By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    1 hour ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    1 hour ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    23 hours ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    1 day ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    23 minutes ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    1 hour ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    1 hour ago
    ભારત પ્રશાસિત કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટમાં નવના મોત
    2 hours ago
    નીતિશની ‘રેવડી’ હિટ
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    52 minutes ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    20 hours ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    3 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    5 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    33 minutes ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    46 minutes ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    23 hours ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    3 days ago
    મારા પિતા ધર્મેન્દ્ર હજુ જીવિત છે અને તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘વીરપુર જલારામ બાપાનું અન્નક્ષેત્ર ગુણાતીતાનંદ સ્વામીનાં આશીર્વાદથી ચાલે છે!’ એ ગપગોળાનું મૂળ માધવપ્રિયદાસજી લિખિત પુસ્તક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > ‘વીરપુર જલારામ બાપાનું અન્નક્ષેત્ર ગુણાતીતાનંદ સ્વામીનાં આશીર્વાદથી ચાલે છે!’ એ ગપગોળાનું મૂળ માધવપ્રિયદાસજી લિખિત પુસ્તક
TALK OF THE TOWN

‘વીરપુર જલારામ બાપાનું અન્નક્ષેત્ર ગુણાતીતાનંદ સ્વામીનાં આશીર્વાદથી ચાલે છે!’ એ ગપગોળાનું મૂળ માધવપ્રિયદાસજી લિખિત પુસ્તક

Khaskhabar Editor
Last updated: 2025/03/07 at 5:32 PM
Khaskhabar Editor 8 months ago
Share
6 Min Read
SHARE

SGVP-છારોડી ગુરુકુળનાં સ્વામી માધવપ્રિયદાસે પોતાનાં પુસ્તક ‘સદ્ગુરુ ગાથા (ભાગ-1)’માં આ કાલ્પનિક પ્રસંગ આલેખ્યો છે

સ્વામિનારાયણ સંપ્રદાયનાં લગભગ તમામ ફિરકાંઓ દ્વારા સનાતનીને અને દેવી-દેવતાઓ તથા સંતોને નીચાં દેખાડવા ઈરાદાપૂર્વક પ્રયાસ

- Advertisement -

સ્વામિનારાયણ સંપ્રદાયનાં એક જ્ઞાનપ્રકાશ સ્વામી નામનાં ભગવાધારીએ તાજેતરમાં જલારામ બાપા વિશે એલફેલ બકવાસ કર્યો હતો અને વીરપુરનું સદાવ્રત ગુણાતીતાનદ સ્વામીનાં આશીર્વાદથી અખંડ ચાલી રહ્યું હોવાનો વાહિયાત દાવો કર્યો હતો. ખૂબ વિવાદ થતાં અને જલારામ બાપાના ભક્તોનો આકરો મૂડ જોતાં અજ્ઞાનપ્રકાશે માફી માંગી લીધી હતી. પરંતુ હવે તેમનાં આ ગપ્પાંનું મૂળ જાણવા મળ્યું છે. સુધારાવાદી સંત ગણાતા માધવપ્રિયદાસજી (જૠટઙ ગુરુકુળ- છારોડી)એ જાતે જ લખેલાં પુસ્તક સદ્ગુરુ ગાથામાં જલારામ બાપા અને ગુણાતીતાનંદ સ્વામી વચ્ચેનો કપોળકલ્પિત પ્રસંગ વર્ણવ્યો છે. આમ તો માધવપ્રિયદાસજીએ પોતાની આ પુસ્તકમાળામાં અનેકાનેક હાસ્યાસ્પદ અને કાલ્પનિક પ્રસંગો લખ્યાં છે પરંતુ આજે આપણે એ જાણીએ કે સંતવર્ય જલારામ બાપા વિશે તેમણે શું લખ્યું છે. હવે પછીનું લખાણ તેમનાં પુસ્તકમાંથી લીધેલું છે…

રઘુવીરજી મહારાજને વિદાય આપી સ્વામી રાજકોટથી જૂનાગઢ પધાર્યા. રસ્તામાં વાવડી, ગુંદાસરા વગેરે ગામોમાં હરિભક્તોને સુખ દેતાં દેતાં સ્વામી ગોંડલમાં રાત રહ્યા. ગોંડલથી વહેલી સવારના નીકળી બપોર થતાં થતાં સ્વામી વીરપુર પહોંચ્યા. વીરપુરના પાદરમાં સ્વામીએ વિસામો લીધો. અહીં બપોરા કરવાની સ્વામીની ઈચ્છા હતી. સ્વામીની ઘોડીને પણ ચાર્ય નાખવાની જરૂર હતી.
બરાબર એ જ સમયે વીરપુરના પટેલ દેવાભાઈ લીલી ચાર્યનો ભારો લઈને નીકળ્યા. સ્વામીને જોયા એટલે દેવાભાઈએ ભારો નીચે મૂક્યો અને સ્વામીને દંડવત્ કરવા લાગ્યા.

સ્વામીએ કહ્યું, ‘દેવાભાઈ, અમારે ઘોડીને ચાર્ય નાખવી છે, આ ઘાસની ભારી અમને આપશો?’
દેવાભાઈ બોલ્યા, ‘સ્વામી, આપ જેવા સંતની ઘોડી માટે આ ખડનો ભારો કામમાં આવતો હોય તો અમારો દાખડો લેખે લાગે.’
દેવાભાઈની વાત સાંભળી સ્વામી અત્યંત રાજી થયા. સ્વામીની કૃપાદૃષ્ટિ પડતાં દેવાભાઈનું કામ થઈ ગયું. સમય જતાં દેવાભાઈ સાધુ થયા હતા અને ઈશ્ર્વરચરણદાસજી નામ પડ્યું હતું.
બપોરનો સમય થવા આવ્યો હતો. સંતો-પાર્ષદો માટે રસોઈ કરવાની હતી. વીરપુરમાં જલા ભગતનું સદાવ્રત ચાલતું હતું. સ્વામીએ સંતોને સદાવ્રતમાં સીધુ-પાણી લેવા મોકલ્યા. ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા છે એ સાંભળીને જલા ભગતને અત્યંત આનંદ થયો. જલા ભગતે તો સાધુ-સંતો માટે જ જાણે દેહ ધર્યો હતો.
જલા ભગતને સાધુ-સંતો જીવથી પણ વહાલા હતા. સાધુ-સંતોને માટે એમણે પોતાનું સર્વસ્વ કુરબાન કર્યું હતું.
જલા ભગતે સંતોને ઘઉંનો લોટ અને ઘી-ગોળ આપ્યા અને પોતે પણ સંતોની સાથે સીધા-સામગ્રીના ટોપલા લઈને સ્વામીના દર્શને આવ્યા. સ્વામીના દર્શન કરતાં જલા ભગતના અંતરમાં આનંદ થયો. સ્વામીએ પણ જલા ભગત તરફ કૃપાદૃષ્ટિ કરી.
જલા ભગતની ઈચ્છા હતી કે સંતો શીરો-પુરીની રસોઈ કરે અને જમે. પરંતુ સ્વામીએ કહ્યું, ‘જલા ભગત, શીરો-પુરી અમને નહીં ફાવે, અમે તો દાળ અને બાટી બનાવીશું.’
જલા ભગતે કહ્યું, ‘સ્વામી, જેમ આપ રાજી થાવ તેમ કરો. સાધુની રીતમાં અમને કંઈ ગતાગમ ન પડે.’
એક બાજુ સંતો ઠાકોરજીનો થાળ તેમજ રસોઈની તૈયારી કરવા લાગ્યા. બીજીબાજુ જલા ભગત સ્વામી પાસે બેસીને સત્સંગ કરવા લાગ્યા.
સ્વામીએ કહ્યું, ‘જલા ભગત, તમે ખૂબ ભાવથી સદાવ્રત ચલાવો છો અને અનેક સાધુ-સંતો, અભ્યાગતોના આશીર્વાદ મેળવો છો.’
જલા ભગતે કહ્યું, ‘સ્વામી, હું તો સંતચરણનો દાસ છું. વીરપુરનું સદાવ્રત તો આપ જેવા મહાપુરુષોની કૃપાને લીધે ચાલે છે. એમાં મારું કાંઈ નથી.’
જલા ભગતના વિનય વચન સાંભળી સ્વામી ખૂબ રાજી થયા અને બોલ્યા, ‘જલા ભગત, જુઓને ભગવાનની આજ્ઞાથી આ ઈન્દ્ર રાજાએ પણ કેવડું મોટું સદાવ્રત માંડ્યું છે. ઈન્દ્ર વરસાદ વરસાવે છે, ધરતી હરિયાળી બને છે, ધન-ધાન્ય પાકે છે, કીડીને કણ અને હાથીને મણ મળી રહે છે, ઈન્દ્રના સદાવ્રત ઉપર આખી ધરતીના પ્રાણીઓ નભે છે.’
જલા ભગતે કહ્યું, ‘સ્વામી, આપની વાત સાચી છે. મારા કરતાંય ઠાકોરજીનું સદાવ્રત બહુ મોટું છે, એના સદાવ્રત પાસે વીરપુરના સદાવ્રતની કોઈ વિસાત નથી.’
સ્વામીએ કહ્યું, ‘જલા ભગત, તમે જેમ ભોજનનું સદાવ્રત માંડ્યું છે, એમ અમે પણ મોક્ષનું સદાવ્રત માંડ્યું છે.’
જલા ભગતે કહ્યું, ‘સ્વામી, મારા ભોજનના સદાવ્રત કરતાંય તમારું મોક્ષનું સદાવ્રત મોટું કહેવાય. ભોજન તો શરીરને પોષણ કરે, જ્યારે મોક્ષના સદાવ્રતમાં તો જીવનું પોષણ થાય.’
જલા ભગતની સમજણ જોઈને સ્વામી ખૂબ રાજી થયા. જલા ભગતે સ્વામીને વીરપુરમાં પોતાના સદાવ્રતમાં પધરામણી કરવા વિનંતી કરી.
સ્વામીએ કહ્યું, ‘જલા ભગત, અમારે જેતપુર પહોંચવું છે એટલે ત્યાં તો નહીં આવી શકીએ પણ તમે ભૂખ્યાને ભોજન જમાડો છો, એ જાણીને અમે ખૂબ જ રાજી થઈએ છીએ. શાસ્ત્રમાં ‘અન્નદાનથી મોટું પુણ્ય થાય છે’ એમ કહ્યું છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમારા આ સદાવ્રતના કોઠારો ભગવાન અભરે ભરેલા રાખે.’
આમ જલા ભગતને આશીર્વાદ આપી સ્વામી જેતપુર પધાર્યા અને ત્યાંથી સાંકળી થઈને વડાલ પધાર્યા.

- Advertisement -

આ જ પુસ્તકમાં ‘વડાલનાં ડોશીને દેખતાં કર્યાં’નો પણ દાવો

વડાલમાં સ્વામીએ મંદિર કરાવ્યું હતું પણ સત્સંગ સાવ પાંખો હોવાથી મંદિર વાળે-ચોળે એવુંય કોઈ નહોતું.
એક ડોશીમાં મંદિરમાં ભાવથી સેવા કરતાં પણ વૃદ્ધાવસ્થાને લીધે એમની આંખોમાં ઝાંખપ આવી ગઈ હતી તેથી કાંઈ સૂઝતું નહોતું. પરિણામે મંદિરની સેવા થઈ શકતી નહોતી. સ્વામીએ એક હરિભક્તને કહ્યું, ‘તમે જઈને ડોશીને કહો, તેઓ મંદિરની સેવા પહેલાંની જેમ જ કરે. મહારાજ એમની આંખોમાં તેજ આપશે અને ડોશી જીવશે ત્યાં સુધી મોતી પરોવશે.’ સ્વામીના આશીર્વાદથી ડોશીની આંખોમાંથી ઓલવાઈ ગયેલો જ્યોતિ પાછો આવ્યો.
ડોશી તો ધન્ય ધન્ય થઈ ગયા અને જીવ્યા ત્યાં સુધી મંદિરની સેવા કરી.
આ રીતે વિચરણ કરતાં કરતાં હરિભક્તોને સુખ આપતાં આપતાં સ્વામી જૂનાગઢ પધાર્યા.

You Might Also Like

રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો

યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે

આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો

ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ

સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આવાસ ભાડે આપનાર સામે દંડાત્મક કાર્યવાહી, જો નહીં સુધારો તો આવાસ પણ રદ્દ: સ્ટે.ચેરમેન
Next Article નમો હોસ્પિટલના પ્રથમ ફેઝનું લોકાર્પણ કર્યું, 4 કિમીનો રોડ શૉ યોજી સભા સ્થળે પહોંચ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
TALK OF THE TOWNરાજકોટ

યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
TALK OF THE TOWNરાજકોટ

આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?