ઉત્તરપ્રદેશના નોઈડામાં મોટી દુર્ઘટના ઘટી છે. નોઇડાના સેક્ટર-21ના જળવાયુ વિહારમાં દિવાલ ધરાશાયી થતા 4 શ્રમિકોના મોત નિપજ્યાં જ્યારે 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
નોઇડામાં નિર્માણાધીન દિવાલ ધરાશાયી થતા 4 શ્રમિકો મૃત્યુ પામ્યા છે જ્યારે 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કેટલાક લોકો દટાયેલા હોવાની આશંકા સેવાઇ રહી છે ત્યારે હાલ ઘટનાસ્થળે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. હાલ ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન શરૂ છે ત્યારે અત્યાર સુધીમાં કાટમાળની નીચે દટાયેલા 12 લોકોનું રેસ્ક્યુ કરી લેવાયું છે.
- Advertisement -
Uttar Pradesh | Boundary wall of Jal Vayu Vihar society in Noida Sector 21 collapsed this morning. A few people feared trapped. Police and Fire Department teams are present at the spot. Details awaited. pic.twitter.com/ZX4YyTUaAY
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 20, 2022
- Advertisement -
આ દુર્ઘટનામાં પોલીસ પ્રશાસનની સાથે-સાથે સ્થાનીય લોકો પણ રેસ્ક્યુમાં જોડાઇ ગયા છે. તમને જણાવી દઇએ કે, આ ઘટના નોઇડાના સેક્ટર-21ની જળવાયુ વિહાર સોસાયટીની છે.
મજૂરો ઈંટો ખેંચી રહ્યા હતા ત્યારે દિવાલ ધરાશાયી થઇ: કલેક્ટર
આ મામલે કલેક્ટરનું સુહાસ એલ.વાયનું કહેવું છે કે, ‘હાલ બચાવ કામગીરી ચાલી રહી છે તેમજ ઘાયલ લોકોની વિગતો મેળવવામાં આવી રહી છે. સાવચેતીના પગલા તરીકે આ વિસ્તારમાં હાલ સર્ચ કરવામાં આવી રહ્યું છે. તમામ ટીમો અહીં હાજર છે.’ વધુમાં કલેક્ટરે જણાવ્યું કે, ‘નોઈડા ઓથોરિટીએ સેકન્ડ 21માં જલ વાયુ વિહાર પાસે ડ્રેનેજ રિપેરિંગ કામ માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. અમને એમ કહેવામાં આવ્યું કે જ્યારે મજૂરો ઈંટો ખેંચી રહ્યા હતા ત્યારે દિવાલ ધરાશાયી થઇ. આથી, તેની તપાસ કરવામાં આવશે.’
Noida Authority had given contract for drainage repair work near Jal Vayu Vihar in Sec 21. We've been told when labourers were pulling out bricks, wall collapsed. It'll be probed. Received info of 2 deaths each(total 4)at Dist Hospital & Kailash Hospital; being verified: Noida DM pic.twitter.com/7A2eTmCMEE
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 20, 2022
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો
નોઇડામાં દીવાલ ધરાશાયી થવાની ઘટના મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. તેઓએ સિનિયર અધિકારીઓને તુરંત ઘટનાસ્થળે પહોંચી યુદ્ધનાં ધોરણે બચાવ કામગીરી શરૂ કરવાનાં આદેશો આપ્યા છે.
#UPCM @myogiadityanath ने जनपद गौतमबुद्धनगर में दीवार गिरने से हुई जनहानि पर गहरा शोक व्यक्त किया है।
मुख्यमंत्री जी ने वरिष्ठ अधिकारियों को मौके पर तत्काल पहुंचकर युद्धस्तर पर राहत कार्य संचालित करने के निर्देश दिए हैं।
— CM Office, GoUP (@CMOfficeUP) September 20, 2022
દુર્ઘટનામાં 4 લોકોનાં મોત અને 9 ઇજાગ્રસ્ત
તમને વધુમાં જણાવી દઇએ કે, આ દુર્ઘટનામાં 4 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 9 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ NDRF અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ છે.
Noida wall collapse | 4 people died, 9 admitted to a hospital after a wall near Jal Vayu Vihar society in Noida Sector 21 collapsed this morning.
NDRF and Fire Brigade teams are conducting the last search mission.#UttarPradesh pic.twitter.com/OMhtrbU06g
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 20, 2022