એક મુલાકાતમાં, ઝેલેન્સકીને પૂછવામાં આવ્યું હતું કે શું તેમને લાગે છે કે રશિયા પરના યુએસ પ્રતિબંધો ઉલટાવી ગયા છે, તાજેતરમાં SCO સમિટમાં જોવા મળેલા મોદી-પુતિન સંબંધોને જોતાં.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ ભારત પર અમેરિકા તરફથી ટેરિફ લાદવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. તેમણે કહ્યું કે, અમેરિકાએ રશિયાને તાકાત પૂરી પાડનારા દેશ વિરૂદ્ધ આકરા પગલાં લીધા છે, તેમાં કંઈ જ ખોટુ નથી. ચીન, રશિયા અને ભારતના વડા એક મંચ પર જોવા મળ્યા હતા. હું માનું છુ કે, ભારત પર ટેરિફ લાદવાનો અમેરિકાનો નિર્ણય યોગ્ય છે. રશિયા સાથે વેપાર કરનારાઓ પર પ્રતિબંધ લાદવો જરૂરી છે.
- Advertisement -
ઝેલેન્સ્કીએ એક મીડિયા ઈન્ટરવ્યૂમાં આ નિવેદન આપ્યું હતુ. તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, રશિયા પર વધુને વધુ પ્રતિબંધો લાદવાથી યુક્રેનને મદદ મળશે કે કેમ? જેનો જવાબ આપતાં ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, હું ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા પગલાંથી ખુશ છું. રશિયા સાથે કોઈ પણ પ્રકારની ડીલ કરવી યોગ્ય નથી. તેના પર પ્રતિબંધોનું સમર્થન કરુ છું. ડોનાલ્ડ ટ્રમ્પ જાણે છે કે, કેવી રીતે પુતિનને રોકી શકાય. પુતિનનું સૌથી મોટુ હથિયાર વિશ્વના અન્ય દેશોને ક્રૂડ અને ગેસનું વેચાણ છે. તેમની આ તાકાત છીનવી પડશે.
ભારત પર ટેરિફ યોગ્ય
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ ભારત પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફને યોગ્ય ઠેરવ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું હતું કે, મોદી, પુતિન અને શી જિનપિંગ વચ્ચે બેઠક જોવા મળી. મોદીને તેમની સાથે જોઈને તમને કેવુ લાગ્યું, શું તમે માનો છો કે, ટ્રમ્પ સરકારનો ટેરિફનો નિર્ણય બેકફાયર થયો? આનો જવાબ આપતાં ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, ભારત પર ટેરિફ લાદવાનો અમેરિકાનો નિર્ણય યોગ્ય છે. રશિયા સાથે વેપાર કરનારા પર પ્રતિબંધો લાદવા જરૂરી છે. અલાસ્કા સમિટ વિશે ઝેલેન્સ્કીને કોઈ ખાસ માહિતી નથી. પરંતુ ટ્રમ્પે પુતિનને તે તમામ વાતો કહી છે કે, જે યુક્રેન કહેવા માગતુ હતુ.
- Advertisement -
શું ઝેલેન્સ્કી મોસ્કો જશે?
ઝેલેન્સ્કીએ આગળ જણાવ્યું કે, ટ્રમ્પે મને તક આપી અને રેડ કાર્પેટ પાથરી દીધી. પુતિને મોસ્કોમાં આવી યુક્રેન શાંતિ માટે વાટાઘાટ કરવાની ઓફર મૂકી છે. જો કે, તેઓ પણ કીવ આવી શકે છે. જ્યારે મારો દેશ મિસાઈલોના ભય હેઠળ જીવાડનારાની રાજધાનીમાં હું કેવી રીતે જઈ શકું. તેમણે વાત કરવી હતી, તો યુદ્ધની શરૂઆત કેમ કરી. અમે સતત વાટાઘાટની માગ કરી રહ્યા હતા. અમે વાત કરવા તૈયાર છીએ.