માણસ પ્રકૃતિથી, એટલે કે પોતાની જાતથી એટલો દૂર ચાલ્યો ગયો છે કે તે પોતે એક જીવતું જાગતું કોસ્મિક પાવર હાઉસ છે તે વાતની તેને કોઈ અનુભૂતિ જ રહી નથી. અહી નીચે જણાવેલી વિગતો વાંચો, તે આયુર્વેદના તજજ્ઞો દ્વારા આપવામાં આવી છે. આ વર્ષે ઉનાળામાં ભયંકર ગરમી પડવાની છે ત્યારે બચવા માણસે આ જાણકારી તમારા માટે બહુ મોટી કુદરતી સહાય બની રહેશે. આ ઉપાયો અજમાવવાથી ત્રાહિમામ તાપમાં પણ તમે આહ્લાદક શીતળતા માણી શકશો. અલબત્ત તમારે ખાનપાન પર પણ ગંભીર લક્ષ્ય આપવું જ પડશે.
આયુર્વેદની તે વિગતો હું અહી નીચે મૂકી રહ્યો છું, તમારે જો ખરેખર જ ઉનાળાની 48 ડિગ્રી ગરમીમાં પણ શરીરમાં એસી જેવી ઠંડીનો અનુભવ કરવો હોય તો દસ દિવસ બન્ને ટાઈમ ફ્રૂટ ખાઓ, પ્રકૃતિની તાકાત સાથે ઔષધ વિજ્ઞાનની તાકાત ઉમેરી જુઓ. એક વાત જાણી લો અને યાદ રાખો, તમે સ્વયં વિજ્ઞાન છો, તમારું શરીર તો વિજ્ઞાનનું મૂર્ત રૂપ છે. હવે નીચેના ઉપાય પણ જાણી લો અને અમલમાં મૂકી જુઓ. આયુર્વેદ અનુસાર હાલ ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે. ચરક, વાગભટ્ટ વગેરે આયુર્વેદના ગ્રંથોમાં ઉનાળામાં સ્વસ્થ રહેવા, ઉનાળામાં થતી બિમારીઓથી બચવા તેમજ હિટવેવથી રક્ષણ મેળવવા ગ્રીષ્મ ઋતુચર્યા આપેલ છે. ગ્રીષ્મ ઋતુચર્યા એટલે ઉનાળામાં શું કરવું અને શું ન કરવું તેમજ જીવન શૈલીમાં જરૂરી પરિવર્તનોની માર્ગદર્શિકા. આયુર્વેદ તેને બે વિભાગમાં વહેંચે છે
- Advertisement -
ઉનાળામાં શું કરવું અને શું ન કરવું તેના વિવરણ સાથે જીવનશૈલીમાં જરૂરી પરિવર્તનોની માર્ગદર્શિકા
હટવેવથી બચવાના આયુર્વેદમાં સૂચવવામાં આવેલા અનુપમ ઉપાયો
આયુર્વેદ અનુસાર હાલ ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે. ચરક, વાગભટ્ટ વગેરે આયુર્વેદના ગ્રંથોમાં ઉનાળામાં સ્વસ્થ રહેવા, ઉનાળામાં થતી બિમારીઓથી બચવા તેમજ હિટવેવથી રક્ષણ મેળવવા ગ્રીષ્મ ઋતુચર્યા આપેલ છે. ગ્રીષ્મ ઋતુચર્યા એટલે ઉનાળામાં શું કરવું અને શું ન કરવું તેમજ જીવન શૈલીમાં જરૂરી પરિવર્તનોની માર્ગદર્શિકા. આયુર્વેદ તેને બે વિભાગમાં વહેંચે છે. ખાન-પાનના પરિવર્તનો અને તે મુજબના જીવનશૈલીગત ફેરફારો
ખાન-પાનના સંબંધી સલાહ-સૂચનો
- Advertisement -
તરસ અનુસાર કુદરતી ઠંડુ થયેલ પાણી પીવું
ફ્રિજનું ઠંડુ પાણી ન પીવું
માટલાંના ઠંડા પાણીમાં થોડી સાકર કે મધ ઉમેરી પીવું
માટલાંમાં સુગંધીવાળાની પોટલી મૂકવી
ભુખ કરતાં ઓછો, પચવામાં હળવો ખોરાક લેવો
આયુર્વેદ અનુસાર ભોજનમાં પ્રવાહી ખોરાક વધુ લેવો
વિવિધ ખાટા ફળોના શરબતો સાકર અને મધ ઉમેરી લેવા (બરફ ન ઉમેરવો)
સાકરટેટી, દ્રાક્ષ, ફાલસા, કેરી, સંતરા, દાડમ વગેરે ઋતુપ્રમાણેના ફળો લેવા
પચવામાં સરળ હોય તેવા દૂધી, સરગવો, ગલકા, તુરીયા, ટીંડોળા, કારેલા જેવા શાક લેવા
બજારુ પેકિંગ કરેલ ફ્રૂટના જ્યુસ ન લેવા
ઘરે બનાવેલ તાજો શ્રીખંડ લઈ શકાય
નાળિયેર પાણી, મધ અને પાણી, વરિયાળી કે ધાણા નાખીને બનાવેલ પાણી પીવું
ખાટા, તીખા, તળેલા, ખારા સ્વાદવાળા ખોરાક ન લેવા
રાઈ, મરચું, મરી, લસણ, ગોળ, રીંગણ તથા ગરમ મસાલાવાળા ખોરાક ન લેવા
ઉનાળાની 48 ડિગ્રી ગરમીમાં શરીરમાં એસી જેવી ઠંડીનો અનુભવ કરવા આ ઉપાયો સાથે એક વખત ફક્ત દસ દિવસ બન્ને ટાઈમ ફ્રૂટ ખાઓ
જીવન શૈલીમાં શું ફેરફાર કરશો?
- તડકો, ગરમ પવન થી દૂર રહેવું
- બપોરે કુદરતી ઠંડા વાતાવરણમાં રહેવું
- રાત્રે અગાસી કે ધાબા પર સૂવું
- ખાસ કરીને સુતરાઉ અને સફેદ રંગના વસ્ત્રો પહેરવા
- તડકામાં નીકળો ત્યારે માથું અને હાથ-પગ વગેરે ખુલ્લા અવયવો ભીના કપડાંથી ઢાંકીને નીકળવું
- તડકામાંથી તાત્કાલિક ઠંડકવાળા વાતાવરણમાં જવું નહીં, હાથ-પગ-મોં ધોવા નહીં
- તડકામાંથી આવીને તાત્કાલિક પાણી પીવું નહીં
- સવારે કેસૂડાના ફૂલ નાખેલ પાણીથી નહાવું
- કસરત (ખાસ કરીને વેઇટ-લિફ્ટિંગ) ન કરવી
- હળવા અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા
- ઉનાળામાં દિવસે થોડો સમય (15 થી 30 મિનિટ) સુવાની છૂટ છે.
કાચી કેરીનો બાફલો
લીંબુ પાનક
ગુલકંદ
ગુલાબ શરબત
ખર્જુરાદિ મંથ
ગુડુચી હિમ
ધાન્યક હિમ
પરુષક પાનક
શર્કરાદિ મંથ
જેઠીમધની ફાંટ
મુસ્તાદી પ્રમથ્યા
ચિંચા પાનક
આયુર્વેદ માન્ય ઉનાળામાં લેવા લાયક કેટલાક યોગ
કાચી કેરીનો બાફલો
કાચી કેરી 100ગ્રામ
જીરૂ 10 ગ્રામ
સંચળ 5 ગ્રામ
મરી 5 ગ્રામ
સાકર 50 ગ્રામ છાલ ઉતારેલી કાચી કેરીને બાફી 250ગ્રામ પાણીમાં વલોવવી તેમાં બાકીના મસાલા ઉમેરવા.
માત્રા: 250
લીંબુ પાનક
લીંબુ 1 નંગ
સાકર 10 ગ્રામ
પાણી 250 ગ્રામ
સૈંધવ 05 ગ્રામ
સંચળ 02 ગ્રામ શરબત વિધિ પ્રમાણે બનાવવું
માત્રા: 250 ખક
ગુલકંદ
ગુલાબની તાજી પાંખડી 100 ગ્રામ
સાકર 200 ગ્રામ કાચની બરણીમાં ગુલાબની તાજી પાંખડીનું એક પડ – સાકરનું એક પડ એમ
વારાફરતી પડ બનાવી સૂર્યપ્રકાશમાં 7 દિવસ રાખવું. બરણીનું મોં સુતરાઉ કપડાથી ઢાંકવું
માત્રા: 10-20 ગ્રામ
તો કરી દો શરૂ આ અદ્દભૂત ઉપાયો અને ઉનાળાની કાળજાળ ગરમીમાં પણ ઠંડા ઠંડા કુલ કુલ રહો
ગુલાબ શરબત
ગુલાબના ફૂલ 30 નંગ
તુલસીના પાન 20 નંગ
ફુદીનાના પાન 20 નંગ
લીલા ધાણા 01 ચમચો
ઈલાયચી 05 નંગ
સાકર 600 ગ્રામ
પાણી 01 લિટર શરબત વિધિ પ્રમાણે બનાવવું
માત્રા: 250 ખક
ખર્જુરાદિ મંથ
ખજૂર 50 ગ્રામ
દાડમના દાણા 50ગ્રામ
દ્રાક્ષ 50 ગ્રામ
આમલી 50 ગ્રામ
ફાલસા 50 ગ્રામ
પાણી 1.2 લિટર પાણી સિવાયના દ્રવયોને સારી રીતે પીસીને માટીના વાસણમાં પાણી ઉમેરી વલોવી લેવું અને ગાળીને પીવું
માત્રા: 100 ળહ
ગુડુચી હિમ
ગળો 50 ગ્રામ
પાણી 300 ગ્રામ ગળોને કુટીને પાણી ભરેલા માટીના વાસણમાં આખી રાત રાખવી અને સવારે ગાળીને પીવું
માત્રા: 20 ખક
ધાન્યક હિમ
સૂકા ધાણાં 50 ગ્રામ
પાણી 300 ગ્રામ સૂકા ધાણાં કુટીને પાણી ભરેલા માટીના વાસણમાં આખી રાત રાખવી અને સવારે ગાળીને સાકર ઉમેરી પીવું
માત્રા: 20 ખક
પરુષક પાનક
ફાલસા 100 ગ્રામ
જીરૂ 10 ગ્રામ
સંચળ 5 ગ્રામ
ઈલાયચી 5 ગ્રામ
સાકર 50 ગ્રામ ફલસાને 250 ગ્રામ પાણીમાં 3-4 કલાક પલાળી, મસળી ગળી તેમાં બાકીના મસાલા ઉમેરવા.
માત્રા: 250 ખક
શર્કરાદિ મંથ
સાકર 5 ગ્રામ
લીંડી પીપર 5 ગ્રામ
તલનું તેલ 5 ગ્રામ
ગાયનું ઘી 5 ગ્રામ
મધ 5 ગ્રામ
જવનો સાથવો 50 ગ્રામ સાકર અને લીંડી પીપરને ઘી+તેલમાં મસળી મધ મેળવી તેમાં જવનો સાથવો ઉમેરી 250 ગ્રામ પાણીમાં વલોવી – ગાળીને પીવો
માત્રા: 250 ળહ
જેઠીમધની ફાંટ
જેઠીમધ 100 ગ્રામ
પાણી 400 ળહ જેઠીમધને અધકચરી કુટીને ગરમ પાણીમાં ઉમેરી ઢાંકીને રાખવી, ઠંડુ થાય ત્યારે મસળી-ગાળીને પીવું
માત્રા: 20 ળહ
મુસ્તાદી પ્રમથ્યા
મોથ 25 ગ્રામ
ઇન્દ્રજવ 25 ગ્રામ
પાણી 400 ગ્રામ મોથ અને ઇન્દ્રજવના અધકચરા ખાંડી પાણીમાં ઉકાળી અડધું પાણી બાકી રહે ત્યારે ગાળીને પીવું માત્રા:20 ળહ
ચિંચા પાનક
આમલી 50 ગ્રામ
સાકર 100 ગ્રામ
સંચળ 5 ગ્રામ
જીરું 5 ગ્રામ
મરી 2 ગ્રામ
પાણી 200 ગ્રામ આમલીને આખી રાત પાણીમાં પલાળી સવારે મસળી-ગાળી ખાંડ અને બાકીના દ્રવ્યો ઉમેરી પીવું
માત્રા: 50 ળહ