ફાર્માસિસ્ટોને રસીકરણની તાલીમ અપાશે: મે માસથી પ્રારંભ
ખાસ-ખબર સંવાદદાતા
દેશના અંતરીયાળ ભાગોમાં ડોકટર કે મેડીકલ સ્ટાફની ગેરહાજરીમાં રસીકરણ કરવાનો મોટો પડકાર બને છે. ત્યારે હવે સ્થાનિક ફાર્માસીસ્ટ આ બીડુ ઉપાડવા તૈયાર થયા છે. ઈન્ડીયન ફાર્માસ્યુટીકલ એસોસીએશન દ્વારા વેકસીનેટર (રસી આપ્નાર) તૈયાર કરવા મહત્વાકાંક્ષી પહેલ કરવામાં આવી છે.
2025 સુધીમાં ફાર્માસીસ્ટ જ રસી આપી શકે છે તે માટે નોંધાયેલા તમામ 12.50 ફાર્માસીસ્ટને તાલીમબદ્ધ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. તેના આધારે કોવીડ જેવી મહામારીની કટોકટી વખતે 25 ટકા લોકોનો જીવ બચાવી શકાશે.
ઈન્ડીયન ફાર્મા એસોસીએશનનાં પ્રમુખ પ્રો.ટી.વી નારાયણને જણાવ્યું હતું કે, સંગઠનની આ દરખાસ્તોનો સરકારે સ્વીકાર કરી લીધો છે.આગામી મે મહિનાથી તાલીમનો કાર્યક્રમ શરૂ થશે.પ્રથમ તબકકે 15 દિવસ ઓનલાઈન તાલીમ આપવામાં આવશે અને ત્યારબાદ રર્જીસ્ટડ હોસ્પીટલ ખાતે 15 દિવસનો તાલીમ કેમ્પ રાખવામાં આવશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તથા ફાર્માસ્યુટીકલ્સ એસોસીએશનનું સર્ટીફીકેટ પણ આપવામાં આવશે. અમેરીકા,બ્રિટન જેવા વિકસીત રાષ્ટ્રોમાં આ પ્રકારની પ્રક્રિયા થાય જ છે. પ્રથમ તબકકાની પ્રાથમીક તાલીમ ઈન્ટરનેશનલ ફાર્માસ્યુટીકલ્સ ફેડરેશન દ્વારા આપવામાં આવશે. વિશ્વના જુદા જુદા અનુભવ સભ્યો ભારતના ફાર્માસીસ્ટને તાલીમ આપશે અને ત્યારબાદ તાલીમબદ્ધ ભારતીયોની ચેઈન આ પ્રક્રિયા ઉપાડી લેશે.
રસીકરણ માટે ફાર્માસીસ્ટો દ્વારા કોમર્શીયલ ધોરણે ચાર્જ વસુલ કરવામાં આવશે.જોકે, કોવીડ મહામારી જેવી આપતી વખતે નિ:શુલ્ક સેવા આપીને સામાજીક જવાબદારી નિભાવશે. ખાસ કરીને દેશના અંતરીયાળ ભાગોમાં તબીબ કે પેરા મેડીકલ સ્ટાફની સુવિધા મુશ્કેલ હોય છે.પરંતુ સર્વત્ર મેડીકલ સ્ટોર ઉપલબ્ધ હોય છે.