“મને ATS અને CBI પર વિશ્વાસ છે, પણ મધ્યપ્રદેશ ક્રાઈમ બ્રાન્ચે એવું શું કર્યું કે મારું નામ આમાં આવી ગયું?” ઉમા ભારતીએ કહ્યું.
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ વ્યાપમ કૌભાંડમાં પોતાનું નામ કેવી રીતે સંડોવાયું તે અંગે CBI તપાસની માગ કરી છે. તેમણે મધ્ય પ્રદેશ પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા છે. રાજધાની ભોપાલમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ‘કમ સે કમ CBI એટલી તપાસ તો કરે કે, આ વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે આવ્યું. હું આજ સુધી એ સમજી નથી શકી કે મારું નામ કેવી રીતે આવ્યું.’
- Advertisement -
CBIની ઈમાનદારી પર મને પૂર્ણ વિશ્વાસ
તેમણે કહ્યું કે, ‘હું ઈચ્છું છું કે, CBI આ સત્યની તપાસ કરે કે મારું નામ કેવી રીતે આવ્યું. CBIની ઈમાનદારી પર મને પૂર્ણ વિશ્વાસ છે પરંતુ મધ્ય પ્રદેશ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ કારનામું કેવી રીતે કર્યું તે એક મોટો સવાલ છે.’
મારું નામ શા માટે આગળ કરવામાં આવ્યું
- Advertisement -
ઉમા ભારતીએ આગળ કહ્યું કે, ‘શું મારા નામની આડમાં ઘણા નામ છોડી દેવામાં આવ્યા હતા? મારું નામ શા માટે આગળ કરવામાં આવ્યું તે જાણવું ખૂબ જ જરૂરી છે. હું સૌથી વધુ દુ:ખી મારી માતાના નિધન પર થઈ હતી અને ત્યારબાદ વ્યાપમ કૌભાંડમાં મારું નામ આવવા પર મને સૌથી વધુ દુ:ખ થયું. તે વખતે મારી આંખમાં પાણી આવી ગયા હતા.’