પંચાયતનગરમાથી 14 લાખની મતાની ચોરી
માધાપર ચોકડી પાસે બુકાનીધારી ટોળકી ત્રાટકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં સતત બીજા દિવસે તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે જેમાં રૈયા રોડ પર આવેલ પંચાયતનગરમાં બંધ મકાનમાથી 14 લાખની મતાની ચોરી થયાનું જાણવા મળ્યું છે જ્યારે માધાપર ચોકડી પાસે એક સોસાયટીમાં બુકાનીધારી ટોળકી ત્રાટકી હતી જેના સીસીટીવી વાઇરલ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સૂત્રોમાથી પ્રાપ્ત વિગતો મુજબ રૈયા રોડ પર આવેલ પંચાયતનગરમાં એક આદિનાથ નામના મકાનમાં ચોરી થયાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો.
- Advertisement -
પોલીસની પ્રાથમિક તપાસમાં આ બંધ ઘરમાં ત્રાટકેલા તસ્કરો 14 લાખની મતા ચોરી ગયાનું જાણવા મળ્યું હતું પોલીસે ગુનો નોંધવા અને ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી. જ્યારે બીજી તરફ માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતાં રસ્તા ઉપર આવેલ રત્નમ રોયલ સોસાયટીમાં મોડી રાત્રે બુકાનીધારી ટોળકી ત્રાટકી હતી આ ટોળકીએ લગલ્ગાટ પાંચ ઘરોમાં ચોરીને એએનજેએએમ આપ્યો હતો બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને ક્યાં કેટલી ચોરી થઈ તે જાણવા તેમજ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.