી સ્વામી અત્યંત રાજી થયા. સ્વામીની કૃપાદૃષ્ટિ પડતાં દેવાભાઈનું કામ થઈ ગયું. સમય જતાં દેવાભાઈ સાધુ થયા હતા અને ઈશ્ર્વરચરણદાસજી નામ પડ્યું હતું.
બપોરનો સમય થવા આવ્યો હતો. સંતો-પાર્ષદો માટે રસોઈ કરવાની હતી. વીરપુરમાં જલા ભગતનું સદાવ્રત ચાલતું હતું. સ્વામીએ સંતોને સદાવ્રતમાં સીધુ-પાણી લેવા મોકલ્યા. ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા છે એ સાંભળીને જલા ભગતને અત્યંત આનંદ થયો. જલા ભગતે તો સાધુ-સંતો માટે જ જાણે દેહ ધર્યો હતો.
જલા ભગતને સાધુ-સંતો જીવથી પણ વહાલા હતા. સાધુ-સંતોને માટે એમણે પોતાનું સર્વસ્વ કુરબાન કર્યું હતું.
જલા ભગતે સંતોને ઘઉંનો લોટ અને ઘી-ગોળ આપ્યા અને પોતે પણ સંતોની સાથે સીધા-સામગ્રીના ટોપલા લઈને સ્વામીના દર્શને આવ્યા. સ્વામીના દર્શન કરતાં જલા ભગતના અંતરમાં આનંદ થયો. સ્વામીએ પણ જલા ભગત તરફ કૃપાદૃષ્ટિ કરી.
જલા ભગતની ઈચ્છા હતી કે સંતો શીરો-પુરીની રસોઈ કરે અને જમે. પરંતુ સ્વામીએ કહ્યું, ‘જલા ભગત, શીરો-પુરી અમને નહીં ફાવે, અમે તો દાળ અને બાટી બનાવીશું.’
જલા ભગતે કહ્યું, ‘સ્વામી, જેમ આપ રાજી થાવ તેમ કરો. સાધુની રીતમાં અમને કંઈ ગતાગમ ન પડે.’
એક બાજુ સંતો ઠાકોરજીનો થાળ તેમજ રસોઈની તૈયારી કરવા લાગ્યા. બીજીબાજુ જલા ભગત સ્વામી પાસે બેસીને સત્સંગ કરવા લાગ્યા.
સ્વામીએ કહ્યું, ‘જલા ભગત, તમે ખૂબ ભાવથી સદાવ્રત ચલાવો છો અને અનેક સાધુ-સંતો, અભ્યાગતોના આશીર્વાદ મેળવો છો.’
જલા ભગતે કહ્યું, ‘સ્વામી, હું તો સંતચરણનો દાસ છું. વીરપુરનું સદાવ્રત તો આપ જેવા મહાપુરુષોની કૃપાને લીધે ચાલે છે. એમાં મારું કાંઈ નથી.’
જલા ભગતના વિનય વચન સાંભળી સ્વામી ખૂબ રાજી થયા અને બોલ્યા, ‘જલા ભગત, જુઓને ભગવાનની આજ્ઞાથી આ ઈન્દ્ર રાજાએ પણ કેવડું મોટું સદાવ્રત માંડ્યું છે. ઈન્દ્ર વરસાદ વરસાવે છે, ધરતી હરિયાળી બને છે, ધન-ધાન્ય પાકે છે, કીડીને કણ અને હાથીને મણ મળી રહે છે, ઈન્દ્રના સદાવ્રત ઉપર આખી ધરતીના પ્રાણીઓ નભે છે.’
જલા ભગતે કહ્યું, ‘સ્વામી, આપની વાત સાચી છે. મારા કરતાંય ઠાકોરજીનું સદાવ્રત બહુ મોટું છે, એના સદાવ્રત પાસે વીરપુરના સદાવ્રતની કોઈ વિસાત નથી.’
સ્વામીએ કહ્યું, ‘જલા ભગત, તમે જેમ ભોજનનું સદાવ્રત માંડ્યું છે, એમ અમે પણ મોક્ષનું સદાવ્રત માંડ્યું છે.’
જલા ભગતે કહ્યું, ‘સ્વામી, મારા ભોજનના સદાવ્રત કરતાંય તમારું મોક્ષનું સદાવ્રત મોટું કહેવાય. ભોજન તો શરીરને પોષણ કરે, જ્યારે મોક્ષના સદાવ્રતમાં તો જીવનું પોષણ થાય.’
જલા ભગતની સમજણ જોઈને સ્વામી ખૂબ રાજી થયા. જલા ભગતે સ્વામીને વીરપુરમાં પોતાના સદાવ્રતમાં પધરામણી કરવા વિનંતી કરી.
સ્વામીએ કહ્યું, ‘જલા ભગત, અમારે જેતપુર પહોંચવું છે એટલે ત્યાં તો નહીં આવી શકીએ પણ તમે ભૂખ્યાને ભોજન જમાડો છો, એ જાણીને અમે ખૂબ જ રાજી થઈએ છીએ. શાસ્ત્રમાં ‘અન્નદાનથી મોટું પુણ્ય થાય છે’ એમ કહ્યું છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમારા આ સદાવ્રતના કોઠારો ભગવાન અભરે ભરેલા રાખે.’
આમ જલા ભગતને આશીર્વાદ આપી સ્વામી જેતપુર પધાર્યા અને ત્યાંથી સાંકળી થઈને વડાલ પધાર્યા.

- Advertisement -

આ જ પુસ્તકમાં ‘વડાલનાં ડોશીને દેખતાં કર્યાં’નો પણ દાવો

વડાલમાં સ્વામીએ મંદિર કરાવ્યું હતું પણ સત્સંગ સાવ પાંખો હોવાથી મંદિર વાળે-ચોળે એવુંય કોઈ નહોતું.
એક ડોશીમાં મંદિરમાં ભાવથી સેવા કરતાં પણ વૃદ્ધાવસ્થાને લીધે એમની આંખોમાં ઝાંખપ આવી ગઈ હતી તેથી કાંઈ સૂઝતું નહોતું. પરિણામે મંદિરની સેવા થઈ શકતી નહોતી. સ્વામીએ એક હરિભક્તને કહ્યું, ‘તમે જઈને ડોશીને કહો, તેઓ મંદિરની સેવા પહેલાંની જેમ જ કરે. મહારાજ એમની આંખોમાં તેજ આપશે અને ડોશી જીવશે ત્યાં સુધી મોતી પરોવશે.’ સ્વામીના આશીર્વાદથી ડોશીની આંખોમાંથી ઓલવાઈ ગયેલો જ્યોતિ પાછો આવ્યો.
ડોશી તો ધન્ય ધન્ય થઈ ગયા અને જીવ્યા ત્યાં સુધી મંદિરની સેવા કરી.
આ રીતે વિચરણ કરતાં કરતાં હરિભક્તોને સુખ આપતાં આપતાં સ્વામી જૂનાગઢ પધાર્યા.

You Might Also Like

રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો

યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે

આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો

ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ

સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આવાસ ભાડે આપનાર સામે દંડાત્મક કાર્યવાહી, જો નહીં સુધારો તો આવાસ પણ રદ્દ: સ્ટે.ચેરમેન
Next Article નમો હોસ્પિટલના પ્રથમ ફેઝનું લોકાર્પણ કર્યું, 4 કિમીનો રોડ શૉ યોજી સભા સ્થળે પહોંચ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

ઈનામી ડ્રોમાં 1.20 કરોડની છેતરપિંડી: મંદિરના વિકાસ માટે ટિકિટો વેંચી, 606 વિજેતાને 5 દિવસ થયા છતાં કંઈ ન મળ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
પોલીસની વર્દી પહેરી દારૂ ઢીંચતાં વૃદ્ધનો વીડિયો વાયરલ
વીરપુર: લોખંડના બેરલ કાપીને લાખોનો દારૂ ઝડપાયો; બુટલેગરોના કીમિયાનો કઈઇએ કર્યો પર્દાફાશ
‘કોંગ્રેસ આપને દ્વાર’ અભિયાન હેઠળ વોર્ડ નં. 4માં જનસંપર્ક; લોકોએ ઠાલવી વેદના
રાજકોટ: મતદાર યાદીમાંથી 25,000 નામ રદ કરવાનું ષડયંત્ર? ‘આપ’નો ગંભીર આક્ષેપ
વોર્ડ નં. 2માં અશાંત ધારો પાંચ વર્ષ માટે રિન્યુ થતાં રહેવાસીઓમાં હર્ષ; વિજયભાઈ રૂપાણીના દૂરંદેશી નિર્ણયને યાદ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
TALK OF THE TOWNરાજકોટ

યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
TALK OF THE TOWNરાજકોટ

આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?