હરાજીમાં પ્લોટ ખરીદી માટે આવેલા ધારકોએ ટેન્ડર પરત લીધા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
શ્રાવણ મહિનો શરૂ થતાં હવે રાજ્યભરમાં મેળાની સીઝન જામી છે તેવામાં ઝાલાવાડ પંથકના લોકમેળા સૌથી ખ્યાતનામ ગણવામાં આવે છે પરંતુ આ વર્ષે લોકમેળા માટે જાહેર કરવામાં આવેલી નવી SOP (નિયમ) અંગે અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. જેમાં રાજકોટ ખાતે અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી સરકાર હવે કોઈપણ જાતની બાંધછોડ કરવા માંગતી નથી જેને લઇ આ વર્ષે નવા પ્રકારની SOP જાહેર કરાઈ હતી જે મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિવિધ લોકમેળા દરમિયાન કેટલાક નવા નિયમો ખાસ અમલ થાય તે અંગે તકેદારી રાખવા માટે જઘઙ બનાવી છે. જે નવા નિયમો સાથે સુરેન્દ્રનગર શહેરમાં લોકમેળાના પ્લોટની હરરાજી ગુરુવારે રાખવામાં આવી હતી દર વર્ષની માફક લોકમેળાના પ્લોટની ખરીદી માટે અનેક ધારકો દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા હતા
- Advertisement -
જે બાદ સયુંકત નગરપાલિકા તંત્ર દ્વારા સરકારના નિયમોના પાલન સાથે લોકમેળો થવાનું જણાવતા પ્લોટ ખરીદનાર તમામ ધારકોએ હિબાળો કરી ટેન્ડર પરત ખેચી તમામ ધારકો એક જૂટ થઈ મેળો સમગ્ર નિયમોનું પાલન કરવા જતાં મેળો અશક્ય હોવાનું જણાવી મેળો નહિ કરવા માટે નિર્ણય કરાયો હતો જોકે બાદમાં લોકમેળાના આયોજક સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા અધિકારીઓ સાથે વાતચીત બાદ કોઈ નિર્ણય લેવાનું આશ્વાસન આપતા મામલો ઠંડો પડ્યો હતો.