ગૌતમગઢ નજીક નદીમાં ન્હાવા પડેલા બંને ભાઇઓના મૃતદેહ મળ્યાં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાના ગૌતમગઢ નજીક ભોગાવો નદીમાં નહાવા પડેલા બે સગા ભાઈઓનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. મૃતક બાળકોની ઓળખ કિશોરસિંહ જાડેજા અને અજયરાજસિંહ પરમાર તરીકે થઈ છે. બંને ભાઈઓ નદીમાં નહાવા પડ્યા હતા. નદીના પાણીમાં ડૂબી જતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે બે થી ત્રણ કલાકની જહેમત બાદ બંને ભાઈઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. પરિવારજનોના રૂદન અને આક્રંદથી સમગ્ર વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુળી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. આ ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ બની રહી છે.