બહેનોના શારીરિક, માનસિક અને બોધ્ધિક વિકાસ માટે અનેક કાર્યક્રમો યોજાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ડો.કોમલ ચમનભાઈ સિંધવની યાદી જણાવે છે કે શ્રી નાડોદા રાજપુત ક્ષત્રિયાણી સમિતિ દ્વારા ઉત્તર ગુજરાત નાડોદા રાજપૂત સમાજ -પાટણ ના સહયોગથી સમાજની દીકરીઓના શારીરિક, માનસિક, બોધ્ધિક વિકાસ માટે પાટણ ખાતે ઉત્તર ગુજરાત નાડોદા રાજપુત ક્ધયા છાત્રાલયમાં ત્રી દિવસીય તારીખ 9/05/025 થી 11/05/025 સુધી પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે દીપ પ્રાગટ્યમા વિશેષ ઉપસ્થિતિમાં ઓમ શાંતિ સંસ્થાનમાંથી સાધ્વી નીલમ બેનની પ્રેરક હાજરી રહી હતી. સાધ્વીઓનું શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની રૂપરેખાની પ્રસ્તુતિ વર્ગના વર્ગાધિકારી ડો.કોમલબા ચાવડા દ્વારા કરવામાં આવ્યું. આગળ કાર્યક્રમની રૂપરેખા ને જણાવતા પ્રશિક્ષણ વર્ગમાં સવારે 4:30 કલાકે ઉત્થાન થી રાત્રે 10:30 કલાક સુધી દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું.
પૂર્ણ દિવસ દરમિયાન શારીરિક વિકાસ માટે દંડ યુધ્ધ, રાયફલ શૂટિંગ, તલવાર બાજી, કરાટે, સ્વદેશી રમતોનું પ્રશિક્ષણ આપવામાં આવતું. તેમજ બોધ્ધિક વિકાસ માટે સમાજના વક્તાઓ દ્વારા વક્તવ્ય સત્રનું આયોજન કરાયું હતું. જેમાં ભારતીય ઇતિહાસ માં-બહેનોનું મહત્વ, રાણી અહલ્યાબાઈ હોલકરની જીવનગાથા, લવ જેહાદ, સરકારી નોકરી માટેનું માર્ગદર્શન, બહેનોને થતી બીમારી અને તેના ઉપાયો, સોશિયલ મીડિયાના ફ્રોડથી બચાવ કેમ કરવો? વગેરે જેવા વિષયો ઉપર માર્ગદર્શન વર્ગમા રાખવામાં આવ્યું હતું. જેમાં મોટીવેશનલ સ્પિકર ચેતનાબા વાઢેરનો બહેનોને લાભ મળ્યો હતો. ભોજનવિધિમાં અલગ અલગ સમાજના દાતાઓ દ્વારા રસ, આઈસ્ક્રીમ શિક્ષાર્થીઓને આપવામાં આવ્યા. સમાજના દાતાઓ દ્વારા ફંડ પૂરું પાડવામાં આવ્યું હતું. આ વર્ગમાં કુલ 133 શિક્ષાર્થીઓએ ભાગ લીધો હતો.
તા.10/5/2025 ના બૌધ્ધિક સત્રમાં રમેશભાઈ સિંધવ (પાટણ ભાજપ જીલ્લા પ્રમુખ), રામસિંહ રાજપૂત, રામભાઈ સિંધવ હાજર રહીને બહેનોને માર્ગદર્શન આપ્યું હતું. તલવારબાજી માટે પ્રખ્યાત નામ અંકિતભાઈ સિંધવ-વરાણાથી હાજર રહ્યા હતા. સમાપન સત્રમાં અતિથિ તરીકે પધારેલ ચંદુભા ચાવડા(રામપરા)નું ખેતીવિષયક અને આપડો ખોરાક વિષયનું માર્ગદર્શન પ્રસંશાને પાત્ર રહ્યું. અન્ય મહેમાનોમાં માનસંગ પરમાર(વાવલ), વાલસંગ ડોડ, રાણા (ગુજરવાડા),રામસિંહ રાજપુત (શંખેશ્વર), પરસોત્તમ દેસાઈ (મુજપુર),નાથાભાઈ કનીજ જેવા સામાજિક જવાબદાર કાર્યકર્તાઓ હાજર રહી કાર્યક્રમને ઉત્સાહ વર્ધક બનાવ્યો હતો.
- Advertisement -
સફળ વર્ગને વધુ પ્રાણ પુરતા દરેક શિક્ષાર્થીઓને ભેટ સ્વરૂપે તલવાર આપવામાં આવી. જે ભેટના દાતા ચંદુભા ચાવડા અને સાથે નારણભાઈ સગર-ભામાશા (એરવાડા) બન્યા. સ્મૃતિ ભેટ સ્વરૂપે બહેનોને ચમનભાઈ સિંધવ (ગવાણા હાલ-રાજકોટ) દ્વારા પ્રમાણપત્ર આપવા આવ્યા. આ પ્રશિક્ષણ વર્ગનું સંપૂર્ણ આયોજન અને માર્ગદર્શન ડો. કોમલબા ચાવડા એ મુખ્ય શિક્ષક તરીકે નિભાવ્યું હતું. તેમની સાથે વર્ગને સફળ બનાવવા માટે ગીતાબા ડોડ, સંગીતાબા કટારીયા, જાગૃતિબા કટારીયા, હેતલબા સિંધવ, અસ્મિતાબા, મિતલબા, સોનલબા દ્વારા વર્ગમાં શિક્ષિકા તરીકેનુ દાયિત્વ વહન કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન હર્ષાબા ડોડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ વર્ગની વ્યવસ્થાની જવાબદારી સંકુલ અધિકારી બચુભા રાઠોડ અને તેમની ટીમના મહેન્દ્રસિંહ ડોડીયા, નવીનસિંહ પરમારે લીધી હતી.