25,000થી વધુ કડવા પાટીદાર પરિવાર માટે શુભ મંગલ પાર્ટી લોન્સ ખાતે બેનમૂન આયોજન
હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિ અલ્પાબેન પટેલ સહિતના કલાકારો રમઝટ બોલાવશે
- Advertisement -
ગણતરીની મિનિટોમાં જ 30,000 લોકોને દૂધ પૌંઆની પ્રસાદી મળી રહે તેવી વ્યવસ્થા
ઉમા ડાયગ્નોસ્ટિક સેન્ટર ના માધ્યમથી રાહતદરે નિદાન તથા
રીપોર્ટની સહાય પુરી પાડવા રાજકોટના વિવિધ વિસ્તારોમાં બ્રાન્ચ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
રાજકોટની સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગૃપ દ્વારા શરદપુનમની રઢીયાળી રાતે તા. 17 ને ગુરૂવારે 20મો શરદોત્સવ યોજાશે. જેમાં પારીવારીક સાંસ્કૃતીક તેમજ હાસ્યરસના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ છે. શરદોત્સવના આ કાર્યક્રમમાં રંગ કસુંબલ ડાયરાની સાથોસાથ રકતદાન કેમ્પ પણ યોજાશે.
- Advertisement -
રાજકોટના નવા 150 ફુટ રીંગ રોડ પર શુભમંગલ પાર્ટી લોન્સ ખાતે તા. 17 ઓકટોમ્બર ગુરૂવાર રાત્રીના સાડા આઠ કલાકે યોજાનારા શરદોત્સવમાં રાજકોટમાં વસતા અંદાજે 25,000 કડવા પાટીદાર પરિવારો એકસાથે બેસીને દુધપીવા તેમજ સાંસ્કૃતીક કાર્યક્રમ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે બાનલેબ ના મૌલેશભાઈ ઉકાણી દિપ પ્રાગટ્ય ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ નંદલાલભાઈ માંડવીયા, સાંસદસભ્ય પરસોતમભાઈ રૂપાલા, ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, હાઈ બોન્ડ ના મનસુખભાઈ પાણ, વલ્લભભાઈ વડાલીયા, બિલ્ડર જીવનભાઈ ગોવાણી, ગોપાલ સ્નેક્સ ના બીપીનભાઈ હદવાણી, વસંત ડેવલોપર્સના મુળજીભાઈ ભીમાણી, સનફોર્જના નાથાભાઈ કાલરીયા, રેપ્યુટ પોલીમર્સના કે.બી.વાછાણી, ઉમિયા ચા ના દિનેશભાઈ સાણંદિયા, દાવત બેવરેજીસના ચંદુભાઈ ખાનપરા ના હસ્તે થશે. શરદોત્સવના આ કાર્યક્રમમાં ફીલ્ડમાર્શલ બ્લડબેંક, જીવનદિપ બ્લડ બેંક તથા રાજકોટ વોલેન્ટરી બ્લડબેંકના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરાયુ છે.
ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપ દ્વારા છેલ્લા 21 વર્ષથી કડવા પાટીદાર સમાજ ના ઉત્કર્ષ માટે સંપ-સેવા અને સહકારની ભાવનાથી વિવિધ પ્રવૃતી કરતી ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપના પ્રમુખ અશોકભાઈ દલસાણિયા, ઉપપ્રમુખ હરીભાઈ કલોલા, મંત્રી સુરેશભાઈ વડાલીયા, ખજાનચી ગોરધનભાઈ કણસાગરા તેમજ ટ્રસ્ટી મહેશભાઈ ભુવા, પ્રવિણભાઈ જીવાણી, ચંદુભાઈ કાલાવડીયા, મનસુખભાઈ ભાલોડિયા, એ જણાવ્યુ છે કે કડવા પાટીદાર સમાજ માટે તા. 17 ઓકટોમ્બર ગુરૂવારે યોજાનારા 20 માં શરદોત્સવ માટે કોઈપણ જાતના પાસ કે ટીકીટ વિના પાર્ટીદાર પરિવારો સામુહીક રીતે શરદોત્સવની ઉજવણી કરે તેવુ આયોજન કરાયુ છે. આ શરદોત્સવના કાર્યક્રમમાં શ્રીમતી અલ્પાબેન પટેલ એન્ડ પાર્ટી તથા હાસ્ય કલાકાર કમલેશભાઈ પ્રજાપતિ દ્વારા સાંસ્કૃતીક તેમજ હાસ્યરસ ની રંગત જામશે. અંદાજે 30,000થી વધુ જન મેદનીને ગણતરીની મીનીટોમાં દુધ પીવાની પ્રસાદી સ્થળ પર જ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઉમીયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટના કારોબારી સભ્યો સી.એન. જાવીયા, જેન્તીભાઈ મારડીયા, હસમુખ કાનાણી, રસિકભાઈ વેકરીયા, જયેન્દ્ર ઝારસાણીયા, પારસ માકડીયા, નયન વાછાણી, નિલેશ શેખાત, જી.સી.પટેલ, રેનીશ શોભાણા, રમેશભાઈ કણસાગરા, જયેશ પેશીવાડીયા, અમુભાઈ કણસાગરા, મગન કોરડીયા, કેનત ભુત, જયેશભાઈ કણસાગરા, કેયુર કણસાગરા, નટવર મકવાણા, સન્ની ખાંટ, પ્રવિણ કગથરા, ભગવાનજીભાઈ કાનાણી, હિમાંશુ વડાલીયા, મનસુખ ભેંસદડીયા, પ્રકાશ ઘેટીયા, મહેન્દ્રભાઈ કાસુનદ્રા, અશ્વિનકુમાર કાલરીયા, પ્રવિણભાઈ મણવર, પંકજ ફુલતરીયા, નાગજીભાઈ ડઢાણીયા, યોગેશ કાલરીયા, કીરીટ બુટાણી, પિયુષ કાલાવડીયા, દિલીપ કંટારીયા, કલ્પેશ અઘેરા, રસીકભાઈ દલાસાણીયા, કે.વી.પબાણી, પરીન દલસાણીયા, રાજુભાઈ મણવર, અલ્પેશ વડાલીયા, વૃજલાલ નાદપરા, પિયુષ સીતાપરા, ચતુરભાઈ ભીમાણી, જેન્તીભાઈ ગોઠી, ધવલ વડાલીયા, હરસુખભાઈ ચાંગેલા, ચંદુભાઈ ગોવાણી, ભરત દેપાણી, સંજય કટારીયા, અતુલ ધીંગાણી, ચંદ્રેશ સવસાણી, સંજય ખીરસરીયા, અર્જુન બરોચીયા, જીગ્નેશ વિરોજા, વિપુલ વડાલીયા, રાજેશ કાનાણી, સાવન અઘેરા, રવિ વડાલીયા, જીતેન્દ્ર ડઢાણીયા, નિરજ ઉકાણી, દિલીપ માકડીયા, પ્રવિણ વાછાણી, નિતીન કાનાણી, અતુલ કણસાગરા, નયન ગોવાણી, મગન વાછાણી, જગદીશ વાછાણી, દિપક કાલરીયા, રતિલાલ ફળદુ, ચંદુભાઈ લાડાણી, મૌલીક ભેંસદડીયા, વિનોદ લાલકીયા, ઇશ્વર કાલરીયા, ધાર્મિક ગોઠી, ખંજન દલસાણીયા જહેમત ઉઠાવી રહ્યા છે.