ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બનાવની હકીકત એવી છે કે તા. 12-5-2023ના રોજ રાત્રિના 1-30 કલાકે ગુજ. કશ્યપભાઈ પ્રદિપભાઈ પંડ્યા (ઉ.વ.28)વાળા પોતાના હવાલાવાળુ હીરોહોન્ડા મોટર સાયકલ લઈને ગઢકા ગામથી પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે રાજકોટ ભાવનગર હાઈવે રોડ પર આવેલા મહીકા ગામ પાસે પહોંચતા આ કામના સામાવાળા ટ્રક નં. જીજે36વી 2155ના ચાલકે પોતાના હવાલાવાળો ટ્રક કોઈ પણ જાતના સિગ્નલ, પાર્કીગ લાઈટ, ઈન્ડીકેટર આપ્યા વગર, ગેરકાયદેસર રીતે રોડ પર પાર્ક કરેલ હોય જેથી ગુજ. કશ્યપભાઈને તેમના સામેથી આવતા વાહનોની લાઈટ આંખ ઉપર આવતા તેઓની આંખ અંજાઈ જતાં ગેરકાયદેસર રીતે ટ્રાફિકના નિયમો વિરુદ્ધ તેમજ ટ્રાફિકને અડચણ થાય તે રીતે ગેરકાયદેસર ટ્રક પાર્ક કરેલો હોય તે ટ્રકના પાછળની બાજુ ઘુસી જતાં હાલનો બનાવ બનવા પામેલ હતો. આ અકસ્માતમાં ગુજરનારને ગંભીર પ્રકારની ઈજાઓ થવાના કારણે અકસ્માતના સ્થળે જ અવસાન પામેલ જેથી આ બનાવ સંબંધે રાજકોટ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ટ્રકના ચાલક વિરુદ્ધ આઈ.પી.સી. 279, 337, 338 તથા 304(અ) અને મોટર વ્હીકલ એક્ટની કલમ 134, 177, 184 મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલો હતો.
- Advertisement -
આ અકસ્માતમાં ગુજરનાર કશ્યપભાઈ પંડ્યાના વારસદારો દ્વારા રાજકોટ મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલમાં વળતર મેળવવા અંગે તા. 13-6-2023ના રોજ ક્લેઈમ કેસ નં. 1024-2023થી દાખલ કરવામાં આવેલ હતો, જે દાવામાં અરજદાર તરફે એડવોકેટ અજય કે. જોષી રોકાયેલા હતા.
ઉપરોક્ત અકસ્માત અંગે ટ્રકના ચાલક વિરુદ્ધ પોલીસ દ્વારા ચાર્જશીટ કરવામાં આવેલી અને ગુજરનારની આવક તથા ભવિષ્યની આવકના મુદ્દાઓ ઉપર દલીલો કરવામાં આવેલી અને પુરાવાઓ રજૂ કરવામાં આવેલા અને ગુજરનારના વારસદારો તેમના પર આધારિત હોય, ગુજરનાર તેમના બ્રેડવીનર હોય તેમજ આ કામમાં ધ ન્યુ ઈન્ડીયા જનરલ ઈન્સ્યોરન્સ કંપની તરફથી અરજદારના વાહનની પણ બેદરકારી અંગે દલીલો કરવામાં આવેલી પરંતુ અરજદારના એડવોકેટ અજય કે. જોષીની દલીલો નામદાર કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવેલી હતી, જે તમામ મુદ્ાઓ પર અરજદારના એડવોકેટ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવેલી અને તે નામદાર કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવેલી અને વિવિધ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ રાખેલા તે ધ્યાને લઈને આ અકસ્માતમાં ગુજરનાર કશ્યપભાઈ પંડ્યાના વારસદારોને રૂા. 61,50,000 ચૂકવવા રાજકોટ એમ.એ.સી. ટ્રીબ્યુનલ (ઓક્ઝી) રાજકોટ દ્વારા હુકમ કરેલો છે.
આ કામમાં ગુજરનારના વારસદારો વતી એડવોકેટ અજય કે. જોષી તથા પ્રદિપ આર. પરમાર રોકાયેલા હતા.