પક્ષીઓને ચણ, પશુઓને ઘાસચારો નાખી સેવાકીય પ્રવૃતિ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
રબારી સમાજની ગુરુ ગાદી તરીકે જાણીતા દુધરેજ ધામના સુપ્રસિધ્ધ વડવાળા દેવ મંદિરના મહંત કનીરામબાપુના જન્મ દિવસ નિમિતે ભક્તો દ્વારા સેવાકીય પ્રવૃતિ સાથે ઉજવણી કરાઇ હતી જેમાં મુળી તાલુકાનાં દુધઈ ગામે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. કનીરામબાપુના જન્મ દિવસે વહેલી સવારથી પક્ષીઓ માટે ચણ સાથે જ ગાયોને ઘાસચારો અને મહંતની આરતી બાદ તેઓના સંકલ્પ થકી 1008 વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું હતું. દુધઈ ગામના પ્રસિધ્ધ મેઘસ્વામી બાપુની તલાવડી મુકામે આ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન થયું હતું જેમાં દુધઈ વડવાળા મંદિરના મહંત રામબાપુ તથા પુર્વ સરપંચ ભગવાનભાઈ રબારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજરી આપી હતી આ સાથે વડવાળા મંદિરના મહંત કનીરામબાપુને ભગવાન વડવાળા દેવ લાંબુ આયુષ્ય આપે અને તેઓના આશીર્વાદથી સમગ્ર માનવજાતને ઉપયોગી સેવાઓની સરવાણી તેઓ વહેતી રહે તે માટે આરતી સાથે સંકલ્પ પણ લેવામાં આવ્યા હતા. આ તકે દુધઈ વડવાળા મંદિરના મહંત રામબાપુ દ્વારા દરેક સમાજના યુવાનો શિક્ષણ ક્ષેત્રમાં પ્રગતિ કરે અને વ્યસનથી દૂર રહેવા માટે જણાવ્યું હતું.