By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    44 minutes ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    1 day ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    1 day ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    1 day ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    1 day ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    1 day ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    1 day ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    2 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    1 day ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    3 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    3 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    3 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    1 day ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    3 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    4 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    6 days ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 day ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 day ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    2 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    2 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    5 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    6 days ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    1 week ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    1 week ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘વીરપુર જલારામ બાપાનું અન્નક્ષેત્ર ગુણાતીતાનંદ સ્વામીનાં આશીર્વાદથી ચાલે છે!’ એ ગપગોળાનું મૂળ માધવપ્રિયદાસજી લિખિત પુસ્તક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > ‘વીરપુર જલારામ બાપાનું અન્નક્ષેત્ર ગુણાતીતાનંદ સ્વામીનાં આશીર્વાદથી ચાલે છે!’ એ ગપગોળાનું મૂળ માધવપ્રિયદાસજી લિખિત પુસ્તક
TALK OF THE TOWN

‘વીરપુર જલારામ બાપાનું અન્નક્ષેત્ર ગુણાતીતાનંદ સ્વામીનાં આશીર્વાદથી ચાલે છે!’ એ ગપગોળાનું મૂળ માધવપ્રિયદાસજી લિખિત પુસ્તક

Khaskhabar Editor
Last updated: 2025/03/07 at 5:32 PM
Khaskhabar Editor 8 months ago
Share
6 Min Read
SHARE

SGVP-છારોડી ગુરુકુળનાં સ્વામી માધવપ્રિયદાસે પોતાનાં પુસ્તક ‘સદ્ગુરુ ગાથા (ભાગ-1)’માં આ કાલ્પનિક પ્રસંગ આલેખ્યો છે

સ્વામિનારાયણ સંપ્રદાયનાં લગભગ તમામ ફિરકાંઓ દ્વારા સનાતનીને અને દેવી-દેવતાઓ તથા સંતોને નીચાં દેખાડવા ઈરાદાપૂર્વક પ્રયાસ

- Advertisement -

સ્વામિનારાયણ સંપ્રદાયનાં એક જ્ઞાનપ્રકાશ સ્વામી નામનાં ભગવાધારીએ તાજેતરમાં જલારામ બાપા વિશે એલફેલ બકવાસ કર્યો હતો અને વીરપુરનું સદાવ્રત ગુણાતીતાનદ સ્વામીનાં આશીર્વાદથી અખંડ ચાલી રહ્યું હોવાનો વાહિયાત દાવો કર્યો હતો. ખૂબ વિવાદ થતાં અને જલારામ બાપાના ભક્તોનો આકરો મૂડ જોતાં અજ્ઞાનપ્રકાશે માફી માંગી લીધી હતી. પરંતુ હવે તેમનાં આ ગપ્પાંનું મૂળ જાણવા મળ્યું છે. સુધારાવાદી સંત ગણાતા માધવપ્રિયદાસજી (જૠટઙ ગુરુકુળ- છારોડી)એ જાતે જ લખેલાં પુસ્તક સદ્ગુરુ ગાથામાં જલારામ બાપા અને ગુણાતીતાનંદ સ્વામી વચ્ચેનો કપોળકલ્પિત પ્રસંગ વર્ણવ્યો છે. આમ તો માધવપ્રિયદાસજીએ પોતાની આ પુસ્તકમાળામાં અનેકાનેક હાસ્યાસ્પદ અને કાલ્પનિક પ્રસંગો લખ્યાં છે પરંતુ આજે આપણે એ જાણીએ કે સંતવર્ય જલારામ બાપા વિશે તેમણે શું લખ્યું છે. હવે પછીનું લખાણ તેમનાં પુસ્તકમાંથી લીધેલું છે…

રઘુવીરજી મહારાજને વિદાય આપી સ્વામી રાજકોટથી જૂનાગઢ પધાર્યા. રસ્તામાં વાવડી, ગુંદાસરા વગેરે ગામોમાં હરિભક્તોને સુખ દેતાં દેતાં સ્વામી ગોંડલમાં રાત રહ્યા. ગોંડલથી વહેલી સવારના નીકળી બપોર થતાં થતાં સ્વામી વીરપુર પહોંચ્યા. વીરપુરના પાદરમાં સ્વામીએ વિસામો લીધો. અહીં બપોરા કરવાની સ્વામીની ઈચ્છા હતી. સ્વામીની ઘોડીને પણ ચાર્ય નાખવાની જરૂર હતી.
બરાબર એ જ સમયે વીરપુરના પટેલ દેવાભાઈ લીલી ચાર્યનો ભારો લઈને નીકળ્યા. સ્વામીને જોયા એટલે દેવાભાઈએ ભારો નીચે મૂક્યો અને સ્વામીને દંડવત્ કરવા લાગ્યા.

સ્વામીએ કહ્યું, ‘દેવાભાઈ, અમારે ઘોડીને ચાર્ય નાખવી છે, આ ઘાસની ભારી અમને આપશો?’
દેવાભાઈ બોલ્યા, ‘સ્વામી, આપ જેવા સંતની ઘોડી માટે આ ખડનો ભારો કામમાં આવતો હોય તો અમારો દાખડો લેખે લાગે.’
દેવાભાઈની વાત સાંભળી સ્વામી અત્યંત રાજી થયા. સ્વામીની કૃપાદૃષ્ટિ પડતાં દેવાભાઈનું કામ થઈ ગયું. સમય જતાં દેવાભાઈ સાધુ થયા હતા અને ઈશ્ર્વરચરણદાસજી નામ પડ્યું હતું.
બપોરનો સમય થવા આવ્યો હતો. સંતો-પાર્ષદો માટે રસોઈ કરવાની હતી. વીરપુરમાં જલા ભગતનું સદાવ્રત ચાલતું હતું. સ્વામીએ સંતોને સદાવ્રતમાં સીધુ-પાણી લેવા મોકલ્યા. ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા છે એ સાંભળીને જલા ભગતને અત્યંત આનંદ થયો. જલા ભગતે તો સાધુ-સંતો માટે જ જાણે દેહ ધર્યો હતો.
જલા ભગતને સાધુ-સંતો જીવથી પણ વહાલા હતા. સાધુ-સંતોને માટે એમણે પોતાનું સર્વસ્વ કુરબાન કર્યું હતું.
જલા ભગતે સંતોને ઘઉંનો લોટ અને ઘી-ગોળ આપ્યા અને પોતે પણ સંતોની સાથે સીધા-સામગ્રીના ટોપલા લઈને સ્વામીના દર્શને આવ્યા. સ્વામીના દર્શન કરતાં જલા ભગતના અંતરમાં આનંદ થયો. સ્વામીએ પણ જલા ભગત તરફ કૃપાદૃષ્ટિ કરી.
જલા ભગતની ઈચ્છા હતી કે સંતો શીરો-પુરીની રસોઈ કરે અને જમે. પરંતુ સ્વામીએ કહ્યું, ‘જલા ભગત, શીરો-પુરી અમને નહીં ફાવે, અમે તો દાળ અને બાટી બનાવીશું.’
જલા ભગતે કહ્યું, ‘સ્વામી, જેમ આપ રાજી થાવ તેમ કરો. સાધુની રીતમાં અમને કંઈ ગતાગમ ન પડે.’
એક બાજુ સંતો ઠાકોરજીનો થાળ તેમજ રસોઈની તૈયારી કરવા લાગ્યા. બીજીબાજુ જલા ભગત સ્વામી પાસે બેસીને સત્સંગ કરવા લાગ્યા.
સ્વામીએ કહ્યું, ‘જલા ભગત, તમે ખૂબ ભાવથી સદાવ્રત ચલાવો છો અને અનેક સાધુ-સંતો, અભ્યાગતોના આશીર્વાદ મેળવો છો.’
જલા ભગતે કહ્યું, ‘સ્વામી, હું તો સંતચરણનો દાસ છું. વીરપુરનું સદાવ્રત તો આપ જેવા મહાપુરુષોની કૃપાને લીધે ચાલે છે. એમાં મારું કાંઈ નથી.’
જલા ભગતના વિનય વચન સાંભળી સ્વામી ખૂબ રાજી થયા અને બોલ્યા, ‘જલા ભગત, જુઓને ભગવાનની આજ્ઞાથી આ ઈન્દ્ર રાજાએ પણ કેવડું મોટું સદાવ્રત માંડ્યું છે. ઈન્દ્ર વરસાદ વરસાવે છે, ધરતી હરિયાળી બને છે, ધન-ધાન્ય પાકે છે, કીડીને કણ અને હાથીને મણ મળી રહે છે, ઈન્દ્રના સદાવ્રત ઉપર આખી ધરતીના પ્રાણીઓ નભે છે.’
જલા ભગતે કહ્યું, ‘સ્વામી, આપની વાત સાચી છે. મારા કરતાંય ઠાકોરજીનું સદાવ્રત બહુ મોટું છે, એના સદાવ્રત પાસે વીરપુરના સદાવ્રતની કોઈ વિસાત નથી.’
સ્વામીએ કહ્યું, ‘જલા ભગત, તમે જેમ ભોજનનું સદાવ્રત માંડ્યું છે, એમ અમે પણ મોક્ષનું સદાવ્રત માંડ્યું છે.’
જલા ભગતે કહ્યું, ‘સ્વામી, મારા ભોજનના સદાવ્રત કરતાંય તમારું મોક્ષનું સદાવ્રત મોટું કહેવાય. ભોજન તો શરીરને પોષણ કરે, જ્યારે મોક્ષના સદાવ્રતમાં તો જીવનું પોષણ થાય.’
જલા ભગતની સમજણ જોઈને સ્વામી ખૂબ રાજી થયા. જલા ભગતે સ્વામીને વીરપુરમાં પોતાના સદાવ્રતમાં પધરામણી કરવા વિનંતી કરી.
સ્વામીએ કહ્યું, ‘જલા ભગત, અમારે જેતપુર પહોંચવું છે એટલે ત્યાં તો નહીં આવી શકીએ પણ તમે ભૂખ્યાને ભોજન જમાડો છો, એ જાણીને અમે ખૂબ જ રાજી થઈએ છીએ. શાસ્ત્રમાં ‘અન્નદાનથી મોટું પુણ્ય થાય છે’ એમ કહ્યું છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમારા આ સદાવ્રતના કોઠારો ભગવાન અભરે ભરેલા રાખે.’
આમ જલા ભગતને આશીર્વાદ આપી સ્વામી જેતપુર પધાર્યા અને ત્યાંથી સાંકળી થઈને વડાલ પધાર્યા.

- Advertisement -

આ જ પુસ્તકમાં ‘વડાલનાં ડોશીને દેખતાં કર્યાં’નો પણ દાવો

વડાલમાં સ્વામીએ મંદિર કરાવ્યું હતું પણ સત્સંગ સાવ પાંખો હોવાથી મંદિર વાળે-ચોળે એવુંય કોઈ નહોતું.
એક ડોશીમાં મંદિરમાં ભાવથી સેવા કરતાં પણ વૃદ્ધાવસ્થાને લીધે એમની આંખોમાં ઝાંખપ આવી ગઈ હતી તેથી કાંઈ સૂઝતું નહોતું. પરિણામે મંદિરની સેવા થઈ શકતી નહોતી. સ્વામીએ એક હરિભક્તને કહ્યું, ‘તમે જઈને ડોશીને કહો, તેઓ મંદિરની સેવા પહેલાંની જેમ જ કરે. મહારાજ એમની આંખોમાં તેજ આપશે અને ડોશી જીવશે ત્યાં સુધી મોતી પરોવશે.’ સ્વામીના આશીર્વાદથી ડોશીની આંખોમાંથી ઓલવાઈ ગયેલો જ્યોતિ પાછો આવ્યો.
ડોશી તો ધન્ય ધન્ય થઈ ગયા અને જીવ્યા ત્યાં સુધી મંદિરની સેવા કરી.
આ રીતે વિચરણ કરતાં કરતાં હરિભક્તોને સુખ આપતાં આપતાં સ્વામી જૂનાગઢ પધાર્યા.

You Might Also Like

સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં

રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ

હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી

‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી

રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આવાસ ભાડે આપનાર સામે દંડાત્મક કાર્યવાહી, જો નહીં સુધારો તો આવાસ પણ રદ્દ: સ્ટે.ચેરમેન
Next Article નમો હોસ્પિટલના પ્રથમ ફેઝનું લોકાર્પણ કર્યું, 4 કિમીનો રોડ શૉ યોજી સભા સ્થળે પહોંચ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
TALK OF THE TOWNરાજકોટ

રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
TALK OF THE TOWNરાજકોટ

હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?