લોકસભા ચૂંટણી પહેલા ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓની બદલી કરી છે. જેમાં બિન હથિયારી પીઆઈ 232, 551 પીએસઆઈ તેમજ 43 હથિયારી પીએસઆઈની બદલી કરવામાં આવી છે.
- Advertisement -
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાત સરકાર દ્વારા સરકારી અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાઈ રહ્યો છે. 30 જાન્યુઆરીએ 50 જેટલા IAS કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકસભા ચૂંટણી પહેલા બિન હથિયારી 43 પીએસઆઈ તેમજ 551 બિન હથિયારી પીએસઆઈ તેમજ 232 બિન હથિયારી પીઆઈની બદલી કરવામાં આવી છે. ત્યારે હવે આગામી ટૂંક સમયમાં IPS કક્ષાના અધિકારીઓની પણ બદલી થવાની શક્યતાઓ છે.