રવિ પ્રકાશનના સંચાલક ચિરાગ કક્કડની દાદાગીરી પછી ટ્રસ્ટે વ્યવહારુ ઉકેલ કાઢ્યો
વિદ્યાલયનું બિલ્ડિંગ તોડી પડાશે તો રામકૃષ્ણ આશ્રમ, યાજ્ઞિક રોડ પર ટ્રાફિકની સમસ્યા હળવી થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં અનેક વખત મિલકતને લઈને વિવાદ સામે આવતા હોય છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં રવિ પ્રકાશન અને દશા સોરઠિયા વણિક બોર્ડિંગ ટ્રસ્ટ વચ્ચેનો વિવાદ વકર્યો છે અને આ ડૉ. યાજ્ઞિક રોડ પર આવેલી કિંમતી મિલકત પ્રકરણમાં નવો વળાંક સામે આવ્યો છે. શેઠ અમરચંદ માધવજી દ્વારા સોરઠિયા વણિક વિદ્યાલયના ટ્રસ્ટીએ જ 62 વર્ષ જૂની દશા સોરઠિયા વણિક વિદ્યાલયનો રોડ પરનો ભાગ તોડી પાડવા મ્યુ. કમિશનરને રજૂઆત કરી છે.
શેઠ અમરચંદ માધવજી દશા સોરઠિયા વણિક વિદ્યાલયના ટ્રસ્ટીએ મ્યુ. કમિશનરને રજૂઆત કરતાં જણાવ્યું છે કે ડૉ. યાજ્ઞિક રોડ પર અમારી ઉપરોક્ત સંસ્થા આવેલી છે જેમાં આગળના ભાગમાં દુકાનો તથા ઓફીસો આવેલી છે. આ સંસ્થાનો ઉદ્દેશ વિદ્યાર્થી તથા વિદ્યાર્થીને રહેવા તથા અન્ય સગવડો ઉચ્ચ અભ્યાસ માટે કાર્યરત છે.
સંસ્થાની બહારના ભાગમાં આવેલી દુકાન તથા ઓફીસોનું બિલ્ડિંગ ઘણા વરસ પહેલા બાંધકામ થયેલુ તેમજ તેમાં દુકાનો તથા ઓફીસો દ્વારા ગેરકાયદેસર રીતે અવારનવાર તોડફોડ કરી બાંધકામ કરેલું છે. આથી આ બિલ્ડિંગ ઘણું જ જર્જરિત તથા બાંધકામ નબળુ પડી ગયું છે.
બિલ્ડિંગ અગાઉના ભાગમાંથી યાજ્ઞિક રોડ પસાર થાય છે જેમાં વચ્ચે ડીવાઈડર પાડેલુ હોવાથી એક સાઈડમાં રોડ ઘણો જ નાનો થઈ જાય છે તેમજ આડેધડ પાર્કિંગ થયેલુ હોવાથી નાના મોટા અકસ્માત થયા કરે છે. જર્જરિત બાંધકામ ગમે ત્યારે પડી જાય તો સીધુ રોડ ઉપર આવે તેમ છે તેમજ જાનહાનિ થઈ શકે તેમ હોવાથી આ અંગે યોગ્ય પગલાં લેવા માંગ કરવામાં આવી છે.
આમ રવિ પ્રકાશનના સંચાલક ચિરાગ કક્કડની દાદાગીરી પછી ટ્રસ્ટે વ્યવહારુ ઉકેલ કાઢ્યો અને આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી ફરિયાદ ખુદ ટ્રસ્ટીએ કરી હતી. જો કે વિદ્યાલયનું બિલ્ડિંગ તોડી પડાશે તો રામકૃષ્ણ આશ્રમ અને યાજ્ઞિક રોડ પર ટ્રાફિકની સમસ્યા હળવી થશે જેના કારણે વાહનચાલકોને પણ રાહત અનુભવાશે અને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળશે.
- Advertisement -
રવિ પ્રકાશનના સંચાલકની ખુલ્લી દાદાગીરી: ગેરકાયદે બાંધકામ કરતાં વિવાદ સર્જાયો હતો
રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી સંસ્થા દશા સોરઠિયા વણિક બોર્ડિંગમાં રવિ પ્રકાશનના સંચાલક અને આ ઈમારતના ભાડુઆત ચિરાગ કક્કડે ટ્રસ્ટને કોઈ જ જાણ કર્યા વગર કે મંજૂરી લીધા વિના અંદરની બાજુએ બાંધકામ શરૂ કરી દીધું હતું, જે બાબતે અગાઉ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ચિરાગ કક્કડ વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ થયું હતું અને ચિરાગ કક્કડે ખોટી રીતે દાદાગીરી કરી હતી અને કહ્યું કે બાંધકામ ચાલુ જ રહેશે. આમ દાદાગીરી કરતાં ટ્રસ્ટીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. આમ આ મામલામાં અમરચંદ માધવજી ટ્રસ્ટના ટ્રસ્ટીએ જ આ બિલ્ડિંગ જર્જરિત હોવાની અને આ અંગે યોગ્ય ઉકેલ લાવવાની રજૂઆત કરી છે. આમ રવિ પ્રકાશન જે ઈમારતમાં ધમધમે છે તે ઈમારત અને જમીન દશા સોરઠિયા વણિક બોર્ડિંગની માલીકીનું છે અને રવિ પ્રકાશન અમરચંદ માધવજી શેઠ ટ્રસ્ટ પાસેથી ભાડા ચિઠ્ઠી પર લેવાયેલી દુકાનમાં ચાલી રહી છે જે ભાડા ચિઠ્ઠી જયેશભાઈ કક્કડના નામે કરવામાં આવી હતી પરંતુ થોડા મહિનાઓ પૂર્વે જયેશભાઈનું નિધન થતાં તેમના પુત્ર ચિરાગ કક્કડે ગેરકાયદે બાંધકામ શરૂ કરતાં આ વિવાદ વકર્યો હતો.