ભારતે કહ્યું- રિપોર્ટ પક્ષપાતી અને રાજનીતિથી પ્રેરિત
શીખ અલગાવવાદીઓની હત્યાના કાવતરામાં સંડોવણીનો આરોપ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
ભારત સરકારે દેશમાં ધાર્મિક સ્વતંત્રતા અને ગુપ્ત એજન્સી છઅઠ પર પ્રતિબંધની માગ કરતી અમેરિકન સરકારના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પંચ (USCIRF)ના અહેવાલને ફગાવી દીધો છે.
ભારતે તેને પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યું. બુધવારે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે USCIRF સતત અલગઅલગ ઘટનાઓને ખોટી રીતે રજૂ કરવાનું અને ભારતના વૈવિધ્યસભર સમાજને નબળા પાડવાનું ચાલુ રાખે છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આયોગે પોતાને “ચિંતાનો વિષય સંસ્થા” જાહેર કરવું જોઈએ. USCIRFએ તેના 2025ના અહેવાલમાં કહ્યું હતું કે ભારતમાં લઘુમતીઓની સ્થિતિ બગડી રહી છે અને ગુપ્ત એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) પર શીખ અલગાવવાદીઓની હત્યાના કાવતરામાં કથિત સંડોવણી બદલ પ્રતિબંધ મૂકવો જોઈએ. રિપોર્ટમાં ભારતને ખાસ ચિંતાનો દેશ જાહેર કરવો જોઈએ.
- Advertisement -
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં 1.4 અબજ લોકો રહે છે જે બધા ધર્મોનું પાલન કરે છે. જોકે, અમને એવી કોઈ અપેક્ષા નથી કે USCIRF ભારતના બહુલવાદી સમાજના સહઅસ્તિત્વને સ્વીકારશે.
આ અમેરિકન સંસ્થા વાસ્તવિકતાથી ઘણી દૂર છે, અમને કોઈ આશા પણ નથી કે તે સત્ય સાથે જોડાશે. ભારતની છબી નબળી પાડવાના આવા પ્રયાસો સફળ થશે નહીં. અગાઉ પણ ભારત વિરુદ્ધ રિપોર્ટ જારી કરી ચૂક્યો છે આ પહેલીવાર નથી જ્યારે USCIRF એ ભારત વિરુદ્ધ આવો રિપોર્ટ જારી કર્યો હોય. અગાઉ 2024માં, તેણે ભારતમાં લઘુમતીઓ પરના હુમલાઓ અંગે એક અહેવાલ બહાર પાડ્યો હતો, જેને ભારત સરકારે નકારી કાઢ્યો હતો. આ ઉપરાંત, આ સંસ્થાએ છેલ્લાં ઘણાં વર્ષોમાં સમાન અહેવાલો જારી કર્યા છે.