બકરા ચોરી મુદ્દે બે પરિવાર બાખડતા પહોંચેલી પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જામનગર રોડ શેઠનગર સામે ઝુપડામાં રહેતાં દેવીપૂજક પરિવાના લોકો સાથે જામનગરથી આવેલા તેના સગાને જુના મનદુ:ખ મામલે મારામારી થતાં એક બીજા પર ટોળકી રચી હુમલો કર્યો હતો બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસની ટીમ હોમગાર્ડ જવાનો સાથે પહોંચી હતી. આ વખતે માથાકૂટ કરનારાઓએ ટોળકી રચીને પોલીસની ટીમ ઉપર હુમલો કરી પથ્થરમારો કરી ફરજમાં રૂકાવટ કરી હતી. બે અલગ અલગ ગુના જે તે વખતે ગાંધીગ્રામ પોલીસમાં દાખલ થયા હતાં ગંભીર પ્રકારના ગુનામાં ફરાર આરોપીઓને પકડી પાડવાની પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા અને ડીસીપી જગદીશ બાંગરવાએ આપેલ સૂચનાથી એલસીબી ઝોન-2 ના પીએસઆઇ આર.એચ.ઝાલા અને ટીમે તપાસ શરૂ કરી હતી. દરમિયાન સ્ટાફને મળે બાતમી આધારે ફરાર જોડીયાના ગોરાણા ગામના દિનેશ ઉર્ફ વિનુ બાબુ ઉર્ફે બધુ જખાનીયા ઉ.45, ધ્રોલના લાભુ કરમશી વાજેલીયા ઉ.45 તથા જામનગરના ગુલાબનગરના વિનુ બાધુ સામીયા ઉ.35ને માધાપર ચોકડી પાસેથી પકડીને ગાંધીગ્રામ પોલીસ હવાલે કર્યા હતા ત્રણેય રાજકોટ-જામનગર આવતા જતાં રહે છે. અહીં મજુરી માટે આવ્યા અને પોલીસે દબોચી લીધાં હતાં. આરોપી વિનુ સાડમિયા સામે જામનગર સીટી બી ડિવિઝનમાં પણ દારૂનો ગુનો દાખલ થયેલ છે.