ગુનેગારો માટે ઝીરો ટોલરન્સ અને સામાન્ય નાગરિક માટે ત્વરિત ન્યાય : હર્ષ સંઘવી
ડ્રગ્સ નેટવર્ક તોડવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (અગઝઋ)ના 6 ઝોન કાર્યરત કરાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગુજરાત વિધાનસભામાં ગૃહ, જેલ, કાયદા અને ન્યાય વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો ધારદાર જવાબ આપતા રાજ્યની સુરક્ષા અને સુશાસન અંગે સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે વિપક્ષના પાયાવિહોણા આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા વિભાગોની સિદ્ધિઓના આંકડા રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિકાસની ઈમારત હંમેશા કાયદો અને વ્યવસ્થાના મજબૂત પાયા પર જ ઊભી રહી શકે છે.
આ અંદાજપત્રમાં ગૃહ વિભાગ માટે રૂ.14,265 કરોડ અને કાયદા-ન્યાયતંત્ર માટે રૂ.2,702 કરોડ મળી કુલ રૂ.16,967 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. આ ફાળવણી ગુજરાતના નાગરિકોના નિર્ભય જીવન અને મહિલાઓના સન્માનનો જીવંત દસ્તાવેજ છે. “ગૃહ વિભાગ એ ગુજરાતની ઢાલ છે, જ્યારે ન્યાયતંત્ર એ રાજદંડ છે.” સરકારનો મંત્ર સ્પષ્ટ છે: ગુનેગારો માટે ઝીરો ટોલરન્સ અને સામાન્ય નાગરિક માટે ત્વરિત ન્યાય.
રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને છ મુખ્ય સ્તંભો દ્વારા વધુ આધુનિક અને સુદ્રઢ બનાવવામાં આવી રહી છે. આ વ્યૂહરચના હેઠળ બોર્ડર, કોસ્ટલ અને સાઇબર સિક્યુરીટીને પ્રાધાન્ય આપી પાકિસ્તાન સાથેની 512 કિમીની આંતરરાષ્ટ્રીય સીમા અને 2300 કિમી લાંબા દરિયાકિનારે અત્યાધુનિક સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરાશે. હાઇ-ટેક ઇન્ફ્રાસ્ટ્રકચર અને હ્યુમન રીર્સોસ અંતર્ગત પોલીસ પરિવારો માટે નવા આવાસોનું નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. બીજા તબક્કામાં ટેકનોલોજી અને ઝડપી ન્યાય પ્રણાલી પર ભાર મુકતા ’ડાયલ 112 જન રક્ષક’ પ્રોજેક્ટથી પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટીને માત્ર 11 મિનિટ 23 સેક્ધડ થયો છે. ફાસ્ટ-ટ્રેક પોક્સો કોર્ટોની સ્થાપના અને લોક અદાલતો દ્વારા 1 કરોડથી વધુ કેસોના નિકાલ સાથે ન્યાયિક પ્રક્રિયાને વેગ અપાયો છે. વિશ્વાસ પ્રોજેક્ટ અને આધુનિક શસ્ત્રોથી પોલીસ દળને સજ્જ કરવામાં આવ્યું છે. આમ, આ છ સ્તંભોના સમન્વયથી ગુજરાત દેશનું સુરક્ષા કવચ બની ’નવા ભારતના સપના’ને સાકાર કરી રહ્યું છે.
ગુજરાત પોલીસે અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વર્ષ 2023 થી 2026 સુધીમાં ગુજરાત એટીએસ (અઝજ) એ દેશવિરોધી ષડયંત્રોનો પર્દાફાશ કરી કુલ 29 જેટલા કટ્ટરપંથીઓ અને આતંકીઓની ધરપકડ કરી છે. જેમાં અલ-કાયદાનું ફંડિંગ નેટવર્ક, પોરબંદર-સુરતનું ઈંજઊંઙ મોડ્યુલ અને શ્રીલંકન આતંકીઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને, અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનાર આતંકીને હરિયાણાથી જીવતા ગ્રેનેડ સાથે પકડી પાડી ગુજરાત પોલીસે પોતાની એલર્ટનેસ સાબિત કરી છે. આ જ અઝજ દ્વારા જાન્યુઆરી-2026 માં જૈશ-એ-મોહમ્મદની વિચારધારા ધરાવતા શખ્સની ધરપકડ કરી ટાર્ગેટેડ કિલિંગનું કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે.
છેલ્લા ત્રણ વર્ષમાં અલ-કાયદા અને ISKPના 29 આતંકીઓને ગુજરાત ATSએ દબોચી લીધા
- Advertisement -
ગુજરાતમાં નાના બાળકો ડ્રગ્સના રવાડે ચડ્યા હોવાના ખોટા આક્ષેપોનો જવાબ આપતા સંઘવીએ કહ્યું કે, રાજકીય ટીકાના ઉન્માદમાં ગુજરાતને બદનામ કરવાનું બંધ કરો. સાત વર્ષના બાળકો ડ્રગ્સના રવાડે ચડ્યા છે તે પ્રકારના નિવેદન વિપક્ષે સમજી વિચારીને આપવું જોઈએ. આ મુદ્દે રાજકારણ કરવું ન જોઈએ તે આપણી સામાજિક જવાબદારી છે. આવી નિવેદનબાજી ગુજરાત રાજ્યને બદનામ કરવાનું ષડયંત્ર છે. અત્યાર સુધીમાં ગઉઙજ એક્ટ હેઠળ રૂ.14 હજાર કરોડથી વધુ કિંમતનું 1 લાખ કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જેમાં 4316 ડ્રગ્સ માફિયા અને પેડલરોને જેલ ભેગા કરવામા આવ્યા છે. ડ્રગ્સ નેટવર્ક તોડવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (અગઝઋ)ના 6 ઝોન કાર્યરત કરાયા છે. દીકરીઓની સુરક્ષા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે.
પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં ઝડપી તપાસ અને કડક સજા અપાવવાની દિશામાં ગુજરાત પોલીસે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. વર્ષ 2022 થી 2026 દરમિયાન 286 કેસોમાં માત્ર 15 દિવસની અંદર અને 1,295 કેસોમાં 15 થી 30 દિવસના ટૂંકા ગાળામાં તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કુલ 1,439 કેસોમાં કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે, જેમાં 907 અપરાધીઓને આજીવન કેદ અને 14 નરાધમોને ફાંસીની સજા અપાવી ગુજરાત પોલીસ દેશમાં ન્યાયનું ઉત્કૃષ્ટ રોલ મોડલ બન્યું છે.



