અરજદારને કચેરીમાં પ્રવેશ માટે ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે માત્ર સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચ કરવામાં આવે છે જ્યારે આ ગ્રંથમાં વપરાશ માટે સ્થાનિક પ્રશાસન દ્વારા પણ સ્વચ્છતા અંગેના ખર્ચ દર્શાવવામાં આવે છે.
- Advertisement -
પરંતુ સ્વચ્છતાની વાતો કરતા તંત્રની કચેરીઓ જ અસ્વચ્છ હોવાનું અનેક વખત સામે આવે છે જેથી તંત્ર પોતાની કચેરી જ સ્વચ્છ રાખી શકતું ન હોય તો પછી ગામ કે શહેરની જવાબદારી કઈ રીતે નિભાવી શકે તેવો પણ પ્રશ્ન વારંવાર ઉદભવ થતો હોય છે તેવામાં ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના તાબામાં આવતા ધ્રાંગધ્રાના 65 ગામોમાં સ્વચ્છતા અંગેની જવાબદારી પ્રથમ ગ્રામ પંચાયત અને ત્યાર બાદ તાલુકા પંચાયતની હોય છે આ તમામ ગામોમાં કચરો એકત્ર કરવા માટે વાહન પણ મૂકેલા છે જોકે આ વાહનો માત્ર શોભાના ગાઠિયા સમાન હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ અહી વાત તાલુકા પંચાયતની છે જેમાં તાલુકા પંચાયતના પ્રવેશ દ્વારા પર જ ગંદા પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. એક તરફ તાલુકા પંચાયતની બહાર રેતી કપચી અને મશીનોનો ગેરકાયદેસર ખડકલો કરાયો છે તો બીજી તરફ તાલુકા પાંચેયના પ્રવેશ દ્વારા પર ગંદા પાણીનો જવડો હોવાના લીધે અહી પોતાના કામ અર્થે આવતા અરજદારોને તાલુકા પાંચેયના જવું હોય તો પણ આ ગંદા પાણી પરથી ફરજિયાત પસાર થવું પડે છે. ત્યારે દરેક અઠવાડિયે અથવા પંદર દિવસે સ્વચ્છતા અભિયાનની વાતો કરતી તાલુકા પંચાયતની બહાર ગંદુ પાણી ફેલાયેલું હોય તેના પારઘી દર ગુરુવારે મોતિંગમાં આવતા તલાટી તથા તાલુકા વિકાસ અધિકારી પણ પસાર થાય છે ફરક માત્ર એટલો છે કે અધિકારી અને કર્મચારી પોતાના ગાડી અથવા દ્વિચક્રી વાહન પર આવતા હોવાથી તેઓને ગંદુ પાણી નડતર થતું નથી અને અરજદારો ચાલીને આવતા હોવાથી તેઓને આ પાણીમાંથી પસાર થવું પડે છે.
ત્યારે તાલુકા વિકાસ અધિકારી અને પંચાયત પ્રમુખના પતિને અરજદારોની આ મુશ્કેલી પણ નજરે પડતી નથી સાથે જ પોતાની ઓફિસમાં બેસીને સ્વચ્છતાની વાતો થતાં કચેરી નજીક ભરાતા ગંદા પાણીનો નિકાલ કરવાની જવાબદારી નિભાવવામાં પણ પદાધિકારી અને અધિકારી બંને અસમર્થ હોવાનું સામે આવ્યું છે.