15 એપ્રિલના રોજ મેષ સંક્રાંતિએ પુણ્ય કાળનો સમય છે. સ્નાન, દાન અને તર્પણ માટે આ દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મનુષ્યને તમામ પ્રકારના કષ્ટથી મુક્તિ મળે છે અને પિતૃદોષ પણ ઓછો થાય છે.
સનાતન ધર્મમાં સંક્રાંતિનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સમગ્ર વર્ષમાં 12 સંક્રાંતિ આવે છે, જેમાં મેષ સંક્રાંતિ વિશેષ ફળ પ્રદા કરે છે. પંચાંગ અનુસાર આ વર્ષે 14 એપ્રિલના રોજ સૂર્ય મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. કાશીના જ્યોતિષ પંડિત સંજય ઉપાધ્યાય અનુસાર 15 એપ્રિલના રોજ મેષ સંક્રાંતિએ પુણ્ય કાળનો સમય છે. સ્નાન, દાન અને તર્પણ માટે આ દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મેષ સંક્રાંતિએ ગંગા તથા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ પિતૃદોષથી પરેશાન હોય તેમણે આ દિવસે તર્પણ કરવું જોઈએ. ઉપરાંત શ્રીફળ તરીકે બિલુફળ, સત્તૂ, પંખો, કાચી કેરી અને માટીના ઘડામાં જળ ભરીને બ્રાહ્મણને દાન કરવું જોઈએ. જેનાથી મનુષ્યને તમામ પ્રકારના કષ્ટથી મુક્તિ મળે છે અને પિતૃદોષ પણ ઓછો થાય છે.
- Advertisement -
એક મહિનામાં ફળ પ્રાપ્ત થાય છે
ધાર્મિક માન્યતા અનુસાર મેષ સંક્રાંતિએ દાન કરવાથી અનંત પુણ્ય પ્રાપ્તિ થાય છે. આ દિવસે દાન કરવાથી એક મહિના સુધી તેનું ફળ મળે છે. આ કારણોસર ધાર્મિક શહેરોમાં ઘાટ પર સ્નાન અને દાન માટે ભીડ ઉમટી પડે છે.
માંગલિક કાર્યોની શરૂઆત થાય છે
સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે તે સમયે ખરમાસ સમાપ્ત થાય છે. ઉપરાંત માંગલિક કાર્યોની પણ શરૂઆત થાય છે. સંક્રાંતિના દિવસે છોડ લગ્ન, મુહૂર્ત અનુસાર વિવાહ, બાબરી સિવાયના તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે.