યુક્રેને 5 એરબેઝ પર એરસ્ટ્રાઇક કરી હોવાનું રશિયાએ સ્વીકાર્યું: ઘણાં વિમાનો નાશ પામ્યાં
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.02
- Advertisement -
રશિયન સંરક્ષણ મંત્રાલયે રવિવારે પુષ્ટિ આપી હતી કે યુક્રેન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાઓમાં દેશભરમાં પાંચ લશ્કરી એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં અનેક વિમાનોને નુકસાન થયું હતું. જોકે નુકસાન પામેલાં વિમાનનો ચોક્કસ આંકડો આપવામાં આવ્યો નથી.
પોતાના નિવેદનમાં રશિયન સંરક્ષણ મંત્રાલયે યુક્રેન પર મુર્મન્સ્ક, ઇર્કુત્સ્ક, ઇવાનોવો, રિયાઝાન અને અમુર પ્રદેશોમાં સ્થિત એરપોર્ટ પર ઋઙટ (ફર્સ્ટ પર્સન વ્યૂ) ડ્રોનનો ઉપયોગ કરીને આતંકવાદી હુમલા કરવાનો આરોપ મૂક્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ઇવાનોવો, રિયાઝાન અને અમુર પ્રદેશોમાં લશ્કરી એરબેઝ પરના તમામ આતંકવાદી હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.
પહેલીવાર સત્તાવાર રીતે પુષ્ટિ મળી છે કે એરબેઝની ખૂબ નજીક કેટલાક ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુર્મન્સ્ક પ્રદેશમાં ઓલેનોગોર્સ્ક એરબેઝ અને ઇર્કુત્સ્ક (સાઇબિરિયા)માં સ્રેડની એરબેઝને નજીકના વિસ્તારોમાંથી ટ્રેલર ટ્રકની મદદથી છોડવામાં આવેલાં ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા.
રશિયન મીડિયા અને યુદ્ધ સમર્થકોએ એને રશિયા માટે ‘એવિએશનનો સૌથી કાળો દિવસ’ ગણાવ્યો અને પરમાણુ હુમલો કરવા માટે પુટિનને હાકલ કરી છે. ડ્રોનને ટ્રકોમાં ક્ધટેનર દ્વારા રશિયાની અંદર લાવવામાં આવ્યાં હતાં. એક ટ્રક મુરમાન્સ્કના ઓલેનેગોર્સ્કમાં એક પેટ્રોલ પંપ પર રોકાઈ હતી, જ્યાંથી ડ્રોન ઊડીને એરબેઝ તરફ ગયાં હતાં. આ ડ્રોન એફપીવી ટેક્નોલોજીથી સજ્જ હતાં અને સેટેલાઇટ દ્વારા નિયંત્રિત હતાં. રશિયાના બેલાયા એરબેઝ સહિત ઘણાં એરફિલ્ડ્સ પર 40 લશ્કરી વિમાનને નિશાન બનાવાયાં હતાં. યુક્રેને રવિવારે દાવો કર્યો હતો કે તેણે 41 રશિયન ફાઇટર જેટનો નાશ કર્યો છે. યુક્રેનિયન વેબસાઇટ કિવ ઇન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, યુક્રેને મુર્મન્સ્કમાં ઓલેન્યા એરબેઝ, ઇર્કુત્સ્કમાં બેલાયા એરબેઝ, ઇવાનોવોમાં ઇવાનોવો એરબેઝ અને રશિયામાં ડાયાઘિલેવો એરબેઝને નિશાન બનાવ્યા હતા.
- Advertisement -
રશિયાનું બેલાયા એરબેઝ યુક્રેનિયન સરહદથી 4 હજાર કિમીથી વધુ દૂર છે. તે રશિયાના સાઇબેરિયા ક્ષેત્રમાં સ્થિત છે. રિપોર્ટ અનુસાર, યુક્રેનિયન સુરક્ષા એજન્સી (જઇઞ) એ આ હુમલો કર્યો હતો, જેમાં ઋઙટ (ફર્સ્ટ-પર્સન-વ્યૂ) ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમાં અ-50, ઝઞ-95 અને ઝઞ-22 જેવા વ્યૂહાત્મક બોમ્બર્સને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.
જઇઞના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે સ્વ-બચાવમાં હુમલો કર્યો હતો, કારણ કે રશિયન વિમાનો વારંવાર યુક્રેનિયન શહેરો પર બોમ્બ ફેંકતાં હોય છે. રશિયાએ આ હુમલાની પુષ્ટિ કરી છે. પ્રારંભિક અંદાજ મુજબ, નુકસાનની કિંમત 2 અબજ યુએસ ડોલર (રૂ. 17 હજાર કરોડથી વધુ) સુધી પહોંચી શકે છે.
જો રશિયા બંધ નહીં કરે તો અમે વધુ હુમલો કરીશું : યુક્રેન
યુક્રેનનું કહેવું છે કે તેણે રશિયાના બોમ્બમારા રોકવા માટે આ હુમલો કર્યો હતો, કારણ કે રશિયન વિમાનો લગભગ દરરોજ રાત્રે યુક્રેનિયન શહેરો પર હુમલો કરે છે. યુક્રેનને આશા છે કે આ હુમલો રશિયાની શક્તિને આંચકો આપશે.
આ હુમલા અંગે રશિયા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, તેથી કેટલીક માહિતી બદલાઈ શકે છે, પરંતુ જો યુક્રેનનો દાવો સાચો હોય તો આ રશિયન વાયુસેના પર અત્યારસુધીનો સૌથી મોટો હુમલો છે. યુક્રેને એમ પણ કહ્યું છે કે તેના ડ્રોન મિશન ચાલુ રહેશે. ઓલેન્યા એરબેઝ રશિયાના મુર્મન્સ્ક ક્ષેત્રમાં છે. ત્યાંના ગવર્નરે કહ્યું હતું કે દુશ્મન ડ્રોને હુમલો કર્યો હતો, પરંતુ તેમણે પણ વધુ વિગતો શેર કરી ન હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
, જેમાં એક ઋઙટ ડ્રોન ટ્રકમાંથી ઊડતો જોઈ શકાય છે.