By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના 12 શહેરોમાં ભારતીય ડ્રોન દ્વારા હુમલો: પાકિસ્તાની સેનાના ચાર સૈનિકોને ઉતાર્યા મોતને ઘાટ
    20 hours ago
    વોલ્ટન રોડ વિસ્તારમાં લશ્કરી એરપોર્ટ નજીક ત્રણ વિસ્ફોટોથી લાહોર હચમચી ગયું
    21 hours ago
    પાકને વધુ એક મોટો ઝટકો: BLA આર્મીએ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો, 12 સૈનિકોના મોત
    22 hours ago
    બ્રિટન શોકમાં ડૂબી ગયેલા લોકો સાથે દુઃખ અને એકતામાં ઉભું છે, આતંકવાદ ક્યારેય જીતી શકશે નહીં: ઋષિ સુનક
    23 hours ago
    ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનનું બદલાયું વલણ, ખ્વાજા આસીફે જાણો શું કહ્યું
    23 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓપરેશન સિંદૂર: વધતા તણાવ વચ્ચે રાજનાથ સિંહે CDS અને સશસ્ત્ર દળોના વડાઓ સાથે બેઠક કરી
    44 seconds ago
    કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહો: કેન્દ્ર સરકારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓને આપ્યો આદેશ
    18 hours ago
    ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત: રાજનાથ સિંહ
    18 hours ago
    યુદ્ધના એંધાણ: લાહોર સ્થિત એરડિફેન્સ સિસ્ટમ તબાહ કરતી ભારતીય સેના
    18 hours ago
    શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના ધો. 10ના બધા જ બાળકોએ બોર્ડમાં ડંકો વગાડ્યો
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોહિતએ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લીધું
    18 hours ago
    IPL-2025: મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
    21 hours ago
    ગુજરાત ટાઇટન્સએ આપી MIને ટક્કર, સીઝનની આઠમી જીત હાંસિલ કરી
    2 days ago
    વરસાદે હૈદરાબાદની પ્લેઑફ્ફની આશા પર પાણી ફેરવી દીધુ : દિલ્હી માટે પણ હવે પડકારજનક હાલત
    3 days ago
    પંજાબ સતત બીજી જીત સાથે નંબર-2 પર આવ્યું: લખનઉને 37 રને હરાવ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    22 hours ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    2 days ago
    પવનદીપ અકસ્માત બાદ ICUમાં દાખલ: શરીરમાં ઘણા ફ્રેક્ચર છે
    3 days ago
    કિયારા અડવાણીનો મેટ ગાલામાં ડેબ્યૂ, માતૃત્વનું પ્રતીક; અન્ય બૉલીવુડ સ્ટાર્સ પણ શાનદાર લૂકમાં ચમક્યાં
    3 days ago
    અજયની ‘રેઇડ-2’ બોક્સ ઓફિસ પર છવાઇ, જાણો 2 દિવસમાં કમાણીનો આંકડો કયા પહોંચ્યો?
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    3 days ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    3 days ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    7 days ago
    ગુડ ફ્રાઈડે શા માટે ઉજવાવામાં આવે છે ? તેનો ભગવાન ઈસુ ખ્રિસ્ત સાથે શો સબંધ છે ચાલો જાણીએ  
    3 weeks ago
    આ કારણથી અખાત્રીજના દિવસે પણ સોનું ખરીદવામાં આવે છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    18 hours ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    3 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    3 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    3 weeks ago
    ‘આ સહજાનંદ સ્વામીમાં સર્વે અવતારો સમાયેલા છે, તેઓ અવતારના પણ અવતારી અને સર્વના કારણ છે’
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા
રાજકોટ

રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા

Khaskhabar Editor
Last updated: 2023/12/07 at 4:42 PM
Khaskhabar Editor 1 year ago
Share
8 Min Read
SHARE

અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી કિરીટભાઇ ગણાત્રાએ ‘મારા’ નહીં ‘સારા’ના સિધ્ધાંત અનુસાર ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોની પસંદગી કરતા: રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ તરીકે રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ તરીકે ડો. નિશાંતભાઇ ચોટાઇની સતત બીજી ટર્મ માટે સર્વાનુમતે પસંદગી: ઉપપ્રમુખ તરીકે રૂપલબેન આર.રાજદેવ, મંત્રી તરીકે રીટાબેન બી.કોટક તથા ખજાનચી તરીકે ધવલભાઇ ડી.કારીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી

ખાસ-ખબર સંવાદદાતા
વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન’ ટ્રસ્ટના સુધારેલા બંધારણ મુજબ ટર્મ 2023 થી 2028 માટે યોજાયેલ ચૂંટણીના પરિણામો સંદર્ભે નવનિયુકત ટ્રસ્ટી મંડળની પ્રથમ બેઠક અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન, આશીર્વચન તથા તેઓની વિશેષ ઉપસ્થિતિ સાથે શેઠ શ્રી જયંતિલાલ કુંડલીયા સેવા સંકુલ, આરસીસી બેંક ઓડીટોરીયમ, વાણિયાવાડી મેઇન રોડ, રાજકોટ ખાતે યોજાઇ હતી. શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ‘મારા’ નહીં ‘સારા’ના સિધ્ધાંત અનુસાર ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોની પસંદગી કરી હતી. જે સંદર્ભે 2023 થી 2028 સુધીની નવી ટર્મ માટે સતત બીજી વખત પ્રમુખ તરીકે રાજુભાઇ પોબારૂ તથા કારોબારી પ્રમુખ તરીકે ડો.નિશાંતભાઇ ચોટાઇની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. હાજર રહેલ સૌએ બંને હોદ્દેદારોને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા.
સાથે-સાથે ઉપપ્રમુખ તરીકે શ્રીમતી રૂપલબેન આર.રાજદેવ, મંત્રી તરીકે શ્રીમતિ રીટાબેન બી.કોટક તથા ખજાનચી તરીકે ધવલભાઇ ડી.કારીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત બંધારણ મુજબ 11 ટ્રસ્ટીઓની મહાજન કારોબારી સમિતિની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ડો.નિશાંતભાઇ ચોટાઇ અને સભ્યો તરીકે શ્રી રાજુભાઇ પોબારૂ, શ્રીમતિ રૂપલબેન આર.રાજદેવ, શ્રીમતિ રીટાબેન બી.કોટક, શ્રી ધવલભાઇ ડી.કારીયા, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો.પરાગભાઇ દેવાણી, શ્રી દિનેશભાઇ બાવરીયા, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શ્રી હિરેનભાઇ ખખ્ખર તથા શ્રી ધવલભાઇ ખખ્ખરનો સમાવેશ થાય છે.
રાજકોટ લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિ ઉત્કર્ષના વિવિધ સામાજીક, સેવાકીય, તબીબી, શૈક્ષણિક, ધાર્મિક, સાંસ્કૃતિક, રોજગારલક્ષી વિગેરે કાર્યોનું સુચારૂ સંચાલન થઇ શકે તે માટે વિવિધ કમિટીઓની પણ રચના કરવામાં આવી હતી. જેમાં મહિલા સમિતિ (ચેરપર્સન તરીકે શ્રીમતિ રીટાબેન એસ.કુંડલીયા), પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ કમિટિ (ચેરમેન તરીકે શ્રી હિરેનભાઇ ખખ્ખર) ઓડીટ એન્ડ ફ્રોડ મોનિટરીંગ કમિટિ (ચેરમેન તરીકે શ્રી ધવલભાઇ ખખ્ખર) તથા આંતરીક ફરિયાદ સમિતિ (પીઠ્ઠાસીન અધિકારી તરીકે સુલભાબેન શીંગાળા)નો સમાવેશ થાય છે. શહેરના નામાંકીત આંખના સર્જન ડો.ચેતનભાઇ હિન્ડોચા તથા રઘુવંશી મહિલા અગ્રણી શ્રીમતિ સીમાબેન તેજસભાઇ રાજદેવને કો-ઓપ્ટ સભ્યો તરીકે નિમણુંક આપવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ લોહાણા મહાજનની ગત ટર્મનો અહેવાલ મહાજનના કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇએ આપ્યો હતો. તેમણે કહ્યું હતુ કે અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના સતત માર્ગદર્શન હેઠળ રાજકોટ લોહાણા મહાજને ગત ટર્મમાં જ્ઞાતિ ઉત્કર્ષના ઉત્કૃષ્ટ કાર્યો કર્યા છે,

- Advertisement -

રાજકોટ લોહાણા મહાજન
નવી ટર્મ માટેના હોદ્દેદારો ટ્રસ્ટીઓ
રાજુભાઇ પી. પોબારૂ પ્રમુખ
ડો.નિશાંતભાઇ જે. ચોટાઇ કારોબારી પ્રમુખ
શ્રીમતિ રૂપલબેન આર. રાજદેવ ઉપપ્રમુખ
શ્રીમતિ રીટાબેન બી. કોટક મંત્રી
ધવલભાઇ ડી. કારીયા ખજાનચી
શ્રીમતિ અલ્કાબેન જે. પુજારા ટ્રસ્ટી
શ્રીમતિ અલ્પાબેન આર. બરછા ટ્રસ્ટી
ડો.ભાવેશભાઇ એ. સચદે ટ્રસ્ટી
શ્રીમતિ ભાવિનીબેન આઇ. ખખ્ખર ટ્રસ્ટી
ધવલભાઇ આઇ. ખખ્ખર ટ્રસ્ટી
દિનેશભાઇ આર. બાવરીયા ટ્રસ્ટી
હરીશભાઇ જે. લાખાણી ટ્રસ્ટી
હિરેનભાઇ આર. ખખ્ખર ટ્રસ્ટી
ડો.જનકભાઇ કે. ઠક્કર ટ્રસ્ટી
એડવોકેટ જતીનભાઇ ડી. કારીયા ટ્રસ્ટી
જીતુભાઇ એ. ચંદારાણા ટ્રસ્ટી
કિશોરભાઇ જે. કોટક ટ્રસ્ટી
ડો.કૃપાબેન એચ. ઠક્કર ટ્રસ્ટી
એડવોકેટ મનિષભાઇ એચ. ખખ્ખર ટ્રસ્ટી
મુકેશભાઇ એલ. પાબારી ટ્રસ્ટી
શ્રીમતિ નિકિતાબેન એન. નથવાણી ટ્રસ્ટી
ડો.પરાગભાઇ ડી. દેવાણી ટ્રસ્ટી
શ્રીમતિ રીટાબેન એસ. કુંડલીયા ટ્રસ્ટી
શૈલેષભાઇ જે. પાબારી ટ્રસ્ટી
એડવોકેટ શ્યામલભાઇ એમ. સોનપાલ ટ્રસ્ટી
એડવોકેટ તુષારભાઇ એમ. ગોકાણી ટ્રસ્ટી
ડો.ચેતનભાઇ આર. હિન્ડોચા કો-ઓપ્ટ ટ્રસ્ટી
શ્રીમતી સીમાબેન ટી. રાજદેવ કો-ઓપ્ટ ટ્રસ્ટી

કાબિલેદાદ કામગીરી કરનાર ચૂંટણી કમિશનર ડો.પુરૂષોતમભાઇ પીપરીયાએ તમામ 26 ટ્રસ્ટીઓને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા
કિરીટભાઇ ગણાત્રાએ અમારી ઉપર મૂકેલા વિશ્ર્વાસને સાર્થક કરવા ‘ટીમ રાજકોટ લોહાણા મહાજન’ સદાય તત્પર છે: રાજુભાઇ પોબારૂ

- Advertisement -

જેને લીધે સમગ્ર સમાજ ઉપર ખૂબ મોટી હકારાત્મક અસર થઇ છે. રામકથા, અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ -2023, બ્રહ્મભોજન, સિનિયર સિટીઝનો માટે દ્વારકા-નાગેશ્વર યાત્રા, જરૂરીયાતમંદોને અનાજ વિતરણ વિગેરેને કારણે સમગ્ર રઘુવંશી સમાજમાં અસામાન્ય એકતાની ભાવના ઉજાગર થઇ છે.
ગર્મ ટર્મના અહેવાલ બાદ આરસીસી બેંકના સીઇઓ, કાયદેઆઝમ અને રાજકોટ લોહાણા મહાજનની ચૂંટણીના ચૂંટણી કમિશનર ડો. પુરૂષોતમભાઇ પીપરીયાએ મિટીંગના એજન્ડા મુજબ કાર્યવાહી સંદર્ભે ચૂંટણીમાં નામાંકન પત્રો ભરનાર તમામ ઉમેદવારો સામે બંધારણમાં જણાવેલ ટ્રસ્ટીઓની સંખ્યા કરતા વધુ ઉમેદવારો ન આવતા, તમામ ટ્રસ્ટીઓને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા. હાજર રહેલા સૌએ તમામને તાળીઓથી વધાવી લીધા હતા. ત્યારબાદ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયેલ તમામ ટ્રસ્ટીઓની રાજકોટ લોહાણા મહાજનની ઉપરોકત કમિટિઓમાં પણ સર્વાનુમતે યથાયોગ્ય વરણી કરવામાં આવી હતી.
રાજકોટ લોહાણા મહાજનની સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટાયેલા જાહેર થયેલ શ્રી રાજુભાઇ પોબારૂએ નવા ટ્રસ્ટી મંડળની પ્રથમ બેઠકને સંબોધન કરતા જણાવ્યું હતુ કે આદરણીય શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ‘ટીમ રાજકોટ લોહાણા મહાજન’ ઉપર મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા સમગ્ર ટીમ સદાય તત્પર છે. રામકથા, અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ 2023, બ્રહ્મભોજન, સિનિયર સિટીઝનો માટે નિ:શુલ્ક યાત્રા પ્રવાસ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના વર્ગો, સર્વજ્ઞાતિ-સર્વરોગ નિદાન કેમ્પ, કોરોનામાં વેકસીનેશન કેમ્પ, કોરોના કેર સેન્ટર વિગેરે સમાજલક્ષી-પ્રેરણાદાયી પ્રવૃતિઓને કારણે સમગ્ર વિશ્વમાં રાજકોટ લોહાણા મહાજનની શાખ ટોચ ઉપર પહોંચી છે તે પણ શ્રી કિરીટભાઇ ગણાત્રાની દીર્ધદ્રષ્ટિને આભારી હોવાનું રાજુભાઇ પોબારૂએ જણાવ્યું હતું. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જ્ઞાતિઉત્કર્ષ-સમાજ ઉત્કર્ષના વિવિધ કાર્યો કરવા માટે રાજકોટ લોહાણા મહાજનની નવી ટીમ હંમેશા દોડતી રહેશે તેવો પણ દ્રઢ વિશ્વાસ મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂએ વ્યકત કર્યો હતો.


મિટીંગમાં વિશેષ ઉપસ્થિત રહેલા અકિલા પરિવારના મોભી, રાજકોટ લોહાણા મહાજનના પથદર્શક, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ આશીર્વચન આપતા જણાવ્યુ હતું કે રામ-લખનની જોડી ગણાતા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇની સમગ્ર ટીમ રઘુવંશી સમાજને એક તાંતણે બાંધવામાં સફળ રહી છે જે અભિનંદનને પાત્ર છે. સમાજ, ધર્મ, રાષ્ટ્ર માટે અસંખ્ય રઘુવંશીઓએ બલીદાનો પણ આપ્યા હોવાનું તેઓએ જણાવ્યુ હતું.
શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ચિંતા પણ વ્યકત કરી હતી કે તાકાતવર રઘુવંશી સમાજમાં એકતાના અભાવને કારણે ઘણી વખત સમાજને અકલ્પનીય નુકશાન પણ થતુ જોવા મળે છે. જેથી દરેક સંસ્થા તથા ક્ષેત્રમાં રઘુવંશીઓમાં એકતારૂપે આમૂલ પરિવર્તન ખૂબ જરૂરી છે. સમગ્ર સમાજ અહ્મમુકત બનીને સકારાત્મકતા અને સમજદારી કેળવે તેવી પ્રાર્થના પણ શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ઇશ્વરને કરી હતી. શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન, આશીર્વચન બાદ રાજકોટ લોહાણા મહાજનના નવનિયુકત તમામ હોદેદારો, ટ્રસ્ટીઓના શ્રી કિરીટભાઇ ગણાત્રા દ્વારા સન્માન કરવામાં આવ્યા હતા અને ફોટોસેશન રાખવામાં આવ્યું હતું. હોદ્દેદારોની નિમણુક અંગે જરૂરી પેપરવર્ક કરવામાં જાણીતા કાયદા નિષ્ણાંત શ્રી શ્યામલભાઇ સોનપાલે સુપેરે ફરજ બજાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન તથા અંતમાં આભારવિધિ સંસ્થાના ટ્રસ્ટી ડો.પરાગભાઇ દેવાણી દ્વારા કરવામાં આવી હતી.

ચૂંટણી કમિશનર તરીકે કાયદેઆઝમ ડો.પુરૂષોતમ પીપરીયાની સરાહનીય કામગીરી
રાજકોટ લોહાણા મહાજનની ગત ચૂંટણી પછી ચૂંટાયેલ ટ્રસ્ટીઓ અને મહાજન સમિતિએ જુના બંધારણમાં ફેરફાર કરવા માટે અકિલાના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ અને કાયદેઆઝમ ડો.પુરૂષોતમ પીપરીયાના વડપણ હેઠળ રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટના બંધારણ માટે સુધારણા સમિતિ રચવામાં આવેલ હતી. તે સમિતિની ભલામણો મહાજન સમિતિએ સ્વીકારીને ચેરીટી કમિશનરશ્રી કચેરીમાં બંધારણ સુધારણા દરખાસ્ત રજુ કરતા ચેરીટી કમિશનરશ્રી તરફથી નવું બંધારણ મંજુર કરવામાં આવેલ. તેમાં નિર્દિષ્ટ ચૂંટણી અંગેના પ્રાવધાનો અનુસાર ચૂંટણી કરવા માટે ચૂંટણી કમિશનર તરીકે આરસીસી બેંકના સીઇઓ ડો.પુરૂષોતમ પીપરીયાની નિમણૂંક કરવામાં આવેલ હતી.
ડો.પુરૂષોતમ પીપરીયાએ બંધારણ અને કાયદાના પ્રાવધાનોના પરિપ્રેક્ષ્યમાં કોઇપણ પ્રકારના વિધ્નો વગર ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરેલ તે અંગે રાજકોટ લોહાણા મહાજનને ડો. પુરૂષોતમ પીપરીયાની કામગીરીને બિરદાવી હતી.

You Might Also Like

ધોરણ 10નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ

ઓપરેશન સિંદૂર 2.0? NSA અજિત ડોભાલ વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા

મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન

પત્રકાર સાગર જાનીની કિડની ફેઇલ : સહાય માટે સાતેક લાખની જરૂર

સિંધી, લોહાણા, ખોજા, ભાનુશાળી જ્ઞાતિમાં થેલેસેમિયાનું પ્રમાણ વધુ

TAGGED: LohanaMahajan, officebearers, Rajkot, Trustees
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article J.M.J ગ્રુપના આંગણે 101 દીકરીના જાજરમાન સમૂહલગ્નની તૈયારીનો ધમધમાટ શરૂ
Next Article મનપા સંચાલિત પુસ્તકાલયોનો નવેમ્બર માસમાં 28576 નાગરિકોએ લીધો લાભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂર: વધતા તણાવ વચ્ચે રાજનાથ સિંહે CDS અને સશસ્ત્ર દળોના વડાઓ સાથે બેઠક કરી

Khaskhabar Editor Khaskhabar Editor 46 seconds ago
ઓપરેશન સિંદૂર / ગુજરાત સરકારે આરોગ્ય વિભાગના કર્મચારીઓની રજાઓ રદ કરી
કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહો: કેન્દ્ર સરકારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓને આપ્યો આદેશ
રોહિતએ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લીધું
ધોરણ 10નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ
ઓપરેશન સિંદૂર 2.0? NSA અજિત ડોભાલ વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધોરણ 10નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

ઓપરેશન સિંદૂર 2.0? NSA અજિત ડોભાલ વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
TALK OF THE TOWNરાજકોટ

મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?