ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય ક્રિકેટ ટીમને 23 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટી 20 શ્રેણી રમવાની છે અને તેના માટે ટીમની જાહેરાત પણ સોમવારે કરવામાં આવી હતી. આ શ્રેણી માટે સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી છે પરંતુ ચાહકો આને લઈને ખૂબ નારાજ દેખાઈ રહ્યા છે. ભારતનું વનડે વર્લ્ડ કપ અભિયાન હવે સમાપ્ત થઈ ગયું છે. ટીમની નજર હવે ઓસ્ટ્રેલિયા સામે 23 નવેમ્બરથી શરૂ થનારી પાંચ મેચની ટી-20 શ્રેણી પર છે. સોમવારે આ સિરીઝ માટેની ટીમની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ આ ટીમને લઈને હોબાળો શરૂ થયો છે.ભારતીય પ્રશંસકો અજીત અગરકરની આગેવાની હેઠળની વરિષ્ઠ પસંદગી સમિતિથી નારાજ જણાય છે. સમિતિએ આ શ્રેણી માટે ટી-20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે પસંદ કર્યા છે. બસ આ કારણે ફેન્સ ગુસ્સે થઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાની જાહેરાત થતાં જ અને સૂર્યકુમારના કેપ્ટન બનવાના સમાચાર આવતા જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. સંજુ સેમસનને પણ આ ટીમમાં પસંદ ન થતાં ચાહકો ગુસ્સે દેખાતા હતા. સંજુ સેમસનને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. આ પછી તે આયર્લેન્ડ પ્રવાસ પર પણ ગયો હતો, પરંતુ આ વખતે તેની ટીમમાં પસંદગી થઈ નથી. સંજુના ફેન્સ આને લઈને ખૂબ જ નારાજ દેખાઈ રહ્યા છે.
ઓસ્ટ્રેલિયા સામે T20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, સંજૂ સેમસન સહિતના 5 ખેલાડીઓને ના મળી તક
- Advertisement -
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાનાર પાંચ મેચની ટી-20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે. પસંદગીકારોએ 15 સભ્યોની ટીમ પ્રથમ ત્રણ મેચ માટે પસંદ કરી છે જ્યારે અંતિમ બે મેચમાં શ્રેયસ અય્યર પણ ટીમ સાથે વાઇસ કેપ્ટન તરીકે જોડાશે. સૂર્યકુમાર યાદવ આ ત્રણ મેચની ટી-20 સિરીઝમાં કેપ્ટન્સી કરવાનો છે. અમે અહીં તે ખેલાડીઓની વાત કરી રહ્યાં છીએ જેમણે ટી-20 સિરીઝમાં તક મળી નથી.
ઓસ્ટ્રેલિયા સામે ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ (વાઇસ કેપ્ટન), ઇશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિન્કૂ સિંહ, જિતેશ શર્મા (વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવબ દુબે, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, અવેશ ખાન, મુકેશ કુમાર